Thursday, April 25, 2019

વનસ્પતિ પરીચય :અરડુસી

અરડૂસી:


અરડૂસી ક્ષયમાં ખૂબ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની

સાથે પણ અરડૂસીનો ઉપયોગ થઈ શકે.
સૂકી અને કફવાળી બંને ઉધરસમાં અરડૂસી ખૂબ હિતાવહ છે. 
કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, 
કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, 
તેમાં અરડૂસી સારું કામ કરે છે.
👉 અરડૂસીનાં તાજાં પાનને ખૂબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને 
એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટો પડે છે.
👉 નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી 
રસ એટલા જ મધ સાથે સવાર-સાંજ આપવાથી રાહત થાય છે.
👉 અરડૂસીના અવલેહને વાસાવલેહ કહે છે.
 તે ખાંસી, દમ અને સસણીમાં સારું પરિણામ આપે છે. 
👉  પરસેવો ખૂબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી
 સવાર-સાંજ પીવાથી અને અરડૂસીનાં સૂકાં પાનનું ચૂર્ણ 
ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે.

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024-25

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...