Friday, June 7, 2019

છોડ :સામો

#સામો(Echinochloa colona)
સામો કે સાંબો અથવા મોરિયો કે "મોરૈયો" એક ખડધાન્ય છે
 જે વાનસ્પતિક દૃષ્ટિએ ઘાસના બીજ છે. ભારતીય સંસ્કૃતિમાં
 ઉપવાસના દિવસોમાં સામો કે મોરિયાની ખીચડી અને અન્ય વ્યંજનો બનાવીને ખવાય છે.
👉તેનાં પાન લાંબાં અને સાંકડાં થાય છે. ફૂલની ચમરી પાસે પાસે આવેલી, ધોળા રંગની હોય છે. છે. આ ધાન્યને ખોદતાં તેમાંથી નાના કણના ચોખા નીકળે છે. આ ઘાસ ઢોરને વિશેષ ખવરાવે છે. સામાના દાણા માણસો ફરાળ તરીકે ખાય છે .
👉આયુર્વેદિક મત પ્રમાને સામો ગુણે શોષક, વાતલ, કફઘ્ન અને પિત્તહર છે

Thursday, June 6, 2019

છોડ પરીચય :દુધેલી

#દુધલી(Euphorbia hirta)
દુધલી એક વાર્ષિક રુવાંટીવાળું જડીબુટ્ટી છે જે અસંખ્ય શાખાઓમાં આધારથી ટોચ પર છે,
 લાલ રંગની અથવા જાંબલી રંગમાં ફેલાય છે. દાંડા ગોળાકાર હોય છે, ઘન અને રુવાંટીવાળા પુષ્કળ દૂધ-સત્વ સાથે પાંદડા વિરુદ્ધ, લંબગોળ મધ્યમાં જાંબલી સાથે છાંટીને અને ધાર પર             દાંતાળું છે. પાંદડા સ્ટેમ પર વિપરીત જોડીમાં થાય છે.

👉દુધલી ઔષધીય ગુણધર્મો છે જેમ કે કેન્સર, ઝાડા, મરડો, આંતરડાના, 
અસ્થમા, બ્રોંકાઇટિસ, તાવ, પોપચાંની સ્ટાય, ઉધરસ, અસ્થમા, શ્વાસનળીના ચેપ, આંતરડા ફરિયાદ, જંતુનાશક ઉપદ્રવ, જખમો, કિડની પત્થરો અને ફોલ્લાઓ
     વગેરેના ઉપચારમાં ઉપયોગ થાય છે.
👉સૂકા જડીબુટ્ટીઓનો ઉકાળો ત્વચાના રોગો માટે ઉપયોગમાં લેવાય છે.
👉તાજા વનસ્પતિનો ઉકાળો થ્રોશના ઉપચાર માટે ચામડીના ટુકડા તરીકે વપરાય છે.

છોડ પરીચય :કચુરો(Curcuma zedoaria)

#કચુરો(Curcuma zedoaria)
કચુરો ભારતમાં બધે થાય છે ઔષધમાં એનો કંદ વપરાય છે
 એના કંદમાં ઉડ્ડયનશીલ તેલ, ગુંદર, શર્કરા, સ્ટાર્ચ અને 
સેન્દ્રીય અમ્લ હોય છે તે કડવો તીખો અને ગરમ હોય છે.
👉કચુરો ભુખ લગાડનાર, અરુચી દુર કરનાર, પચવામાં હલકો, દમ,
          ગોળો, કફ, કૃમી, હેડકી અને હરસ મટાડે છે.
👉કચુરાના કંદના સુકાવેલા ટુકડા બજારમાં મળે છે તે મોંમાં રાખવાથી
          મોંની ચીકાશ દુર કરી ગળુ સાફ કરે છે
👉કચુરાનો ખાસ ઉપયોગ દમ, ખાંસી અને હેડકીમાં થાય છે

Wednesday, June 5, 2019

વનસ્પતિ પરીચય :નાગફણી

#નાગફણી:


નાગફણી (ફિંડલા) ને સંસ્કૃતમાં વ્રજકંટકા કહેવામાં
ફિંડલા લો કેલેરી, ફાયદા માટે ચરબી અને ઓછું કોલેસ્ટ્રોલ સાથે ઘણા મહત્વના પોષક તત્વોનો સ્ત્રોત છે. આ ફળના છોતરા ઘણા મોટા અને કાંટાવાળા હોય છે જે કાઢ્યા પછી અંદરના ગરબ ને ખાવામાં આવે છે. આહારમાં ફિંડલા જેવા પોષક ફળો ઉમેરવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે.

#ફિંડલામાં


  જસત, તંબુ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ,ફોસ્ફરસ, મોલીબ્ડેનમ અને કોબાલ્ટ રહેલ છે. ફિંડલા , સ્વાદમાં કડવી અને તાસીરમાં ખુબ ગરમ હોય છે. તે પેટના આફરાને દુર કરનાર, પાચક, મૂત્ર, વિરેચક હોય છે. ઔષધીય પ્રયોગ માટે તેના આખા છોડનો ઉપયોગ કરવામાં આવે છે. કુક્કર ખાંસીમાં તેના ફૂલને વાટીને ખાવાથી ફાયદો થાય છે. તેના ફળથી બનેલ સરબત પીવાથી પિત્ત વિકાર સારું થાય છે. ફિંડલા નો છોડ પશુઓ દ્વારા ખેતરોનું રક્ષણ જ નથી કરતું પણ રોગોથી આપણા શરીરનું પણ રક્ષણ કરે છે.
=>જો સોજો છે, સાંધાનો દુખાવો છે, ગુમડા, ઇજાને કારણે ચાલી નથી શકતા તો, પાંદડા ને વચ્ચેથી કાપીને ગરબ વાળા ભાગ ઉપર હળદર અને સરસીયાનું તેલ લગાવીને ગરમ કરીને બંધો.
=>કાનમાં તકલીફ હોય તો તેના પાકા પાંદડા ગરમ કરીને બે બે ટીપા રસ નાખો.
=>તેના લાલ અને પીળા રંગના ફૂલ હોય છે. ફૂલની નીચેના ફળને ગરમ કરીને કે ઉકાળીને ખાઈ શકાય છે આ ફળ સ્વાદિષ્ઠ હોય છે. તે પિત્તનાશક અને જ્વરનાશક હોય છે.

Tuesday, June 4, 2019

કવિતા :ગરમી હવે સહન થતી નથી

*ગરમી હવે સહન થતી  નથી*



વૃક્ષ અને પાણીની તમે ન સંભાળ લીધી , 

પર્યાવરણ તણી તમે કદી ખબર ન લીધી . 

ધરતીને  હરીયાળી બનાવો , 

ગરમી હવે સહન થતી  નથી. ..2

આ  વરસાદમાં  વૃક્ષો વાવો , 

ગરમી હવે  સહન થતી નથી. 

પંખો લગાવ્યો પણ રહેવાતું નથી , 

એસી મુકાવ્યુ ગરમી જાતી નથી . 

પર્યાવરણનાં પાંચાને કોઈ જોતું નથી,

પ્રદુષણનું દૂષણ કેમ કોઈ રોકતું નથી . 

ધરતીને હરીયાળી  બનાવો , 

ગરમી હવે સહન થતી નથી...2

મને શ્વાસ લેવામાં કેમ તકલીફ પડે , 

હવા હવે કેમ ચોખ્ખી મળતી નથી.

 જાગવાનું હજુ મોડું થયું નથી, 

 વૃક્ષનું રક્ષણ કોઈ ભૂલો નહીં .

ધરતીને હરીયાળી બનાવો , 

ગરમી હવે સહન થતી નથી ...2

કુદરતનો વારસો આપણી ફરજ છે , 

આપણી ફરજ ચુકી  કેમ દૂર ભાગો છો.

શ્વાસ લીધા વગર કેમ જીવાતું નથી , 

વૃક્ષ વગર બીજો કોઈ રસ્તો નથી.

ધરતીને હરીયાળી બનાવો , 

ગરમી હવે સહન થતી નથી ...2


-રાજેશ બારૈયા "વનવાસી"

Monday, June 3, 2019

વેલ પરીચય :-પોઈં

#પોઈ
પોઈ નામના વેલ  થાય છે. પોઈ તેનાં પાન ગૂંદીનાં પાન 
જેવાં પણ તેથી મોટાં અને જાડાં હોય છે. તેમાં મરી જેવડાં 
જાંબલી રંગનાં ફળ થાય છે. તેમાંથી કિરમજી રંગ નીકળે છે
.એ ખેતર કે વાડામાં ઉગે છે.
- એનાં પાનનાં ભજીયાં બનાવવામાં આવે છે.
- પોઈનાં પાનનો ૧ ચમચો રસ ૧ પ્યાલા દુધ સાથે રાતે સુવાના કલાકેક પહેલાં 
      લેવાથી સારી ઉંઘ આવે છે.

વનસ્પતિ પરીચય :ચિત્રક

ચિત્રક(plumbago zeylanica)
ચિત્રકનો  નાનો છોડ થાય ,ચળકતા પાન અને સફેદ ફૂલો સાથે ભેજવાળા વિસ્તારમાં ઝાડ નીચે જોવા મળે છે.બહું વર્ષાયુ છોડ છે .આખા છોડ પર સફેદ રુંવાટી હોય છે.
-મુળનો રસ ચામડીના રોગ મટાડવામાં તેમજ સ્વાસ્થ્યકારક ઉતેજક છે.
-પેટની તકલીફોમાં પાચનશકિત વધારવામાં ઉપયોગી છે.

