Friday, May 17, 2019
Wednesday, May 15, 2019
વનસ્પતિ પરીચય :વાવડીંગ (Embelia ribes)
વાવડીંગ (Embelia ribes )
વાવડીંગનો છોડ પાંચ ફૂટ જેટલો વધે છે. વાવડિંગ એક વિશાળ જાડી ક્ષુપ આકારની વેલ છે.
તેના પાન પાંચ આંગળ લાંબા તથા ત્રણ આંગળ પહોળા હોય છે.
તેનાં પર આવતાં ફળના ગુચ્છનને વાવડીંગ કહે છે
.વાવડીંગ કૃમીનાશક હોવાથી બાળકોમા વધારે વપરાય છે .
=>વાવડીંગ તીખાં, તીક્ષ્ણ, ગરમ, રુક્ષ, અગ્નીને પ્રદીપ્ત કરનાર અને હલકાં છે.
=>વાવડીંગ શુળ, અાફરો, પેટના વીભીન્ન રોગો, કફ, કૃમી, વાયુ તથા કબજીયાત મટાડે છે.
=>વાવડીંગ ઉત્તમ કૃમીનાશક, બળપ્રદ, વાયુનાશક, મગજ અને નાડીઓને બળ આપનાર,
=>વાવડીંગ તીખાં, તીક્ષ્ણ, ગરમ, રુક્ષ, અગ્નીને પ્રદીપ્ત કરનાર અને હલકાં છે.
=>વાવડીંગ શુળ, અાફરો, પેટના વીભીન્ન રોગો, કફ, કૃમી, વાયુ તથા કબજીયાત મટાડે છે.
=>વાવડીંગ ઉત્તમ કૃમીનાશક, બળપ્રદ, વાયુનાશક, મગજ અને નાડીઓને બળ આપનાર,
લોહીની શુદ્ધી કરનાર અને રસાયન છે. એનાથી ભુખ સારી લાગે છે,
આહાર પચે છે, મળ સાફ ઉતરે છે, વજન વધે છે, ચામડીનો રંગ સુધરે છે.
=>એક ચમચી વાવડીંગનું ચુર્ણ રાત્રે ગોળ સાથે ખાવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે.
=>આશરે ત્રણથી પાંચ ગ્રામ વાવડીંગનું ચુર્ણ તાજી મોળી છાશમાં મેળવી
=>એક ચમચી વાવડીંગનું ચુર્ણ રાત્રે ગોળ સાથે ખાવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે.
=>આશરે ત્રણથી પાંચ ગ્રામ વાવડીંગનું ચુર્ણ તાજી મોળી છાશમાં મેળવી
સવાર-સાંજ પીવાથી અગ્નીમાંદ્ય, અરુચી, ઉબકા, ઉલટી, અપચો, આફરો,
પેટમાં વાયુ ભરાવો, ઉદરશુળ, મોળ આવવી વગેરેમાં ઉત્તમ લાભ થાય છે.
=>સમાન ભાગે વાવડીંગ અને કાળા તલ ભેગા કરી લસોટીને સુંઘવાથી આધાશીશી મટે છે.
=>સમાન ભાગે વાવડીંગ અને કાળા તલ ભેગા કરી લસોટીને સુંઘવાથી આધાશીશી મટે છે.
Tuesday, May 14, 2019
વનસ્પતિ પરીચય :કરેણ
કરેણ
કરેણ સામાન્ય રીતે બાગમાં જોવા મળે છે. આ વનસ્પતિ છથી દશ ફૂટ જેટલટી ઊચાઇ ધરાવતું
સર્વત્ર જોવા મળતું ફૂલઝાડ છે.
=>કરેણ સફેદ, પીળી તથા લાલ એમ ત્રણ જાતની થાય છે, જેમાં પીળી કરેણ અન્ય કરતાં વધુ ઝેરી હોય છે.
=>સફેદ કરેણના મૂળને પાણીમાં ઘસી કપાળે લેપ કરવાથી કફ-વાયુની મસ્તકપીડા મટે છે.
=>દાદર થઈ હોય તો કરેણના પાનને શેરડી સાથેં વાટીને લેપ કરવો.
=>સાપ કરડયો હોય કે વીંછીનો ડંખ લાગ્યો હોય તો ધોળી કરેણનું મૂળ પાણીમાં ઘસી ડંખ પર
=>કરેણ સફેદ, પીળી તથા લાલ એમ ત્રણ જાતની થાય છે, જેમાં પીળી કરેણ અન્ય કરતાં વધુ ઝેરી હોય છે.
=>સફેદ કરેણના મૂળને પાણીમાં ઘસી કપાળે લેપ કરવાથી કફ-વાયુની મસ્તકપીડા મટે છે.
