Thursday, April 18, 2019

વનસ્પતિ પરીચય :ધરો

ધરો

=>ધરો,ધ્રો, ધ્રોખડ અથવા દૂર્વા એક પ્રકારની વનસ્પતિ અને ઘાસનો પ્રકાર છે.
=>તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon છે. વનસ્પતિશાસ્ત્રના વર્ગીકરણ પ્રમાણે તે પોએસી કુળનું સભ્ય છે.
=>ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ પૂજન અને અન્ય પૂજનોમાં ધરો વપરાય છે. આને પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે.
=>લોહીવા-રતવાનું એ ઉત્તમ ઔષધ છે. ગર્ભાશયની વીકૃતીને લીધે ગર્ભ રહેતો ન હોય, ગર્ભ સુકાઈ જતો હોય, બાળકો જીવતાં ન હોય તો તાજી લીલી ધરોને ચટણીની જેમ વાટી-લસોટી રસ કાઢવો. ત્રણથી ચાર ચમચી ધરોનો તાજો રસ સવાર-સાંજ ત્રણ-ચાર માસ પીવાથી ગર્ભાધાન થઈ તંદુરસ્ત બાળક જન્મે છે. દુર્વા અત્યંત શીતળ છે.
=>ઘાસના રૂપમાં તેની અનેક વિશેષતાઓ છે. જેમકે- પાણીના અભાવે એક વાર સુકાઈ જવાનો વારો આવે, તો પણ પાણીની પ્રાપ્તિ થતાં તે ફરી લીલીછમ થઈ જાય છે.
 =>મૂળમાંથી ખેંચી કાઢવામાં આવે, અને બીજે રોપવામાં આવે, તો બીજા સ્થળમાં પણ તે જામી જાય છે. પોતે ટૂકડાઓમાં વહેંચાઈને પોતાના પરિવારની વૃદ્ધિ કરતી રહે છે. 
=>ધરોના આ પ્રકારના જીવન ઉપરથી પ્રેરણા મેળવવા માટે તેનો પૂજાના કાર્યમાં પ્રયોગ કરાયો છે.
=>વ્યાપારીઓ ચોપડા પૂજન વખતે ચોપડામાં નાગરવેલના પાનની સાથે ફૂલ અને ધરોને પણ ચોપડામાં પધરાવે છે. એની પાછળની ભાવના એવી હોય છે કે અમારું વ્યાપારનું કાર્ય પણ ક્યારેક ધનના અભાવે કે મંદીના કારણે ઓછું થઈને સુકાવા લાગે, તો પણ ફરી પાછું ધનની સગવડ થતાં કે તેજીની સ્થિતિ આવતાં વ્યાપાર પાછો, લીલોછમ થઈ જાય

No comments:

Post a Comment

બીજ વિતરણ મહાઅભિયાન -2026

  બીજ વિતરણ મહાઅભિયાન 2019 થી કાર્યરત... 2026- માં વિતરણ કરેલ મિત્રોનું લિસ્ટ  તા :02-01-26 1. દિપક મહેતા -અમદાવાદ  2. વિશાલ ચૌધરી -થરાદ  3....