Monday, May 6, 2019

વનસ્પતિ પરીચય :રામફળ


રામફળ


=>એક મીઠું ફળ છે. તેનું ઝાડ મધ્યમ ઊંચાઈનું હોય છે. રામફળના વૃક્ષનાં પાંદડા જામફળનાં પાન જેવા હોય છે.
ઝાડ ઓછા પ્રમાણમાં મળી આવે છે. રામફળ ઉનાળામાં આવતું ફળ છે. ફળનું આવરણ તપખીરી કેસરી રંગનું હોય છે
. રામફળ એ સીતાફળની જાતીનું છે
ખાવામાં અતિશય સ્વાદિષ્ટ
તેનાં બી સીતાફળમાં થાય છે તેવાં જ પણ પીળા રંગનાં હોય છે.ગાઢ જંગલોની લીલાશ વચ્ચે આ 
ફળ પાકતું હોઈ તેને રણફળ અગર જંગલી ફળ કહે છે. તે ‘રાનફળ’ ઉપરથી  ‘રામફળ’ નામ થઈ ગયું છે.
કાઠિયાવાડમાં મહુવા આઓ તો આ માર્ચ, એપ્રિલ, મે માસમાં રામફળ મળે તો ખાજો.
રામફળ સ્વાદમાં મધુર હોય છે,
=>એ વાયુ અને કફવર્ધક, રક્તદોષનાશક, ગ્રાહી (સંકોચક) તથા અરુચી, 
દાહ-બળતરા, પીત્ત, થાક, પેટનાં કૃમી, મરડો, વાઈ-એપીલેપ્સી મટાડે છે.
=>રામફળના ઝાડની છાલનું ચુર્ણ સવાર-સાંજ અડધી ચમચી જેટલું થોડા દીવસ લેવાથી 
નવો કે જુનો મરડો હોય તે પણ મટે છે.
=>રામફળ સ્ત્રીઓને મેન્સ્ટ્રુએશન- માસિકસ્ત્રાવમાં તકલીફ થાય તેને માટે સારું છે.
=>રામફળમાં ભરપૂર પોટેશિયમ છે એટલે રામફળ ખાવાથી માનવીના સ્નાયુ મજબૂત થાય છે.
=>લેવેન્ડરના તેલ સાથે રામફળની લુગદી ભેળવીને શરીરે મસાજ કરવાથી ચામડી સુંદર બને છે.
=>માથામાં ખોડો થયો હોય તો રામફળના વૃક્ષની છાલને વાટીને તેને ખોડા ઉપર લગાવાય છે.
=>મોંઢાના ખીલ માટે રામફળનો ગર્ભ એ મલમ જેવું કામ કરે છે.

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...