=>દાદર થઈ હોય તો કરેણના પાનને શેરડી સાથેં વાટીને લેપ કરવો.
=>સાપ કરડયો હોય કે વીંછીનો ડંખ લાગ્યો હોય તો ધોળી કરેણનું મૂળ પાણીમાં ઘસી ડંખ પર
લેપ કરવો અને ૧-૨ ચમચી પાનનો રસ પી જવો. આમ કરવાથી જો બેચેની જેવું લાગે તો ઉપર થોડું ઘી પી જવું.
=>કરેણનું મૂળ ખોદી લાવી દર્દીના કાને બાંધવાથી મલેરિયા તાવ મટે છે.
=>કરેણનું મૂળ ખોદી લાવી દર્દીના કાને બાંધવાથી મલેરિયા તાવ મટે છે.
Monday, May 13, 2019
વનસ્પતિ પરીચય :ચારોળી/ચારોલી, (Buchanania lanzan)
ચારોળી/ચારોલી, (Buchanania lanzan)
ચારોળી/ચારોલીના વૃક્ષો મધ્યમ મોટાં હોય છે .સૂકા પાનખર જંગલનું વૃક્ષ છે .તેના ઉપર બકરાના કાન જેવા રુંવાટી યુક્ત પાન થાય છે.અને આ પાનના પતરાળા બને છે .ઝાડ ઉપર ફુલ પોષથી ફાગણ માસ સુધી આવે છે.અને ફળ ફાગણથી ચૈત્ર માસ સુધી આવે છે.ફળ ગુલાબી લાલ નાનાં ફાલસાજેવા હોય છે .બોરની જેમ તે ખવાય છે જેમાં તુવેર જેવા લાલ રંગના દાણા હોય છે. આ દાણા જ ચારોળી તરીકે ઓળખાય છે.
બીજના કડક પડમાં રહેલ ચપટા, થોડા પોચા દાણા હોય છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. સ્વાદમાં જરાતરા બદામ જેવી ચારોળીનો ઉપયોગ ભારતીય પકવાનોં, મિઠાઇ તેમ જ ખીર ઇત્યાદિમાં સુકામેવા તરીકે કરવામાં આવે છે.
આનું ઉત્પાદન સમગ્ર ભારતમાં, મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ ભારતમાં, થાય છે.
=>ચારોળી વાયુનાશક, બળવર્ધક, વીર્યવર્ધક, મધુર, પૌષ્ટીક, કામશક્તી વધારનાર તથા વાયુ અને પીત્તનો નાશ કરનાર છે.
=>રક્તપીત્તમાં ચારોળી અને જેઠીમધથી પકવેલું દુધ પીવું
=>ચામડી પર એલર્જીનાં થયેલાં ચકામા પર ચારોળીના દાણા પાણીમાં લસોટી લેપ કરવાથી તે શમી જાય છે.
=>ચારોળી પીત્ત, કફ તથા લોહીના બગાડને મટાડે છે .
=>કામ કરીને થાક્યા હો તો અડધાથી એક ચમચી ચારોળીનો ભુકો એટલી જ સાકર એક ગ્લાસ દુધમાં નાખી ઉકાળીને પીવાથી થાક દુર થાય છે.
=>ચારોળીનું તેલ બદામના તેલ જેવા ગુણવાળું હોય છે શીળવા પર ચોળી દૂધમાં વાટી ચોપડવાથી ફાયદો થાય છે.
Sunday, May 12, 2019
વનસ્પતિ પરીચય :ગુંદો (Cordia Dichotoma)
ગુંદો (Cordia Dichotoma)
ગુંદો સમગ્ર ભારત મા જોવા મળતું વૃક્ષ છે.મોટા ભાગના લોકોને પ્રિય હોવાથી તે એકદમ નજીકનું જ લાગે.
ગુંદો જેનાં અડધાથી એક ઈંચના વ્યાસના કાચા હોય ત્યારે લીલા અને પાકે ત્યારે બદામી વર્ણના ફળ હોય છે.
ખૂબ જ ચીકણું ફળ હોવાને કારણે તેને શ્લેષ્માતક કહે છે.
=>રોગોને ઊખાડીને ફેંકનાર,બીજુ એક નામ શેલુ છે.
=>ગુંદો એ ચીકણો , ભારે , પિચ્છિલ છે .સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે.તેની છાલ તૂરી અને કડવી છે. પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે તે ઠંડી પ્રકૄતિ ધરાવે છે.
=>તેની છાલ કષાય રસ અને કડવી હોવાને કારણે કફ પિત્તનો નાશ કરનાર છે.
=>કર્ણશૂલમાં તેની છાલનો પાણી સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થશે.