Saturday, June 1, 2019

વનસ્પતિ પરીચય :જાવંત્રી/જાયપત્રી

જાવંત્રી/જાયપત્રી


લીલાં જાયફળના કોચલાની સૂકવેલી પતરી છે. જાયફળ પાકે ત્યારે તેની ઉપરની છાલ ફાટી જાય છે
અને અંદરના બીને વીંટાઈ રહેલ લાલ જર્દ રંગની જાળીદાર છાલ નજરે પડે છે.
તે છાલને જ જાવંત્રી કહે છે. જાવંત્રી મસાલામાં વપરાય છે. તેમાંથી સુગંધી તેલ પણ નીકળે છે. 
જાવંત્રીમાં સુગંધવાળું તેલ ૮ % પ્રમાણમાં હોય છે. તે સિવાય એક ચીકણો રોગાન પણ હોય છે.
 જાવંત્રી તેજાના તરીકે પણ વપરાય છે.
આયુર્વેદિક મત અનુસાર જાવંત્રી તીખી, કડવી, મુખને સ્વચ્છ કરનારી, વર્ણકારક, દીપન, લઘુ, કાંતિકારક, 
રુચિકર, ઉષ્ણ અને કફઘ્ન મનાય છે. તે અંગની જડતા, કફ, રક્તદોષ, દમ, ઉધરસ, ઊલટી, તૃષા, વિષ, 
વાયુ તથા કૃમિ મટાડનાર મનાય છે. તે અજીર્ણ, આફરો, ચૂંક તથા ઊલટી ઉપર  ઔષધ તરીકે વપરાય છે.

Thursday, May 30, 2019

આર્ટિકલ :વ્યસનથી મુક્તિ




આપણે પ્રાણીઓ માટે એક કહેવત છે, 'ઊંટ' મુકે આંકડો 

'બકરી' મુકે કાંકરો પણ બુધ્ધી શાળી ગણાતા માનવી 

કંઇ મુકતો નથી ઝેર પણ પીવે છે.'


                   મૂળથી છુટા પડી જતા વૃક્ષપર વસંતની કોઇ અસર થતી નથી

સંસ્કૃતિ સંસ્કારથી વંચિત રહી જતી પેઢી પર સદનિમિતોની અસર થશે કે કેમ એમાં શંકા છે .
સિંગરેટના દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિંગરેટ પીવી એ સ્વાસ્થય માટે હાનીકારક છે આવુ છાપેલ હોવા છતા આજનો માનવી તે ખાય છે.બાજુવાળો તમારા ઘરનાં આગણામાં તેમનો તમામ કચરો નાખવા આવે તો આપણે તેમને નાખવા નથી દેતા પણ રોજ આપ આપના પવિત્ર શરીરમાં પધરાવતા ગુટકા, માવા, તમાકુ માટે કોઇ દિવસ મન સાથે ઝઘડો કરેલ શરાબ જેવા કેફી પીણા તમારા શરીરમાં દાખલ કર્યા બાદ તમારા સંબંધીએ ના પાડવા છતા તેમને છોડીયા છે ખરા....
 ભલે મોત આવી જંતુ હોય અને આ શરીરથી વહેલા વિદાય થઈ જવું પડે પણ ગુટકા તો બંધ નહીંજ કરું દારૂ તો નહીંજ છોડુ સિગરેટ તો બંધ નહી કરું આવી વાતો કરનાર માટે એટલું કહેવાનું કે તારા શરીર પર તારા એકલાનો અધિકાર નથી તને મોટો કર્યો તે માતા-પિતા તારા છોકરા- પત્ની બધાનો અધિકાર છે.તો શા માટે આમ શરીરને જાતે કરી આ પરિસ્થિતિમાં નાખે છે તારા માટે તો નહી તારા નાના બાળકો માટે તો આ વ્યસન ના ભરડામાંથી મુક્ત થા.
આજના જમાનામાં જીવનનું સત્યનાશ કાઢનાર દારૂ, સિગારેટ અને ગુટકા જેવા વ્યસનોને સન્માનીયતા પ્રાપ્ત થઈ છે.
આ વિશે વડિલોએ પણ વિચારવા જેવું છે પણ વડિલો જ વ્યસન મુક્ત નથી તો પછી યુવા પેઢીને શિખામણ કોણ આપે નશો કરવો એ આપણા દેશનો જ પ્રશ્ન નથી પણ વિશ્વના બધા દેશના લોકો આ પ્રકારના નશીલા પદાર્થના વ્યસની બન્યા છે.આજના આધુનિક જમાનાની લોકોની ભાગદોડ વાળી જીંદગીમાં એક બીજાથી ચઢીયાતા બનવા માટે પ્રયત્ન કરે અને આના કારણે હરીફાઇના જમાનામાં તણાવ કે બેચેની અનુભવે આ માંથી મુક્ત થવા માટે નશીલા પદાર્થનું સેવન કરે આ વ્યસનો મજૂરો,ખેડૂતો અને વિધાર્થી ના કિસ્સા વધુ બહાર આવે .વ્યસનના પદાર્થ તમાકુ, દારૂ, ગુટકા, અફીણ, ગાંજૉ, સરસ, હેરોઇન વગેરે ઝેરી પદાર્થ છે.
માણસ કરતા પ્રાણીઓ ચતુર છે કેમકે તે વ્યસન કરતા નથી અને બુધ્ધિ શાળી માણસ પોતે જ રોગોને વ્યસન કરી નોતરે.
વ્યસથી મુક્તિ પામવા માટે વ્યક્તિની ઈચ્છા શક્તિ જ હોય છે જો વ્યસન છોડવુ હોય છતા મક્કમ શક્તિ વધારી તેમનું ધ્યેયે પુરુ કરી શકાય આવા ધ્યેય પ્રાપ્ત કરવા વ્યસનથી મુક્ત થવું પડે વ્યસન આપનું ગુલામ રહેતું નથી.
૩૧મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ એટલે કે 'વલ્ડ નો ટોબેકો ડે'ની ઉજવણી કરવામાં આવે છે આજ તમાકુ, ગુટકા, દારૂ જેવા વ્યસનનું પ્રમાણ એટલું વધ્યું છે કે ગામડામાં તો દસ-બાર વરસના છોકરા અને બાળાઓ ત્થા સ્ત્રીઓ પણ વ્યસનની ગુલામ બનવા લાગી છે. આજની આખે આખી યુવાપેઢી આ કીમતી જિંદગીને જોખમમાં મૂકવા લાગી છે.
ગુજરાતમાં જે પ્રમાણે પાન-મસાલા ત્થા ગુટકાનો ઊપયોગ વધી રહ્યો છે તે જોતા ભવિષ્યમાં ફાયબ્રોસીસનુ પ્રમાણ ભયંકર બધી જશે આ પ્રમાણે વસ્તીના 6 થી 9 ટકા જેટલું વધવાની શક્યતા છે.
માણસ શરીરથી પરિશ્રમ કરી ધન કમાય છે તે જ ધનનો વ્યસનોમાં ઊપયોગ કરી પોતે રોગોને નિમંત્રણ આપે જે શરીર દ્વારા પરિશ્રમ કરતો તેજ શરીરને વ્યસનના શિકાર દ્વારા ખોખલૂં બનાવી દેઈ છે...
જે શરીરને ગીતામાં ઈશ્વરનુ મંદિર સમાન ગણવામાં આવ્યું છે અને તેમા ઇશ્વરનો વાસ છે .એટલે કે ભગવાન શ્રી ક્રુષ્ણ ગીતામાં કહયું હુ દરેકના અંદર રહ્યો છૂ પણ માણસ બુધિશાળી કહેવાયઘરમાં ચોર ના ઘૂસીજાય તેમનું પુરતી કાળજી રાખે પણ પોતાના શરીરનુ ધ્યાન રાખતો નથી. વ્યકિત પાપ કરે તો એકલાને જ ખતમ કરે પણ વ્યસન તો આખા પરીવારને ખતમ કરે છે.અને બરબાદ કરી નાખે છે વ્યસન પ્રથમ માલિક બની આવે ને આખા શરીરને ખતમ કરી નાખે અત્યારે નહી તો પછી ક્યારે વ્યસનથી મુક્તિ.
સારું છે તેમને સાચવી આપનાવવુ કચરાના ઢગલા મા વચ્ચે સોનમહોર આ જોતા જ ઉઠાવીએ આ પ્રમાણે જગતમા ખરાબ ભલે ઘણુ બધુ આપણને દેખતું હોય પણ તે વચ્ચે સારુ છે તે આપણે બચાવી લેવુ જોઇએ ખાવા-પીવા જેવી ચીજવસ્તુ ઘણી બધી મૂકી આપણે આપણા મંદિર જેવા પવિત્ર શરીરમા દૂધ પીવાની બદલે શરાબ પીએ ફળ ખાવાને બદલે ગુટકા તમાકુ ખાઈએ તો આજ આપણી ભીતરમાં તપાસ કરી સારુ સંગ્રહ કરવાની જરૂર છે અને આજ વ્યસન માંથી મુક્ત થવાની જરૂર છે.
ભૂલ કરવા માટે કોઇ સમય સારો નથી અને થઈ ગઇલ ભૂલને જો સુધારી લેવી છે તો કોઇ સમય ખરાબ પણ નથી તો આજ માર્ગે ચાલવું જોઇએ.
વ્યસન છોડી કલાનો વિકાસ કર માનવી,
નહીંતર બનશે જિંદગી ઘરથી કબર સુધી.

Tuesday, May 28, 2019

છોડ પરીચય :કાળી એલચી

કાળી એલચી

  કાળી એલચી અથવા એલચો એ એક તેજાનો છે.
 આ Zingiberaceae કુળની બે પ્રજાતિમાંની એકમાંથી આવે છે.
આના પોપટામાં તીવ્ર કપૂર જેવી સોડમ હોય છે
. સૂકવણીની પદ્ધતિ અનુસાર તેમાં એક ધુમ્ર ખુશબો પણ આવે છે.
રસોઈમાં એલચાનો ઉપયોગ ભારતીય લીલી એલચીની જેમ જ થાય છે.
જોકે તે એલચીની સોડમ જુદી હોય છે. લીલી એલચી મીઠાઈ માં વપરાય છે,
 પણ એલચો ભાગ્યેજ મીઠાઈમાં વપરાય છે
.પરાંપરાથી આને જ્વાળાની ઉપર સુકાવાતી હોવાથી તેમાં એક પ્રકારની ધુમ્ર સુગંધ હોય છે
#વૈદક ઉપયોગ
કાળી એલચીનો ઉપયોગ પેટની પાચન સંબંધી તકલીફો અને મલેરિયાના ઉપચારમાં થાય છે.

