Friday, May 3, 2019

વનસ્પતિ પરીચય :અગથિયો

અગથિયો :(Sesbane)


અગથિયો પાણી વાળી જમીનમા તેમના ઝાડ પુષ્કળ ઝડપથી  વધે છે અને 15 થી 30 મીટર ઊઁચા જાય છે .
એનાં વૃક્ષોનું આયુષ સાતથી આઠ વર્ષનું જ હોય છે.
=>રાતા અને ધોળા ફૂલોવાળી અગથિયાની બે જાત થાય છે. 
એનાં પર્ણો આમલીનાં પર્ણો જેવાં નાનાં અને સામસામા હોય છે.
=>એને ફૂલો અને શિંગો આવે છે. ફૂલનાં વડાં, ભજિયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે. 
=>ગુણોની દૃષ્ટિએ અગથિયો રૂક્ષ, શીતળ, ત્રિદોષનાશક અને મધુર છે
. ઉધરસ, કફ, શ્રમ, વૈવર્ણ્ય, ચોથિયો તાવ અને પિત્તને શાંત કરે છે.
=>એનાં ફૂલ કડવા, તુરા, થોડા શીતળ અને વાયુ કરનાર છે. સળેખમ અને રતાંધળાપણું દૂર કરે છે.
=>એનાં પર્ણો અને ભાજી તીખી, કડવી, કૃમિ, કફ, ખંજવાળ મટાડે છે.
=>રાતા અગથિયાનો રસ સોજા પર લગાડવાથી સોજા મટે છે.
=>અગથિયાનાં પાદડાનાં રસ નાં ટીપા નાકમા નાખવાથી શરદી અને તાવ મટે છે.
=>વાયું નો પ્રકોપ હોય તો તેમની છાલ થી રાહત થાય.
=>પાન નાં રસમા ઘી મિક્સ કરી તે ગાયના દૂધ મા એક ચમસી નાખી પીવાથી રતઆંધળા પણુ અને 
અન્ય આંખની તકલીપ દૂર થાય.

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024-25

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...