Sunday, April 28, 2019

વનસ્પતિ પરીચય :દમવેલ

દમવેલ(tylophora indica)


આંકડાના પાનને મળતાં નાનકડા પાન હોવાથી તેને અર્કપત્રી કહે છે
. લોકભાષામાં તે 'દમવેલ' તરીકે પણ ઓળખાય છે
. વેલ પર આકડાના છોડ પર થાય છે તેવા જ નાનકડા ફૂલ પણ આવે છે.
 આ વેલ બધે જ ઊગી શકે છે. અને ખૂબ ફેલાય છે
. જમીન પર એના બીજ પડવાથી નાના નાના ઘણા છોડ ઊગી નીકળે છે. 
=>દમ શ્વાસની એ એક અકસીર દવા છે
. લેટિન ભાષામાં એને ટાઈલો ફોરા ઇન્ડિકા  કહે છે.
=>વર્ષો પહેલા એને 'ટાઈલોફોરા એસ્થમેટિકા' નામથી ઓળખવામાં આવતી હતી.
=>પાન સૂકવીને  તેમજ મુળ વેલાનો પાવડર પેટના દર્દોમા ,અસ્થમા દમ
 અને મરડો મટાડવા માટે વપરાય છે .
=>તેના મુળ તથા પાનમાં આલ્કલોઈડ તત્વ હોય છે .
=>દમ શ્વાસ માટે માત્ર પાંચ જ દિવસનો આ પ્રયોગ છે. 
દરદીએ રોજ સવારે અર્ક પત્રીનું એક જ તાજું પાન ચાવી જવાનું છે. 
પાન પરોઢિયે ચાર વાગે ઊઠીને ચાવી જવું અને પછી સૂઈ જવું.
 પાન ચાવ્યા પછી પાણી કે ચા એવું કશું જ ન પીવું. સાતેક વાગ્યે ઊઠયા 
પછી પોતપોતાની ટેવ પ્રમાણે ઉકાળો, ચા ને હળવો નાસ્તો લઇ શકાય. 
પાન ચાવ્યા પછી તરત જ, પાણી કે ચા નાસ્તો લેવાથી મોંમાં મોળ આવે છે. 
અને ગભરામણ સાથે ક્યારેક ઊલટી પણ થઇ જાય છે. આથી 
પાન ચાવ્યા પછી તુરત કશું ન ખાવા પીવાની સૂચના આપવામાં આવે છે.

1 comment:

  1. ભાઈ મારે આ પાન સુરત માં જોઈએ છે.. કોને મળવું?

    ReplyDelete

બીજ પોસ્ટ અભિયાન 2023-2024-25

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...