Friday, May 24, 2019

વનસ્પતિ પરીચય : બલા/ખરેટી

બલા/ખરેટી
બલા ચોમાસામાં ૨થી ૩ ફૂટ ઊંચા છોડ સર્વત્ર ઊગી નીકળે છે. ઔષધ ઉપચારમાં આ બલાનાં બીજ  અને મૂળનો અધિક ઉપયોગ થાય છે.
->બલા સ્વાદમાં મધુર, શીતળ, પચવામાં ભારે, ત્રિદોષનાશક, બળપ્રદ, પુષ્ટિકર, ઓજવર્ધક, ગર્ભસ્થાપક તથા ઉદરવાયુ, પક્ષાઘાત, અડદિયો વા, સંધિવા વગેરે વાયુના વિકારો, સંગ્રહણી, હૃદયની નબળાઈ, સોજા અને તાવનાશક છે.
->તેનાં બીજ  સ્વાદમાં મધુર અને તૂરા, શીતળ, પચવામાં ભારે, કામોત્તેજક, સ્તંભક તથા શ્વાસ, શ્વેતપ્રદર અને મૂત્રાધિક્ય મટાડનાર છે.
->અવબાહુક રોગમાં કોઈ પણ એક હાથ જકડાઈ જાય છે અને ઊંચકી પણ શકાતો નથી. એક મહિના સુધી બલાના મૂળનો ઉકાળો રોજ સવારે પીવાથી અને બલાતેલનું માલિશ કરવાથી આ રોગમાં સારો ફાયદો થાય છે.
->બલાના મૂળમાં ઈફ્રેડ્રીન નામનું તત્ત્વ રહેલું છે. એટલે દમના દર્દીઓ રોજ બલાના મૂળનો ઉકાળો પીવે અથવા મૂળનું ચૂર્ણ રોજ પાણી સાથે લે તો તમને ઘણી રાહત અનુભવાશે.
->સંધિવા, લકવો, કમરનો દુખાવો, કંપવા વગેરે બધા જ પ્રકારના વાયુના વિકારો પણ મટે છે.
->બલાના મૂળ સ્ત્રીઓને જેમાં સફેદ પાણી પડે છે એ શ્વેતપ્રદર રોગનું પણ ઉત્તમ ઔષધ છે.

Thursday, May 23, 2019

કવિતા :વૃક્ષો વાવીએ

        *વૃક્ષો વાવીએ* 

આવી આવી વરસાદની ઋતું , 

સૌ સાથે મળી વૃક્ષો  વાવીએ .

ઉનાળામાં ગરમી ખુબ લાગી રે , 

આ તો વૃક્ષ થકી  આવે વરસાદ . 

આપણો ઓક્સિજન વૃક્ષ પ્રાણ, 

વૃક્ષને નડતર  રૂપ નહીં ગણીએ .

સમય કાઢી વૃક્ષા રોપણ કરીએ , 

પ્રેમથી તેમની જાળવણી કરીએ .

આવી આવી વરસાદની ઋતું , 

સૌ સાથે મળી  વૃક્ષો  વાવીએ .


 -રાજેશ બારૈયા "વનવાસી "

Tuesday, May 21, 2019

ઔષધિય છોડ :કીડામારી

#કીડામારી


કીડામારીના છોડ ખેતરના શેઢે થાય છે. પામ, ગોળ ધૂસર રંગના, ફૂલ કીરમજી
 રંગના,
 ફળના ડોડવા બોર જેવડા, ડોડાને ફોડવાથી કાળા બીજ નીકળે છે.
=>કીડામારી કડવી, ગરમ, સોજાનો અને કૃમીનો નાશ કરનાર, 
ખાંસી, મટાડનાર, રુચી ઉત્પન્ન કરનાર (પણ સ્વયં અરોચક) છે. 
વાત, કફ અને જ્વરને હરનાર છે.
=>સોજા ઉપર તેનો રસ ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
=>ઢોરને જીવાત પડી હોય તો તેનાં પાન લસોટી લેપ કરવાથી 
બધી જીવાત નીકળી જાય છે.
=>કબજીયાત રહેતી હોય તો અડધી ચમચી કીડામારીના 
પંચાંગનો ઉકાળો કરી પીવાથી ફાયદો થાય છે.
=>નાના બાળકને કબજીયાત રહેતી હોય અને 
આ કારણથી જ રડ્યા કરતું હોય તો કીડામારીના પાન પર દીવેલ લગાડી 
સહેજ ગરમ કરી બાળકની નાભી પર બાંધવાથી ઝાડો સાફ ઉતરે છે.
=>પેટમાં કૃમી થયા હોય તો કીડામારીના પાનનો રસ અડધી ચમચી 
રોજ રાત્રે ચાર-પાંચ દીવસ લેવાથી કૃમી નીકળી જાય છે અને 
શરીરનું વજન વધે છે.

Friday, May 17, 2019

હાઈકુ

ચીમની ઓકે 

હવામાં પ્રદૂષણ 

  નાકને પીડા .

-રાજેશ બારૈયા "વનવાસી"

Wednesday, May 15, 2019

વનસ્પતિ પરીચય :વાવડીંગ (Embelia ribes)

વાવડીંગ (Embelia ribes )


વાવડીંગનો છોડ પાંચ ફૂટ જેટલો વધે છે. વાવડિંગ એક વિશાળ જાડી  ક્ષુપ આકારની વેલ છે.
 તેના પાન પાંચ  આંગળ લાંબા તથા ત્રણ આંગળ પહોળા હોય છે. 
તેનાં પર આવતાં ફળના ગુચ્છનને વાવડીંગ કહે છે 
.વાવડીંગ કૃમીનાશક હોવાથી બાળકોમા વધારે વપરાય છે .
=>વાવડીંગ  તીખાં, તીક્ષ્ણ, ગરમ, રુક્ષ, અગ્નીને પ્રદીપ્ત કરનાર અને હલકાં છે.
=>વાવડીંગ શુળ, અાફરો, પેટના વીભીન્ન રોગો, કફ, કૃમી, વાયુ તથા કબજીયાત મટાડે છે.
=>વાવડીંગ ઉત્તમ કૃમીનાશક, બળપ્રદ, વાયુનાશક, મગજ અને નાડીઓને બળ આપનાર, 
લોહીની શુદ્ધી કરનાર અને રસાયન છે. એનાથી ભુખ સારી લાગે છે, 
આહાર પચે છે, મળ સાફ ઉતરે છે, વજન વધે છે, ચામડીનો રંગ સુધરે છે.
=>એક ચમચી વાવડીંગનું ચુર્ણ રાત્રે ગોળ સાથે ખાવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે.
=>આશરે ત્રણથી પાંચ ગ્રામ વાવડીંગનું ચુર્ણ તાજી મોળી છાશમાં મેળવી 
સવાર-સાંજ પીવાથી અગ્નીમાંદ્ય, અરુચી, ઉબકા, ઉલટી, અપચો, આફરો, 
પેટમાં વાયુ ભરાવો, ઉદરશુળ, મોળ આવવી વગેરેમાં ઉત્તમ લાભ થાય છે.
=>સમાન ભાગે વાવડીંગ અને કાળા તલ ભેગા કરી લસોટીને સુંઘવાથી આધાશીશી મટે છે.

Tuesday, May 14, 2019

વનસ્પતિ પરીચય :કરેણ

કરેણ


કરેણ સામાન્ય રીતે બાગમાં જોવા મળે છે. આ વનસ્પતિ છથી દશ ફૂટ જેટલટી ઊચાઇ ધરાવતું
સર્વત્ર જોવા મળતું ફૂલઝાડ છે.
=>કરેણ સફેદ, પીળી તથા લાલ એમ ત્રણ જાતની થાય છે, જેમાં પીળી કરેણ અન્ય કરતાં વધુ ઝેરી હોય છે.
=>સફેદ કરેણના મૂળને પાણીમાં ઘસી કપાળે લેપ કરવાથી કફ-વાયુની મસ્તકપીડા મટે છે.
=>દાદર થઈ હોય તો કરેણના પાનને શેરડી સાથેં વાટીને લેપ કરવો.
=>સાપ કરડયો હોય કે વીંછીનો ડંખ લાગ્યો હોય તો ધોળી કરેણનું મૂળ પાણીમાં ઘસી ડંખ પર
 લેપ કરવો અને ૧-૨ ચમચી પાનનો રસ પી જવો. આમ કરવાથી જો બેચેની જેવું લાગે તો ઉપર થોડું ઘી પી જવું.
=>કરેણનું મૂળ ખોદી લાવી દર્દીના કાને બાંધવાથી મલેરિયા તાવ મટે છે.

Monday, May 13, 2019

વનસ્પતિ પરીચય :ચારોળી/ચારોલી, (Buchanania lanzan)

ચારોળી/ચારોલી, (Buchanania lanzan)


ચારોળી/ચારોલીના વૃક્ષો મધ્યમ મોટાં હોય છે .સૂકા પાનખર જંગલનું વૃક્ષ છે .તેના ઉપર બકરાના કાન જેવા રુંવાટી યુક્ત પાન થાય છે.અને આ પાનના પતરાળા બને છે .ઝાડ ઉપર ફુલ પોષથી ફાગણ માસ સુધી આવે છે.અને ફળ ફાગણથી ચૈત્ર માસ સુધી આવે છે.ફળ ગુલાબી લાલ નાનાં ફાલસાજેવા હોય છે .બોરની જેમ તે ખવાય છે  જેમાં તુવેર જેવા લાલ રંગના દાણા હોય છે. આ દાણા જ ચારોળી તરીકે ઓળખાય છે.
બીજના કડક પડમાં રહેલ ચપટા, થોડા પોચા દાણા હોય છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. સ્વાદમાં જરાતરા બદામ જેવી ચારોળીનો ઉપયોગ ભારતીય પકવાનોં, મિઠાઇ તેમ જ ખીર ઇત્યાદિમાં સુકામેવા તરીકે કરવામાં આવે છે.
આનું ઉત્પાદન સમગ્ર ભારતમાં, મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ ભારતમાં, થાય છે.
=>ચારોળી વાયુનાશક, બળવર્ધક, વીર્યવર્ધક, મધુર, પૌષ્ટીક, કામશક્તી વધારનાર તથા વાયુ અને પીત્તનો નાશ કરનાર છે.
=>રક્તપીત્તમાં ચારોળી અને જેઠીમધથી પકવેલું દુધ પીવું
=>ચામડી પર એલર્જીનાં થયેલાં ચકામા પર ચારોળીના દાણા પાણીમાં લસોટી લેપ કરવાથી તે શમી જાય છે.
=>ચારોળી પીત્ત, કફ તથા લોહીના બગાડને મટાડે છે .
=>કામ કરીને થાક્યા હો તો અડધાથી એક ચમચી ચારોળીનો ભુકો એટલી જ સાકર એક ગ્લાસ દુધમાં નાખી ઉકાળીને પીવાથી થાક દુર થાય છે.
=>ચારોળીનું તેલ બદામના તેલ જેવા ગુણવાળું હોય છે શીળવા પર ચોળી દૂધમાં વાટી ચોપડવાથી ફાયદો થાય છે.