=>વીંછીના ડંખ પર છાલનો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષનો પ્રભાવ ઘટે છે.
=>નાનાં જીવજંતુ, મધમાખી વગેરે નાં ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરત રાહત આપે છે.
=>મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર આપવાથી પાચનતંત્ર ને સુધારીને આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે.
=>રકત્તપિત્તના રોગમાં તેની પિત્તશામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રકત્તગત પિત્તનું શમન થાય છે અને આવા દર્દીમાં ગુંદા એ અતિ પથ્ય આહાર તરીકે ખૂબ જ લાભદાયી છે .
=>તાવના દર્દીમાટે ગુંદા એ માત્ર પથ્ય આહાર જ ન બનતાં તે તાવની ગરમીની તીવ્રતા ઘટાડીને બળ આપે છે તે તાપમાન ઓછું કરવામાં ખૂબજ મદદરૂપ બની રહે છે.
=>ગુંદા ના ફૂલ નું શાક ખૂબ સ્વાદિષ્ટ થાય છે .એમના ફળ નું પણ શાક બને એક વાત ખાસ એઁમનું બોળો કરેલ અથાણું તો બધાએ ખાધેલ હશે.
Saturday, May 11, 2019
વનસ્પતિ પરીચય :લીંબુડી
લીંબુ
લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે. તે સાઇટ્રિક ઍસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પુરી પાડવા લીંબુનો રસ નાખવામાં આવે છે. આ ઉપરાંત શરબત બનાવવા માટે પણ લીંબુનો રસ બહોળા પ્રમાણમાં વાપરવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને
ગુજરાત રાજ્યમાં લીંબુનો ઉપયોગ અથાણાં બનાવવા માટે કરવામાં આવે છે.
=>લીંબુ તીક્ષ્ણ વાયુનાશક, આહાર પચાવનાર, ભુખ લગાડનાર, પચવામાં હલકું, પેટનાં દર્દને મટાડનાર અને પેટના કૃમીઓનો નાશ કરનાર છે. તે ઉલટી, પીત્ત, આમવાત, અગ્નીમાંદ્ય, વાયુ, વાયુના રોગો, કૉલેરા, ગળાના રોગો, ઉધરસ અને કફ દુર કરે છે.
=>લીંબુ પેશાબ વાટે યુરીક એસીડનો નીકાલ કરે છે.
=>લીંબુના રસથી દાંત અને પેઢાં સ્વચ્છ થાય છે. પાયોરીયા અને મોંની દુર્ગંધ દુર થાય છે.
=>યકૃતની શુદ્ધી માટે લીંબુ અકસીર છે.
=>અજીર્ણ, છાતીની બળતરા, સંગ્રહણી, કૉલેરા, કફ, શરદી, શ્વાસ વગેરેમાં લીંબુ ઔષધનું કામ કરે છે.
=>લીંબુના રસમાં ટાઈફોઈડનાં જંતુઓ તરત જ નાશ પામે છે.
=>લીંબુનાં સેવનથી પીત્ત શાંત થાય છે.
=>લીંબુથી લોહી શુદ્ધ થવાથી શરીરમાં તાજગી અનુભવાય છે.
=>લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે. આંખોનું તેજ વધારે છે. રોજ એક લીંબુનો ઉપયોગ કરવાથી સ્વસ્થ અને પ્રસન્ન રહી શકાય.
=>લીંબુના ફાડીયા પર નમક, જીરુ, કાળાં મરી, સુંઠ અને અજમાનું બારીક ચુર્ણ ભભરાવી જરાક ગરમ કરી ભોજન પુર્વે ધીમે ધીમે ચુસવું. એનાથી રુચી ઉઘડે છે અને વાયુ નીચે ઉતરે છે. હેડકી, ઉધરસ, આફરો જેવા વાયુના રોગોમાં પણ એનાથી લાભ થાય છે.
=>લીંબુમાં વીટામીન સી હોવાથી દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો નવશેકા પાણીમાં લીંબુ પીવાથી મટે છે.
=>લીંબુ આલ્કલાઈન હોવાથી એસીડીટીમાં ઉત્તમ ગુણકારક છે.
=>લીંબુના છોતરામાં વધુ પ્રમાણમાં પોષક તત્વ મળી આવે છે, જેમાં ઈમ્યુન સીસ્ટમ ને મજબુત કરવા, કોલેસ્ટ્રોલને સામાન્ય કરવા અને કેન્સરને વધતો અટકાવવાની ક્ષમતા પણ હોય છે.
