Tuesday, May 21, 2019

ઔષધિય છોડ :કીડામારી

#કીડામારી


કીડામારીના છોડ ખેતરના શેઢે થાય છે. પામ, ગોળ ધૂસર રંગના, ફૂલ કીરમજી
 રંગના,
 ફળના ડોડવા બોર જેવડા, ડોડાને ફોડવાથી કાળા બીજ નીકળે છે.
=>કીડામારી કડવી, ગરમ, સોજાનો અને કૃમીનો નાશ કરનાર, 
ખાંસી, મટાડનાર, રુચી ઉત્પન્ન કરનાર (પણ સ્વયં અરોચક) છે. 
વાત, કફ અને જ્વરને હરનાર છે.
=>સોજા ઉપર તેનો રસ ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
=>ઢોરને જીવાત પડી હોય તો તેનાં પાન લસોટી લેપ કરવાથી 
બધી જીવાત નીકળી જાય છે.
=>કબજીયાત રહેતી હોય તો અડધી ચમચી કીડામારીના 
પંચાંગનો ઉકાળો કરી પીવાથી ફાયદો થાય છે.
=>નાના બાળકને કબજીયાત રહેતી હોય અને 
આ કારણથી જ રડ્યા કરતું હોય તો કીડામારીના પાન પર દીવેલ લગાડી 
સહેજ ગરમ કરી બાળકની નાભી પર બાંધવાથી ઝાડો સાફ ઉતરે છે.
=>પેટમાં કૃમી થયા હોય તો કીડામારીના પાનનો રસ અડધી ચમચી 
રોજ રાત્રે ચાર-પાંચ દીવસ લેવાથી કૃમી નીકળી જાય છે અને 
શરીરનું વજન વધે છે.

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024-25

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...