Sunday, May 12, 2019

હાઈકુ :માં

  પ્રેમ માતાનો 

પામવા જન્મે અહીં 

      ઈશ્વર ખુદ .

-રાજેશ બારૈયા "વનવાસી"

વનસ્પતિ પરીચય :ગુંદો (Cordia Dichotoma)

ગુંદો (Cordia Dichotoma)

ગુંદો સમગ્ર ભારત મા જોવા મળતું વૃક્ષ છે.મોટા ભાગના લોકોને પ્રિય હોવાથી તે એકદમ નજીકનું જ લાગે.
ગુંદો જેનાં અડધાથી એક ઈંચના વ્યાસના કાચા હોય ત્યારે લીલા અને પાકે ત્યારે બદામી વર્ણના ફળ હોય છે.
ખૂબ જ ચીકણું ફળ હોવાને કારણે તેને શ્લેષ્માતક કહે છે.
=>રોગોને ઊખાડીને ફેંકનાર,બીજુ એક નામ શેલુ છે.
 =>ગુંદો એ ચીકણો , ભારે , પિચ્છિલ છે .સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે.તેની છાલ તૂરી અને કડવી છે. પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે તે ઠંડી પ્રકૄતિ ધરાવે છે.
=>તેની છાલ કષાય રસ અને કડવી હોવાને કારણે કફ પિત્તનો નાશ કરનાર છે.
 =>કર્ણશૂલમાં તેની છાલનો પાણી સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થશે.
=>વીંછીના ડંખ પર છાલનો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષનો પ્રભાવ ઘટે છે.
=>નાનાં જીવજંતુ, મધમાખી વગેરે નાં ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરત રાહત આપે છે.
=>મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર આપવાથી પાચનતંત્ર ને સુધારીને આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે.
=>રકત્તપિત્તના રોગમાં તેની પિત્તશામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રકત્તગત પિત્તનું શમન થાય છે અને આવા દર્દીમાં ગુંદા એ અતિ પથ્ય આહાર તરીકે ખૂબ જ લાભદાયી છે .
=>તાવના દર્દીમાટે ગુંદા એ માત્ર પથ્ય આહાર જ ન બનતાં તે તાવની ગરમીની તીવ્રતા ઘટાડીને બળ આપે છે તે તાપમાન ઓછું કરવામાં ખૂબજ મદદરૂપ બની રહે છે.
=>ગુંદા ના ફૂલ નું શાક ખૂબ સ્વાદિષ્ટ થાય છે .એમના ફળ નું પણ શાક બને એક વાત ખાસ એઁમનું બોળો કરેલ અથાણું તો બધાએ ખાધેલ હશે.

Saturday, May 11, 2019

વનસ્પતિ પરીચય :લીંબુડી

લીંબુ


લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે. તે સાઇટ્રિક ઍસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પુરી પાડવા લીંબુનો રસ નાખવામાં આવે છે. આ ઉપરાંત શરબત બનાવવા માટે પણ લીંબુનો રસ બહોળા પ્રમાણમાં વાપરવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને
ગુજરાત રાજ્યમાં લીંબુનો ઉપયોગ અથાણાં બનાવવા માટે કરવામાં આવે છે.
=>લીંબુ તીક્ષ્ણ વાયુનાશક, આહાર પચાવનાર, ભુખ લગાડનાર, પચવામાં હલકું, પેટનાં દર્દને મટાડનાર અને પેટના કૃમીઓનો નાશ કરનાર છે. તે ઉલટી, પીત્ત, આમવાત, અગ્નીમાંદ્ય, વાયુ, વાયુના રોગો, કૉલેરા, ગળાના રોગો, ઉધરસ અને કફ દુર કરે છે.
=>લીંબુ પેશાબ વાટે યુરીક એસીડનો નીકાલ કરે છે.
=>લીંબુના રસથી દાંત અને પેઢાં સ્વચ્છ થાય છે. પાયોરીયા અને મોંની દુર્ગંધ દુર થાય છે.
=>યકૃતની શુદ્ધી માટે લીંબુ અકસીર છે.
=>અજીર્ણ, છાતીની બળતરા, સંગ્રહણી, કૉલેરા, કફ, શરદી, શ્વાસ વગેરેમાં લીંબુ ઔષધનું કામ કરે છે.
=>લીંબુના રસમાં ટાઈફોઈડનાં જંતુઓ તરત જ નાશ પામે છે.
=>લીંબુનાં સેવનથી પીત્ત શાંત થાય છે.
=>લીંબુથી લોહી શુદ્ધ થવાથી શરીરમાં તાજગી અનુભવાય છે.
=>લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે. આંખોનું તેજ વધારે છે. રોજ એક લીંબુનો ઉપયોગ કરવાથી સ્વસ્થ અને પ્રસન્ન રહી શકાય.
=>લીંબુના ફાડીયા પર નમક, જીરુ, કાળાં મરી, સુંઠ અને અજમાનું બારીક ચુર્ણ ભભરાવી જરાક ગરમ કરી ભોજન પુર્વે ધીમે ધીમે ચુસવું. એનાથી રુચી ઉઘડે છે અને વાયુ નીચે ઉતરે છે. હેડકી, ઉધરસ, આફરો જેવા વાયુના રોગોમાં પણ એનાથી લાભ થાય છે.
=>લીંબુમાં વીટામીન સી હોવાથી દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો નવશેકા પાણીમાં લીંબુ પીવાથી મટે છે.
=>લીંબુ આલ્કલાઈન હોવાથી એસીડીટીમાં ઉત્તમ ગુણકારક છે.
=>લીંબુના છોતરામાં વધુ પ્રમાણમાં પોષક તત્વ મળી આવે છે, જેમાં ઈમ્યુન સીસ્ટમ ને મજબુત કરવા, કોલેસ્ટ્રોલને સામાન્ય કરવા અને કેન્સરને વધતો અટકાવવાની ક્ષમતા પણ હોય છે.
=>લીંબુના છોતરામાં એન્ટી માઈક્રોબીએલ ઈફેક્ટ ખુબ વધુ હોય છે અને તે બેક્ટેરીયલ અને ફંગલ ઇન્ફેકશન થી બચાવ કરે છે. લીંબુ દરેક ડીટોક્સ વિધિ નો એક જરૂરી ભાગ છે, પછી ભલે આપણે આ લીંબુ પાણીની જેમ કે લીંબુનીં ચા બનાવીને ઉપયોગ કરીએ

Thursday, May 9, 2019

વનસ્પતિ પરીચય :જટા માસી

જટામાંસી


હિંદીમાં તે બાલછડના નામથી તથા સંસ્કૃતમાં जटामांसी કે मासीना નામથી ઓળખાય છે.
બારેમાસ થનાર આ જમીન પર પથરાયેલા છોડમાં એક વિશેષ પ્રકારનું સુગંધી તેલ હોય છે
જેના કારણે તેમાં ઔષધીય ગુણો ભરેલા છે.જટામાંસી
 એ જમીનમાં અને ખાસ કરીને રેતાળ પ્રદેશમાં થતી હોય છે .
=>તે લઘુ, સ્નિગ્ધ અને શીત ગુણયુકત છે.તેમજ સ્વાદે –કડવી, તૂરી અને કંઈક અંશે મધુર પણ છે
.તે પચવામાં તીખી છે.
કર્મની દ્રષ્ટિએ વિચાર કરીએ તો તે સ્નિગધ, શીત વીર્ય અને કટુ વિપાકી એમ ત્રણેય દોષનો
 નાશ કરનાર હોવાથી ત્રિદોષહર છે
=>જટામાંસી એ તેના સંજ્ઞાસ્થાપન ગુણને કારણે મુખ્યત્વે માનસ રોગ અને મસ્તિષ્ક્ના રોગમાં ખૂબ જ 
પ્રભાવી રીતે પરિણામ આપનાર એક દુર્લભ વનસ્પતિ છે.
=>જટામાંસીનું નિત્ય ચૂર્ણ અડધો ગ્રામ બે વાર દૂધ સાથે લેવાથી ઊદરમાં ગરમી આવે છે.
તે વાયુને ઊર્ધ્વ તરફ ધકેલે છે જેને કારણે ઓડકાર આવીને પરસેવો થતાં નાડીતંત્રમાં સંજ્ઞા આવે છે.
=>સ્નાયુની નબળાઈ તથા સર્વાંગ દોર્બલ્યની સ્થિતિમાં જટામાંસી દૂધ સાથે લેવાથી
 તે નાડીતંત્રને પુષ્ટ કરવાને કારણે થાક ઓછો કરે છે.
=>જ્ઞાનતંતુના વિકારને કારણે ઊત્પન્ન માથાના દુખાવામાં જટામાંસીનો આભ્યાંતર અને 
બાહ્ય શિરોભ્યંગ સ્વરૂપે પ્રયોગ અતિ લાભદાયી નીવડે છે.
=>મૂત્રકૃચ્છ પેશાબ અટકીને આવવો તથા મૂત્રાશયના સોજામાં 
જટામાંસીનો ઊકાળો ગોખરુનાં ચૂર્ણ સાથે આપવાથી ફાયદો થાય છે.
=>કેશ કલ્પ તરીકે વપરાતાં તમામ યોગોમાં જટામાંસી એ એક આવશ્યક અંગ છે
 તેના ઊપયોગથી વાળ સફેદ થતા અટકે છે. અકાળે પાકતાં (સફેદ થતાં) 
વાળની સમસ્યામાં જટામાંસીથી સિધ્ધ કરેલ તેલની નિત્ય મસ્તિષ્કમાં માલિશ કરવાથી
, તેનો નસ્ય તરીકે પ્રયોગ કરવાથી તથા શિરોધારા તરીકે પણ પ્રયોગ કરીને વાળ સફેદ થતાં અટકાવી શકાય છે.

