ગુજરાતનું_રાજ્ય_વૃક્ષ_આંબો
આંબો (mangifera indica)
આંબાના ઝાડ ભારતમાં બધે જોવા મળે છે.આંબાની અનેક જાતો છે.
આંબાપર શિયાળામાં મોરના ફૂલ આવે છે.
અને તેના પર કેરી થઈ ઉનાળામાં પાકે છે.પાકી કેરી નો રસ મધુર સ્વાદિષ્ટ હોય
આના સેવનથી લોહી વધે છે.કાચી કેરીની અનેક જાત
અથાણા બનાવવા અને મૂરબ્બોમાં પણ વપરાય છે.
ઔષધ ઉપાય:
=>પાકી કેરીનો રસ મધ મેળવીને ખાવાથી કફના રોગો તથા બરોળના રોગો મટે છે.
=> આંબાની ગોટલી દહીંમાં વાટીને પીવાથી કાચા ઝાડા અથવા આમાતીસાર મટે છે.
=>કેરીની ગોટલીના ચુર્ણને પાણીમાં કાલવી તેને શરીરે ચોળીને સ્નાન કરવાથી અળાઈ મટે છે.
=>કેરીની ગોટલી છાશ અથવા ચોખાના ધોવરામણમાં આપવાથી રક્તાતીસાર મટે છે.
=>આંબાની અંતર છાલ, ઉમરાના મુળની છાલ અને વડની વડવાઈનો રસ કાઢી તેમાં જીરું અને ખડી સાકર મેળવીને લેવાથી શરીરની સર્વ પ્રકારની ગરમી મટે છે.
=>કેરીની ગોટલીનું ચુર્ણ મધ સાથે આપવાથી દુઝતા હરસ શાંત થાય છે.
=>વીંછીં ડંખે તરત કેરીનો ચીક લગાવવાથી મટે છે.
=>નસકોરી ફુટે ત્યારે ગોટલીનો રસ નાખવાથી રાહત થાય.
=>ગોટલીનું ચુર્ણ કરી દહીં સાથે આપવાથી ઝાડા મટે છે.
No comments:
Post a Comment