બલા/ખરેટી
બલા ચોમાસામાં ૨થી ૩ ફૂટ ઊંચા છોડ સર્વત્ર ઊગી નીકળે છે. ઔષધ ઉપચારમાં આ બલાનાં બીજ અને મૂળનો અધિક ઉપયોગ થાય છે.
->બલા સ્વાદમાં મધુર, શીતળ, પચવામાં ભારે, ત્રિદોષનાશક, બળપ્રદ, પુષ્ટિકર, ઓજવર્ધક, ગર્ભસ્થાપક તથા ઉદરવાયુ, પક્ષાઘાત, અડદિયો વા, સંધિવા વગેરે વાયુના વિકારો, સંગ્રહણી, હૃદયની નબળાઈ, સોજા અને તાવનાશક છે.
->તેનાં બીજ સ્વાદમાં મધુર અને તૂરા, શીતળ, પચવામાં ભારે, કામોત્તેજક, સ્તંભક તથા શ્વાસ, શ્વેતપ્રદર અને મૂત્રાધિક્ય મટાડનાર છે.
->અવબાહુક રોગમાં કોઈ પણ એક હાથ જકડાઈ જાય છે અને ઊંચકી પણ શકાતો નથી. એક મહિના સુધી બલાના મૂળનો ઉકાળો રોજ સવારે પીવાથી અને બલાતેલનું માલિશ કરવાથી આ રોગમાં સારો ફાયદો થાય છે.
->બલાના મૂળમાં ઈફ્રેડ્રીન નામનું તત્ત્વ રહેલું છે. એટલે દમના દર્દીઓ રોજ બલાના મૂળનો ઉકાળો પીવે અથવા મૂળનું ચૂર્ણ રોજ પાણી સાથે લે તો તમને ઘણી રાહત અનુભવાશે.
->સંધિવા, લકવો, કમરનો દુખાવો, કંપવા વગેરે બધા જ પ્રકારના વાયુના વિકારો પણ મટે છે.
->બલાના મૂળ સ્ત્રીઓને જેમાં સફેદ પાણી પડે છે એ શ્વેતપ્રદર રોગનું પણ ઉત્તમ ઔષધ છે.
બલા ચોમાસામાં ૨થી ૩ ફૂટ ઊંચા છોડ સર્વત્ર ઊગી નીકળે છે. ઔષધ ઉપચારમાં આ બલાનાં બીજ અને મૂળનો અધિક ઉપયોગ થાય છે.
->બલા સ્વાદમાં મધુર, શીતળ, પચવામાં ભારે, ત્રિદોષનાશક, બળપ્રદ, પુષ્ટિકર, ઓજવર્ધક, ગર્ભસ્થાપક તથા ઉદરવાયુ, પક્ષાઘાત, અડદિયો વા, સંધિવા વગેરે વાયુના વિકારો, સંગ્રહણી, હૃદયની નબળાઈ, સોજા અને તાવનાશક છે.
->તેનાં બીજ સ્વાદમાં મધુર અને તૂરા, શીતળ, પચવામાં ભારે, કામોત્તેજક, સ્તંભક તથા શ્વાસ, શ્વેતપ્રદર અને મૂત્રાધિક્ય મટાડનાર છે.
->અવબાહુક રોગમાં કોઈ પણ એક હાથ જકડાઈ જાય છે અને ઊંચકી પણ શકાતો નથી. એક મહિના સુધી બલાના મૂળનો ઉકાળો રોજ સવારે પીવાથી અને બલાતેલનું માલિશ કરવાથી આ રોગમાં સારો ફાયદો થાય છે.
->બલાના મૂળમાં ઈફ્રેડ્રીન નામનું તત્ત્વ રહેલું છે. એટલે દમના દર્દીઓ રોજ બલાના મૂળનો ઉકાળો પીવે અથવા મૂળનું ચૂર્ણ રોજ પાણી સાથે લે તો તમને ઘણી રાહત અનુભવાશે.
->સંધિવા, લકવો, કમરનો દુખાવો, કંપવા વગેરે બધા જ પ્રકારના વાયુના વિકારો પણ મટે છે.
->બલાના મૂળ સ્ત્રીઓને જેમાં સફેદ પાણી પડે છે એ શ્વેતપ્રદર રોગનું પણ ઉત્તમ ઔષધ છે.