Wednesday, May 8, 2019

વનસ્પતિ પરીચય :અળવી


અળવી (કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા)


બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં
મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે.
આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. અળવી અત્યંત પ્રસિદ્ધ અને
 સૌને માટે પરિચિત હોય તેવી વનસ્પતિ છે. અળવીની પ્રકૃતિ ઠંડી અને તર હોય છે. અળવીની અનેક જાતો થાય છે:
રાજાળુ, ધાવાળું, કાળીઅળુ, મુંડળેઅળુ, ગીમઅળુ અને રામઅળુ. એ સર્વમાં કાળી અળવી ઉત્તમ છે.
કેટલીક અળવીને મોટા અને કેટલીકને ઝીણા-નાના કંદ હોય છે, જેની તરેહતરેહની વાનગીઓ બનાવાય છે.
અળવીના પાનમાંથી પાત્રા કે પતરવેલીયા તરિકે ઓળખાતી પ્રખ્યાત ગુજરાતી વાનગી બને છે.
અળવીની ગાંઠોનું શાક બને છે, જે ખાસ કરીને ફરાળ તરિકે ખાવામાં આવે છે.
અળવી રક્તપિત્તના ઉપચારમાં વપરાય છે અને તે ઉપરાંત ઝાડા બંધ કરનારી અને વાયુ પ્રકોપ કરનારી વનસ્પતિ છે.
આયુર્વેદીક મત અનુસાર શીતળ, અગ્નિપ્રદિપક , બળની વૃદ્ધિ કરવા વાળી અને સ્ત્રિઓ માટે
સ્તનોમાં દૂધ વધારનાર ખોરાક છે.
કોમળ પાનના રસને જીરાના ભુકામાં મેળવી આપતા પિત્ત પ્રકોપ મટે છે.
અળવીના પાનના રસ ૩ દિવસ સુધી પીવાથી સે પેશાબની બળતરા મટે છે.
અળવીના પાનની દાંડીઓ બાળી તેની રાખ તેલમાં મેળવી લગાવતા ફોડી ફોડા મટે છે.
હિલાઓના દૂધની વૃદ્ધિ
અળવીનું શાક ખાવાથી દુગ્ધપાન કરાવવા વાળી સ્ત્રિઓ નું ઓઓધ વધે છે
 રક્તપિત્ત (ખૂની પિત્ત) હોને પર અળવીના પાનનું શાક રક્તપિત્તના રોગીઓ માટે લાભકારી છે.
અળવીના પાન તેની દાંદી સાથે ઉકાળી તેનું પાણી કાઢી તેમાં ઘી મેળવી ૩ દિવસ સુધી સેવન કરતા વાયુનો ગોળો દૂર થાય છે.
અળવીનું શાક રોજ ખાવાથી હૃદયરોગમાં લાભ થાય છે

Monday, May 6, 2019

વનસ્પતિ પરીચય :રામફળ


રામફળ


=>એક મીઠું ફળ છે. તેનું ઝાડ મધ્યમ ઊંચાઈનું હોય છે. રામફળના વૃક્ષનાં પાંદડા જામફળનાં પાન જેવા હોય છે.
ઝાડ ઓછા પ્રમાણમાં મળી આવે છે. રામફળ ઉનાળામાં આવતું ફળ છે. ફળનું આવરણ તપખીરી કેસરી રંગનું હોય છે
. રામફળ એ સીતાફળની જાતીનું છે
ખાવામાં અતિશય સ્વાદિષ્ટ
તેનાં બી સીતાફળમાં થાય છે તેવાં જ પણ પીળા રંગનાં હોય છે.ગાઢ જંગલોની લીલાશ વચ્ચે આ 
ફળ પાકતું હોઈ તેને રણફળ અગર જંગલી ફળ કહે છે. તે ‘રાનફળ’ ઉપરથી  ‘રામફળ’ નામ થઈ ગયું છે.
કાઠિયાવાડમાં મહુવા આઓ તો આ માર્ચ, એપ્રિલ, મે માસમાં રામફળ મળે તો ખાજો.
રામફળ સ્વાદમાં મધુર હોય છે,
=>એ વાયુ અને કફવર્ધક, રક્તદોષનાશક, ગ્રાહી (સંકોચક) તથા અરુચી, 
દાહ-બળતરા, પીત્ત, થાક, પેટનાં કૃમી, મરડો, વાઈ-એપીલેપ્સી મટાડે છે.
=>રામફળના ઝાડની છાલનું ચુર્ણ સવાર-સાંજ અડધી ચમચી જેટલું થોડા દીવસ લેવાથી 
નવો કે જુનો મરડો હોય તે પણ મટે છે.
=>રામફળ સ્ત્રીઓને મેન્સ્ટ્રુએશન- માસિકસ્ત્રાવમાં તકલીફ થાય તેને માટે સારું છે.
=>રામફળમાં ભરપૂર પોટેશિયમ છે એટલે રામફળ ખાવાથી માનવીના સ્નાયુ મજબૂત થાય છે.
=>લેવેન્ડરના તેલ સાથે રામફળની લુગદી ભેળવીને શરીરે મસાજ કરવાથી ચામડી સુંદર બને છે.
=>માથામાં ખોડો થયો હોય તો રામફળના વૃક્ષની છાલને વાટીને તેને ખોડા ઉપર લગાવાય છે.
=>મોંઢાના ખીલ માટે રામફળનો ગર્ભ એ મલમ જેવું કામ કરે છે.

Sunday, May 5, 2019

વનસ્પતિ પરીચય :રૂખડો

રૂખડો


રૂખડો અથવા ગોરખ આમલી અથવા ચોર આમલો તરીકે ઓળખાતું એક વૃક્ષ છે,
 ૨૦૦૦ વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા આ ઝાડનું થડ ખૂબજ જાડું હોય છે. 
ફૂલ સફેદ અને મોટાં હોય છે. ફળ ભૂખરા-બદામી રંગનાં નાની તુંબડી જેવાં હોય છે. તેનું થડ લિસ્સું હોવાને કારણે તેના પર શિકારી પ્રાણીઓ સહેલાઈથી ચડી શકતાં નથી, 
આને લીધે આ વૃક્ષની બખોલમાં ઘણાં પક્ષીઓ માળો બનાવતાં હોય છે.
=>આ વૃક્ષની છાલમાં કાપ મૂકતાં તેમાંથી ગુંદર ઝરે છે, 
જે પાલતુ જનાવરોના શરીર પરના ઘા મટાડવા ઉપયોગી છે.

Friday, May 3, 2019

વનસ્પતિ પરીચય :અગથિયો

અગથિયો :(Sesbane)


અગથિયો પાણી વાળી જમીનમા તેમના ઝાડ પુષ્કળ ઝડપથી  વધે છે અને 15 થી 30 મીટર ઊઁચા જાય છે .
એનાં વૃક્ષોનું આયુષ સાતથી આઠ વર્ષનું જ હોય છે.
=>રાતા અને ધોળા ફૂલોવાળી અગથિયાની બે જાત થાય છે. 
એનાં પર્ણો આમલીનાં પર્ણો જેવાં નાનાં અને સામસામા હોય છે.
=>એને ફૂલો અને શિંગો આવે છે. ફૂલનાં વડાં, ભજિયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે. 
=>ગુણોની દૃષ્ટિએ અગથિયો રૂક્ષ, શીતળ, ત્રિદોષનાશક અને મધુર છે
. ઉધરસ, કફ, શ્રમ, વૈવર્ણ્ય, ચોથિયો તાવ અને પિત્તને શાંત કરે છે.
=>એનાં ફૂલ કડવા, તુરા, થોડા શીતળ અને વાયુ કરનાર છે. સળેખમ અને રતાંધળાપણું દૂર કરે છે.
=>એનાં પર્ણો અને ભાજી તીખી, કડવી, કૃમિ, કફ, ખંજવાળ મટાડે છે.
=>રાતા અગથિયાનો રસ સોજા પર લગાડવાથી સોજા મટે છે.
=>અગથિયાનાં પાદડાનાં રસ નાં ટીપા નાકમા નાખવાથી શરદી અને તાવ મટે છે.
=>વાયું નો પ્રકોપ હોય તો તેમની છાલ થી રાહત થાય.
=>પાન નાં રસમા ઘી મિક્સ કરી તે ગાયના દૂધ મા એક ચમસી નાખી પીવાથી રતઆંધળા પણુ અને 
અન્ય આંખની તકલીપ દૂર થાય.

Thursday, May 2, 2019

વનસ્પતિ પરીચય :દારૂડી

દારૂડી (Prickly poppy)


દારૂડી ,સત્યાનાશીના આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે.
 ખાસ કરીને સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે. 
આ તમને ખેતર,ખળું,નદી,નાળા જેવી દરેક જગ્યાએ મળશે. 
આ બે પ્રકારના ફૂલોવાળા હોય છે.એક પીળો અને એક સફેદ ફૂલવાળો.
આ બંને પ્રકારના છોડ ઔષધીયરૂપે સમાન હોય છે
.આના પાંદડા કાંટાળા હોય છે જેને તોડવાથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.
=>દારૂડી આ એટલો ગુણકારી છોડ છે કે ગમે તેટલો જૂનો ઘા હોય 
કે ધાધર,ખસ,ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે.
=>નપુંસકતા-એના માટે દારૂડી (સત્યાનાશી)ના મૂળિયાને વાટીને 
એક સત્યનાશીના મૂળનો પાવડર અને તેટલીજ માત્રામાં વડનું દૂધને મેળવી
 ચણાના આકારની ગોળીઓ બનાવી લો.
 આ ગોળીઓને સતત 14 દિવસ સુધી સવાર-સાંજ પાણીની સાથે 
આપવાથી નપુંસકતા રોગ દૂર થાય છે. આ પણ એક રામબાણ ઉપાય છે.
=>અસ્થમા-એના માટે સત્યાનાશીના મૂળિયાનું ચૂરણ 
એક થી અડધો ગ્રામ ગરમ પાણી સાથે લેવાથી અસ્થમા મટી જાય છે.


.દવામા ઉપયોગ કરતા પેલા વૈધની સલાહ લેવી

Wednesday, May 1, 2019

વનસ્પતિ પરીચય :નાગલી


નાગલી (Eleusine coracana)
 નાગલી અથવા રાગી સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે.
=>ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ , વલસાડ , નવસારી , તાપી તેમ જ
સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી,
 તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.  નાગલી મૂળ રૂપમાં  ઊઁચાઇ ધરાવતા પ્રદેશોમાં
અનુકૂળતા સાધવામાં નાગલી સમર્થ વનસ્પતિ છે.
=>નાગલી પોષક તત્વોથી ભરપુર તૃણ ધાન્ય પાક છે. તેના દાણામાં પ્રોટીન,
ખનજ તત્વ અને વિટામીનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.
=>નાગલીમાં રેસાની માત્ર વધારે હોવાથી ડાયબિટિસ અને é
દયરોગના દર્દીઓ માટે ખુબ લાભદાયક છે.
 =>નાગલીમાં કેિલ્શયમ અને આર્યનનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતાં
 સવિશેષ હોવાથી તેનો ઉપોયગ કુપોષણ દૂર કરવામાં અને
 બેબી ફ્રુડ બનાવવામાં થાય છે.
=>નાગલી ઉગાડતા આદિવાસી ખેડતો નાગલીના લોટમાંથી
રોટલા બનાવી ખાય છે. આ ઉપરાંતતેના લોટમાંથી બસ્કિીટ,
ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી જુદીજુદી મૂલ્યવર્ધક
વાનગીઓ બનાવી શકાય છે.

Tuesday, April 30, 2019

વનસ્પતિ પરીચય :આંબો

ગુજરાતનું_રાજ્ય_વૃક્ષ_આંબો

આંબો (mangifera indica)


આંબાના ઝાડ ભારતમાં બધે જોવા મળે છે.આંબાની અનેક જાતો છે.
આંબાપર શિયાળામાં  મોરના ફૂલ આવે છે.
અને તેના પર કેરી થઈ ઉનાળામાં પાકે છે.પાકી કેરી નો રસ મધુર સ્વાદિષ્ટ હોય
 આના સેવનથી લોહી વધે છે.કાચી કેરીની અનેક જાત 
અથાણા બનાવવા અને મૂરબ્બોમાં પણ વપરાય છે.

ઔષધ ઉપાય:


=>પાકી કેરીનો રસ મધ મેળવીને ખાવાથી કફના રોગો તથા બરોળના રોગો મટે છે.
=> આંબાની ગોટલી દહીંમાં વાટીને પીવાથી કાચા ઝાડા અથવા આમાતીસાર મટે છે.
=>કેરીની ગોટલીના ચુર્ણને પાણીમાં કાલવી તેને શરીરે ચોળીને સ્નાન કરવાથી અળાઈ મટે છે.
=>કેરીની ગોટલી છાશ અથવા ચોખાના ધોવરામણમાં આપવાથી રક્તાતીસાર મટે છે.
=>આંબાની અંતર છાલ, ઉમરાના મુળની છાલ અને વડની વડવાઈનો રસ કાઢી તેમાં જીરું અને ખડી સાકર મેળવીને લેવાથી શરીરની સર્વ પ્રકારની ગરમી મટે છે.
=>કેરીની ગોટલીનું ચુર્ણ મધ સાથે આપવાથી દુઝતા હરસ શાંત થાય છે.
=>વીંછીં ડંખે તરત કેરીનો ચીક લગાવવાથી મટે છે.
=>નસકોરી ફુટે ત્યારે ગોટલીનો રસ નાખવાથી રાહત થાય.
=>ગોટલીનું ચુર્ણ કરી દહીં  સાથે આપવાથી ઝાડા મટે છે.

Monday, April 29, 2019

વનસ્પતિ પરીચય :બીયો

બીયો(pterocarpus marsupium)


પાનખર ભેજવાળા જંગલોમાં જોવા મળતું મોટા કંદનું વૃક્ષ
છે.જેની છાલ કાઢવાથી લાકડું લાલ રંગનું દેખાય છે.
થડ કથ્થઈ રંગનું હોય છે.તેમના ફૂલ પીળા અને 
બીજ ફરતે જલર જોવા મળે છે .
=>તેનું લાકડું ઠંડી કે ગરમીમાં ફૂલતું કે સુકાતું નથી. 
તેનો ઉપયોગ વાદ્ય બનાવવા માટે થાય છે.
=>લાકડાને પાણીમાં પલાળી તે પીવાથી મધુપ્રમેહમાં રાહત રહે છે.
=>ગુંદર અતિસાર,પેઢાં ફૂલી જવામાં અને દાંતના દુ:ખાવામાં વપરાય છે.
=>પાન ગુમડાં,ઉઝરડા,ચામડીનાં દર્દમાં લસોટી વપરાય છે.

Sunday, April 28, 2019

વનસ્પતિ પરીચય :દમવેલ

દમવેલ(tylophora indica)


આંકડાના પાનને મળતાં નાનકડા પાન હોવાથી તેને અર્કપત્રી કહે છે
. લોકભાષામાં તે 'દમવેલ' તરીકે પણ ઓળખાય છે
. વેલ પર આકડાના છોડ પર થાય છે તેવા જ નાનકડા ફૂલ પણ આવે છે.
 આ વેલ બધે જ ઊગી શકે છે. અને ખૂબ ફેલાય છે
. જમીન પર એના બીજ પડવાથી નાના નાના ઘણા છોડ ઊગી નીકળે છે. 
=>દમ શ્વાસની એ એક અકસીર દવા છે
. લેટિન ભાષામાં એને ટાઈલો ફોરા ઇન્ડિકા  કહે છે.
=>વર્ષો પહેલા એને 'ટાઈલોફોરા એસ્થમેટિકા' નામથી ઓળખવામાં આવતી હતી.
=>પાન સૂકવીને  તેમજ મુળ વેલાનો પાવડર પેટના દર્દોમા ,અસ્થમા દમ
 અને મરડો મટાડવા માટે વપરાય છે .
=>તેના મુળ તથા પાનમાં આલ્કલોઈડ તત્વ હોય છે .
=>દમ શ્વાસ માટે માત્ર પાંચ જ દિવસનો આ પ્રયોગ છે. 
દરદીએ રોજ સવારે અર્ક પત્રીનું એક જ તાજું પાન ચાવી જવાનું છે. 
પાન પરોઢિયે ચાર વાગે ઊઠીને ચાવી જવું અને પછી સૂઈ જવું.
 પાન ચાવ્યા પછી પાણી કે ચા એવું કશું જ ન પીવું. સાતેક વાગ્યે ઊઠયા 
પછી પોતપોતાની ટેવ પ્રમાણે ઉકાળો, ચા ને હળવો નાસ્તો લઇ શકાય. 
પાન ચાવ્યા પછી તરત જ, પાણી કે ચા નાસ્તો લેવાથી મોંમાં મોળ આવે છે. 
અને ગભરામણ સાથે ક્યારેક ઊલટી પણ થઇ જાય છે. આથી 
પાન ચાવ્યા પછી તુરત કશું ન ખાવા પીવાની સૂચના આપવામાં આવે છે.

વનસ્પતિ પરીચય :નોળવેલ

નોળવેલ:(dioscorea bulbifera)


એક જાતની વેલ;
=>આ વેલનાં પાન નાગરવેલનાં પાન જેવાં હોય છે. કંદ અને મૂળ ઉપયોગી છે.
તેનું કંદ જમીનની અંદર ઊંડું હોય છે. તેનાં મૂળને રાસ્ના કહે છે.
=>વેલ ચોમાસામાં ઊગી નીકળે છે. તેનાં અણીવાળાં પાંદડાંની બંને બાજુએ પૂમ હોય છે. 
નાઉળનાં પાંદડાનું શાક થાય છે. તે શાક ઠંડું અને ગરમીવાળા માણસને પથ્યકર છે.
=>તેનાં મૂળ ગરમ, ઘણાં કડવાં, વામક, વાતહર, આર્તવજન્ય, જ્વરઘ્ન, કૃમ્ઘ્ન, વિષઘ્ન, રેચક અને પાચક છે.
 તે સર્પદંશનું ઝેર, વીંછી, ઉંદર, ગરોળી અને અન્ય ઝેરી પ્રાણીઓનું ઝેર, અફીણ વગેરે વનસ્પતિનું ઝેર તેમ જ ધાતુ અને ઉપધાતુઓનાં ઝેર નાબૂદ કરનાર મનાય છે.
=>શીતજ્વર મટાડવામાં તે બહુ ઉપયોગી હોવાનું મનાય છે. સર્પના ઝેર ઉપર પણ તે વપરાય છે.
તે વિષનાશક હોવા ઉપરાંત
=>જ્વર, કૃમિ અને કફમાં પણ ઉપયોગી કહેવાય છે.
એવી માન્યતા છે કે, નોળિયું સર્પની સાથે લડે ત્યારે સર્પ કરડે તો તે તરત નોરવેલ સૂંઘી આવે છે 
અને તેથી બચી જવા પામે છે.  
=>અરીઠાના પાણીમાં કે ધોળી ચણોઠીનાં મૂળ સાથે વાટી પિવડાવવાથી ખૂબ ઊલટી થઈ ઝેર ઊતરે છે. 
તેનાં સર્વાંગ સુગંધી, બહુ કડવાં, કટુપૌષ્ટિક, વાયુનાશક, ગ્રાહી, ગર્ભશયોત્તેજક, દીપન, મજ્જાતંતુને ઉત્તેજક, સ્વેદલ, જ્વરપ્રતિબંધક, વિષહર, મૂત્રાશય અને મૂત્રપિંડના તમામ રોગમાં વખાણવા જેવી અસર કરે છે.
=>બચ્ચાંને દાંત આવતી વખતે થતાં ઝાડા ઊલટીને તે મટાડે છે.
=>ત્રિદોષ અને મજ્જાતંતુઓના રોગમાં તેની સાથે તગરના ગંઠોડા દેવાથી સારો ફાયદો થતો મનાય છે. 
નાની નોરવેલને નાઉળ કહે છે.
=> પાન મૂત્રકૃચ્છ્ર, મૂત્રાઘાત, ઉપદંશ અને આંખો આવે તે ઉપર ઉપયોગી ગણાય છે.

Friday, April 26, 2019

હાઈકુ

વનવાસીઓ 

વનમાં ચર્ચા કરે 

આપણું કોણ ?

            -રાજેશ બારૈયા "વનવાસી"

Thursday, April 25, 2019

વનસ્પતિ પરીચય :અશોક

અશોક(saraca ashoka )


આસોપાલવ એ અશોક નથી. અશોકનાં વૃક્ષો આંબાનાં જેવાં ઘેઘુર-વિશાળ થાય છે.
સદાહરિત રહેતું બગીચામા ઉછેરવામા આવે છે .  અશોક શીતળ, કડવું, ગ્રાહી, વર્ણપ્રદ, તૂરું હોય છે
. તે શોષ, અપચો , દાહ, કૃમિ, સોજો, વિષ અને રક્તના વિકારો મટાડે છે.
=>અશોકની છાલ રક્તપ્રદર-લોહીવા મટાડે છે. 
એની છાલમાંથી બનાવાતું દ્રવ અશોકારિષ્ટ અનેક સ્ત્રીરોગોમાં વપરાય છે.
=>અશોકની છાલ સ્ત્રીરોગોમાં ખૂબ ઉપયોગી ઔષધ છે. 
=>એક ગલાસ ગાય કે બકરીના દૂધમાં એટલું જ પાણી ઉમેરી એક ચમચી
 અશોક વૃક્ષની છાલનું ચૂર્ણ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી,
 ઠંડુ કરી. સવાર-સાંજ પીવાથી અને આહારમાં ગરમ પિત્તવર્ધક દ્રવ્યોનો ત્યાગ કરી,
સંપૂર્ણ આરામ કરવાથી રક્તપ્રદર-લોહીવા મટે છે.
એમાં બજારમાં તૈયાર મળતું અશોકારિષ્ટ પણ ઉત્તમ છે.
=> સવાર-સાંજ જમ્યા પછી બે ચમચી અશોકારિષ્ટમાં થોડું પાણી ઉમેરી પીવાથી
વધુ પડતા માસિક-લોહીવાની તકલીફ તથા ગર્ભાશયની શિથિલતા દૂર થાય છે.

વનસ્પતિ પરીચય :અરડુસી

અરડૂસી:


અરડૂસી ક્ષયમાં ખૂબ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની

સાથે પણ અરડૂસીનો ઉપયોગ થઈ શકે.
સૂકી અને કફવાળી બંને ઉધરસમાં અરડૂસી ખૂબ હિતાવહ છે. 
કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, 
કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, 
તેમાં અરડૂસી સારું કામ કરે છે.
👉 અરડૂસીનાં તાજાં પાનને ખૂબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને 
એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટો પડે છે.
👉 નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી 
રસ એટલા જ મધ સાથે સવાર-સાંજ આપવાથી રાહત થાય છે.
👉 અરડૂસીના અવલેહને વાસાવલેહ કહે છે.
 તે ખાંસી, દમ અને સસણીમાં સારું પરિણામ આપે છે. 
👉  પરસેવો ખૂબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી
 સવાર-સાંજ પીવાથી અને અરડૂસીનાં સૂકાં પાનનું ચૂર્ણ 
ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે.

વનસ્પતિ પરીચય :પીલુ

   પીલુ

પીલુ  : પીલુની ખારી અને મીઠી એમ બે જાત હોય છે.
મીઠી જાતનાં પીલુ નાનાં હોય છે જે ૧૫ ફુટ જેટલાં ઉંચાં થાય છે.
આ વૃક્ષો વાંકાચુકાં અને અનેક નમતી ડાળોવાળાં હોય છે.
પાન જાડાં, સામસામાં અને લીલા રંગનાં હોય છે. સ્વાદે તીક્ષ્ણ, તીખાં હોય છે.
 ફુલ પીળાશ પડતા લીલા રંગનાં મહા મહીનામાં જોવા મળે  છે.
ફળ ચણા જેવાં નાનાં રાતાં, કાળાં, સફેદ રંગનાં થાય છે.
ખાવામાં તીક્ષ્ણ તીખાં, સહેજ ગળ્યાં અને સ્વાદીષ્ટ લાગે છે.
એના રસનો સ્વાદીષ્ટ આસવ બને છે. પીલુના બીજના તેલને ખાખણ કહે છે.
એ કોકમના તેલની જેમ જામી ગયેલું હોય છે.
 એમાં પણ પીલુની જેમ ઉષ્ણતા અને તીક્ષ્ણતા હોય છે.

->વાયુના રોગોમાં ખાખણ લગાડવાથી લાભ થાય છે.
સંધીવાના સોજા પર, પગની પીંડલીમાં ગોટલા ચડી જવા વગેરેમાં
ખાખણ લગાડવામાં આવે છે.

-> ગ્રહણી, અર્શ (હરસ), અતીસાર, સંધીવામાં પીલુ ઉત્તમ ઔષધ છે.

-> પીલુનો આસવ અશક્તી, હરસ-મસા અને અજીર્ણમાં ઉપયોગી છે.

Monday, April 22, 2019

વનસ્પતિ પરીચય :દેશી બાવળ

દેશી બાવળ(acacia nilotica )
બાવળનું વૃક્ષ ૫થી ૨૦ મીટર જેટલું ઊંચુ વધે છે. તેને ઘાટી પર્ણઘુમટ હોય છે. તેની ડાળીઓ પ્રાયઃ કથ્થૈ અને કાળી હોય છે. તેના થડની છાલ તિરાડો વાળી હોય છે. તેમાંથી લાલશ પડતા રંગનું નીચી ગુણવત્તાનું ગુંદર નીકળે છે.
=>મોઢું આવ્યું હોય તો બાવળના છાલ ના કોગળા કરવાથી લાભ થાય છે .
=>બાવળનું દાંતણ દાંત ને મજબૂત રાખે છે.=>આંતરછાલ છાતીના દુ:ખાવા તેમજ કફ ખાસીમાં મોંમાં રાખવાથી ફાયદો થાય છે.
#ઢીંચણના_દુઃખાવા_માટે_સરળ_ઉપાય
બાવળનાં બી નોઁ પાવડર
હુંફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી એક ચમચી ૨-૩મહિના સતત લેવાથી દુઃખાવો બિલકુલ દૂર થાય છે.

Sunday, April 21, 2019

વનસ્પતિ પરીચય :વેવડી /જલજમની

વેવડી/જલજમની  (broom crepper)


એક જાતનો વેલો. આ વેલો બારે માસ જોવામાં આવે છે.
તેના પાંદડા સરળ અને નરમ હોય છે,તે કુદરતી રીતે ઠંડા છે
.ફૂલ લીલાશ લેતા પીળા રંગનાં ને ઘણાં નાનાં હોય છે.
 ફળ સૂક્ષ્મ કાળાં રંગના હોય છે.
તે પાણીને જમાવી દે છે, માટે તેનું આ નામ જલ જમની પડ્યું છે.
=>લેટિન: કોક્યુલસ હિરસુથસ, કોક્યુલસ વિલોસસ.
=>કફ અને પેટમાં દુખાવા તેમ જ તૂટેલા હાડકાંને જોડે છે 
=>પાન અને મુળની લૂગદી સાંધાના દુખાવા માં આરામ આપે છે . 
એવું માનવામાં આવે છે કે આ સાંધામાં દુખાવો
, સંધિવા અને અન્ય પ્રકારની પીડા રોકવા માટે ખૂબ અસરકારક છે.
=>ડાયાબિટીસ માં ચાર પાંદડા દર્દી સવારે ચાવે તો અસરકારક હર્બલ ઉપાય છે.

હાઈકુ :

સજાવીશ હું 

ધરતી હરીયાળી 

વૃક્ષો વાવીને .

✍રાજેશ બારૈયા "વનવાસી "

વનસ્પતિ પરીચય :વછનાગ ( gloriosa superba )

વછનાગ:( gloriosa superba )

=>આ વનસ્પતિ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વછનાગ, નાગાસેર, નાગસર, કંકાસણી
=>આ છોડ ખેતરની વાડ વચ્ચે, અને જાહેર રસ્તાઓની આસપાસ, ગીચ જંગલોમાં તથા ખુલ્લા ઘાસના મેદાનોમાં જોવા મળે છે.
=>આ વનસ્પતિ ઘણી શાખાઓ ધરાવતી વેલ છે. તેના પાંદડા દંડવિહિન તથા પ્રકાંડ સાથે જોડાયેલા હોય છે. પાંદડાનો આગળનો ભાગ સીધો લંબાયેલો તેમજ સૂત્રમય હોય છે.
=>આ છોડના કંદનો ઉપયોગ સર્પદંશની ઔષધ તરીકે, શક્તિવર્ધક (ટોનિક) તેમજ પેટમાં થતી કૃમિનો નાશ કરવા માટે થાય છે.
=>તેના પુષ્પ મોટા, પાંદડાની આમાં એકાકી તથા તરંગિત ધાર ધરાવતા હોય છે. તેનો રંગ અંદર તરફ લીલાશ પડતા પીળાથી શરૂ થઈ બહારની બાજુ નારંગી હોય છે.
=>તેના ફળ લંબગોળ તથા પ્રાવર હોયછે.
=>તેના પુષ્પ જુલાઈ માસમાં બેસે છે. આ છોડના બીજ તથા કંદનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થવાથી આ વનસ્પતિનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે.
=>સંધિવાની વેદના પર લીમડાના રસમાં તેના ફળ ઘસીને ચોપડવાથી રાહત થાય છે.

Saturday, April 20, 2019

પ્રેમની ક્ષણ

💞પ્રેમની ક્ષણ💞

પ્રેમની ક્ષણ જીવનમાં

ખરેખર અદ્ભુત છે

ચાહું છું તને દિલથી

એ વાત હકીકત છે.

સૌંદર્ય તારું કેવું ભવ્ય !

જાણે ચાંદનીનું તેજ લ્યો.

પણ આમ તો સમય આ 

કેટલો સુંદર લાગે વનવાસી !

ચોતરફ તારું પ્રેમનું વન છે.

જોવા આ નઝારો થાકતી

નથી મારી આ બે આંખો

એટલે તો જીવનની હર

ક્ષણ તારી સંગ માણી.

  ✍રાજેશ બારૈયા "વનવાસી "

વૃક્ષો વાવો

    🌿 વૃક્ષો વાવો🌿 

વૃક્ષો વાવો ભાઈ વૃક્ષો વાવો ,

વરસાદી મોસમમાં વૃક્ષો વાવો.

આંગણામાં શેઢે-પાળે વૃક્ષો વાવો,

પડતર જમીનમાં વૃક્ષો વાવો .

ધોવાણ થતી જમીનમાં વૃક્ષો વાવો.

કરશે જળ-જમીનનું જતન વૃક્ષો ,

વૃક્ષો બચાવો સુખનો છાંયડો માણો.

વૃક્ષોમાં શ્યામ છે , વૃક્ષો વાવો,

દરેક વ્યક્તિ આ વાતને સમજો.

વૃક્ષો થકી છે , જીવન વૃક્ષો વાવો . 


    ✍રાજેશ બારૈયા "વનવાસી "

શેર :પ્રેમ

પ્રેમના  ફુલની  પાખડી છે ,

એટલે ખુશ્બુ આપણી છે.

        -રાજેશ બારૈયા 'વનવાસી'

Friday, April 19, 2019

પ્રકૃતિનાં પ્રથમ મિત્ર



     પ્રકૃતિના પ્રથમ મિત્ર 


ખડક ખસ્યાને સરોવર બની ગયા ,

વરસાદ વરસ્યોને જળભર્યા બની ગયા.

ઊગી ગયા વૃક્ષ ત્યાં વન બની ગયા,

અહિં વસ્યા તે વનવાસી બની ગયા .

પાનખર આવી પહોચી અહિં પણ,

અંતે ચોતરફ લીલાછંમ બની ગયા .

કોલાહલથી ગૂંજી ઉઠી ચારેય દિશાઓ,

નદીઓના જળ ખળ-ખળ બની ગયા.

પ્રેમ ના પામ્યાં તો શું થયું મિત્રો 

પ્રકૃતિનાં પ્રથમ મિત્ર બની ગયા .

           ✍રાજેશ બારૈયા "વનવાસી "

હું વડલો

હું વડલો 


એક રાત્રે સપનામાં 

હું ગીરની ગોદમાં 

વડલો થઈને ઊગી જાવ છું 

ઊભો ઊભો જોયા કરું 

ગીરનાર ની ટોચ 

જેમ જોગીની જટા વધે

એમ વધે મારી વડવાઇ 

મારી ડાળી પર બેચી 

પંખીઓ મીઠા ગીત ગાઇ 

વડવાઇ ની ગફોલમાં 

સિંહ બાળા ગેલ કરે 

ગીરનો સાવજ ગર્જના કરે

જોગી ની ધુણી સામે અખંડ 

આ પ્રાણી પ્રેમ અને પંખી ગીત 

હું ગીરનારની ગોદમાં 

વડલો બની જોયા કરું સપનામાં

         ✍રાજેશ બારૈયા "વનવાસી "

મહેંકી જાવું

        મહેંકી જાવું 


મારી પાંપણમાં રોજ તારે ફરકી જાવું, 

કાં હળવેથી આંખોમાં સરકી જાવું,

ધીરેથી આવીને મારાં કોમળ ગાલમાં,

એકલ હોઠોનાં આ ઝીણા શા ગાનમાં,

વનવાસી મારે ગીત થઈ ગવાઈ જાવું, 

સુંદર નિશાની શર્મિલી આશમાં,

તાજી ફૂટેલ પેલી કુંપળનાં પાનમાં, 

કોઈ દિ ઝાકળ બુંદ થઈ સમાઈ જાવું,

ધરતીની ભીની-ભીની લહેરાતી રાતમાં, 

છોડવાની કૂણી લીલીછંમ વાતમાં.

ફૂલની ફોરમ બની તારે મહેંકી જાવું, 

મારી પાંપણમાં તારે ફરકી જાવું.

      ✍રાજેશ બારૈયા "વનવાસી "

હાઈકુ

  કમ્પ્યુટર માં 

પતંગિયું ફૂલની 

ખુશ્બુ શોધે .

-રાજેશ બારૈયા "વનવાસી"

વનસ્પતિ પરીચય :ગોરસ આંબલી

ગોરસ આંબલી 

ગોરસ આંબલી/ જંગલ જલેબી, (વિલાયતી આંબલી)
 મધ્યમ કદનું વૃક્ષ સદાપર્ણી હોય છે. પાંદડાં સંયુક્ત હોય છે. ફૂલો ગુચ્છામાં હોય છે. ફળ ગોળ જલેબી જેવાં હોય છે. અંદરના કાળા ઠળિયા ઉપર નરમ ગર હોય છે. લોકો તે ગર સ્વાદથી આરોગે છે.

->ગોરસ આંબલી વનસ્પતિ ફોરેન રીટર્ન છે એટલે કે મૂળ ઉત્પત્તિ સ્થાન મેક્સિકો છે ત્યાંથી અમેરીકા અને મધ્ય એશિયા થઈ ભારત માં આવેલ .આ વગડાઉ વનસ્પતિ ના જલેબી જેવા ફળ “કાતરા” ના નામે ઓળખાય છે

->સસ્તામાં અને વિશેષ ચરોતરના ખેતરોમાં ઠેર ઠેર જોવા મળતી ગોરસ આંબલી ઉત્તમ ફળ છે

->મેક્સિકોમાં ગોરસઆંબલી દાંત ના દુખાવો માં પરંપરાગત દવા તરીકે વપરાય છે કેમકે તે નબળા પેઢાં ને મજબૂત બનાવે છે. ગોરસઆંબલી મોઢાં ના ચાંદા ને તથા દાંત માંથી આવતાં લોહી ને પણ મટાડે છે .
->ઉનાળાની સિઝન માં ખાન – પાન ને લીધે વારંવાર ઝાડા કે મરડો (આંકડી ઝાડા) ની તાસીર વાળા ને સિઝન માં રોજ સવારે 100 ગ્રામ ગોરસઆંબલી નુ સેવન કરવુ જોઈએ.

# માહિતી સંકલીત છે ...

Thursday, April 18, 2019

વનસ્પતિ પરીચય :ધરો

ધરો

=>ધરો,ધ્રો, ધ્રોખડ અથવા દૂર્વા એક પ્રકારની વનસ્પતિ અને ઘાસનો પ્રકાર છે.
=>તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon છે. વનસ્પતિશાસ્ત્રના વર્ગીકરણ પ્રમાણે તે પોએસી કુળનું સભ્ય છે.
=>ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ પૂજન અને અન્ય પૂજનોમાં ધરો વપરાય છે. આને પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે.
=>લોહીવા-રતવાનું એ ઉત્તમ ઔષધ છે. ગર્ભાશયની વીકૃતીને લીધે ગર્ભ રહેતો ન હોય, ગર્ભ સુકાઈ જતો હોય, બાળકો જીવતાં ન હોય તો તાજી લીલી ધરોને ચટણીની જેમ વાટી-લસોટી રસ કાઢવો. ત્રણથી ચાર ચમચી ધરોનો તાજો રસ સવાર-સાંજ ત્રણ-ચાર માસ પીવાથી ગર્ભાધાન થઈ તંદુરસ્ત બાળક જન્મે છે. દુર્વા અત્યંત શીતળ છે.
=>ઘાસના રૂપમાં તેની અનેક વિશેષતાઓ છે. જેમકે- પાણીના અભાવે એક વાર સુકાઈ જવાનો વારો આવે, તો પણ પાણીની પ્રાપ્તિ થતાં તે ફરી લીલીછમ થઈ જાય છે.
 =>મૂળમાંથી ખેંચી કાઢવામાં આવે, અને બીજે રોપવામાં આવે, તો બીજા સ્થળમાં પણ તે જામી જાય છે. પોતે ટૂકડાઓમાં વહેંચાઈને પોતાના પરિવારની વૃદ્ધિ કરતી રહે છે. 
=>ધરોના આ પ્રકારના જીવન ઉપરથી પ્રેરણા મેળવવા માટે તેનો પૂજાના કાર્યમાં પ્રયોગ કરાયો છે.
=>વ્યાપારીઓ ચોપડા પૂજન વખતે ચોપડામાં નાગરવેલના પાનની સાથે ફૂલ અને ધરોને પણ ચોપડામાં પધરાવે છે. એની પાછળની ભાવના એવી હોય છે કે અમારું વ્યાપારનું કાર્ય પણ ક્યારેક ધનના અભાવે કે મંદીના કારણે ઓછું થઈને સુકાવા લાગે, તો પણ ફરી પાછું ધનની સગવડ થતાં કે તેજીની સ્થિતિ આવતાં વ્યાપાર પાછો, લીલોછમ થઈ જાય

Wednesday, April 17, 2019

બાળક

બાળક  ઈશ્વરનું  રૂપ એ હકીકત છે , 

બાળકમાં ઈશ્વર વસે એ હકીકત છે .

                 ✍રાજેશ બારૈયા "વનવાસી"

કુંપળ

એક  તાજી કૂંપળ ફૂટીયાની વાત છે.

આજ તો કુદરતના કમાલની વાત છે.

                         ✍રાજેશ બારૈયા "વનવાસી"

બીજ વિતરણ મહાઅભિયાન -2026

  બીજ વિતરણ મહાઅભિયાન 2019 થી કાર્યરત... 2026- માં વિતરણ કરેલ મિત્રોનું લિસ્ટ  તા :02-01-26 1. દિપક મહેતા -અમદાવાદ  2. વિશાલ ચૌધરી -થરાદ  3....