=>લીંબુના છોતરામાં એન્ટી માઈક્રોબીએલ ઈફેક્ટ ખુબ વધુ હોય છે અને તે બેક્ટેરીયલ અને ફંગલ ઇન્ફેકશન થી બચાવ કરે છે. લીંબુ દરેક ડીટોક્સ વિધિ નો એક જરૂરી ભાગ છે, પછી ભલે આપણે આ લીંબુ પાણીની જેમ કે લીંબુનીં ચા બનાવીને ઉપયોગ કરીએ
Thursday, May 9, 2019
વનસ્પતિ પરીચય :જટા માસી
જટામાંસી
હિંદીમાં તે બાલછડના નામથી તથા સંસ્કૃતમાં जटामांसी કે मासीना નામથી ઓળખાય છે.
બારેમાસ થનાર આ જમીન પર પથરાયેલા છોડમાં એક વિશેષ પ્રકારનું સુગંધી તેલ હોય છે
જેના કારણે તેમાં ઔષધીય ગુણો ભરેલા છે.જટામાંસી
એ જમીનમાં અને ખાસ કરીને રેતાળ પ્રદેશમાં થતી હોય છે .
=>તે લઘુ, સ્નિગ્ધ અને શીત ગુણયુકત છે.તેમજ સ્વાદે –કડવી, તૂરી અને કંઈક અંશે મધુર પણ છે
=>તે લઘુ, સ્નિગ્ધ અને શીત ગુણયુકત છે.તેમજ સ્વાદે –કડવી, તૂરી અને કંઈક અંશે મધુર પણ છે
.તે પચવામાં તીખી છે.
કર્મની દ્રષ્ટિએ વિચાર કરીએ તો તે સ્નિગધ, શીત વીર્ય અને કટુ વિપાકી એમ ત્રણેય દોષનો
કર્મની દ્રષ્ટિએ વિચાર કરીએ તો તે સ્નિગધ, શીત વીર્ય અને કટુ વિપાકી એમ ત્રણેય દોષનો
નાશ કરનાર હોવાથી ત્રિદોષહર છે
=>જટામાંસી એ તેના સંજ્ઞાસ્થાપન ગુણને કારણે મુખ્યત્વે માનસ રોગ અને મસ્તિષ્ક્ના રોગમાં ખૂબ જ
=>જટામાંસી એ તેના સંજ્ઞાસ્થાપન ગુણને કારણે મુખ્યત્વે માનસ રોગ અને મસ્તિષ્ક્ના રોગમાં ખૂબ જ
પ્રભાવી રીતે પરિણામ આપનાર એક દુર્લભ વનસ્પતિ છે.
=>જટામાંસીનું નિત્ય ચૂર્ણ અડધો ગ્રામ બે વાર દૂધ સાથે લેવાથી ઊદરમાં ગરમી આવે છે.
=>જટામાંસીનું નિત્ય ચૂર્ણ અડધો ગ્રામ બે વાર દૂધ સાથે લેવાથી ઊદરમાં ગરમી આવે છે.
તે વાયુને ઊર્ધ્વ તરફ ધકેલે છે જેને કારણે ઓડકાર આવીને પરસેવો થતાં નાડીતંત્રમાં સંજ્ઞા આવે છે.
=>સ્નાયુની નબળાઈ તથા સર્વાંગ દોર્બલ્યની સ્થિતિમાં જટામાંસી દૂધ સાથે લેવાથી
=>સ્નાયુની નબળાઈ તથા સર્વાંગ દોર્બલ્યની સ્થિતિમાં જટામાંસી દૂધ સાથે લેવાથી
તે નાડીતંત્રને પુષ્ટ કરવાને કારણે થાક ઓછો કરે છે.
=>જ્ઞાનતંતુના વિકારને કારણે ઊત્પન્ન માથાના દુખાવામાં જટામાંસીનો આભ્યાંતર અને
=>જ્ઞાનતંતુના વિકારને કારણે ઊત્પન્ન માથાના દુખાવામાં જટામાંસીનો આભ્યાંતર અને
બાહ્ય શિરોભ્યંગ સ્વરૂપે પ્રયોગ અતિ લાભદાયી નીવડે છે.
=>મૂત્રકૃચ્છ પેશાબ અટકીને આવવો તથા મૂત્રાશયના સોજામાં
=>મૂત્રકૃચ્છ પેશાબ અટકીને આવવો તથા મૂત્રાશયના સોજામાં
જટામાંસીનો ઊકાળો ગોખરુનાં ચૂર્ણ સાથે આપવાથી ફાયદો થાય છે.
=>કેશ કલ્પ તરીકે વપરાતાં તમામ યોગોમાં જટામાંસી એ એક આવશ્યક અંગ છે
=>કેશ કલ્પ તરીકે વપરાતાં તમામ યોગોમાં જટામાંસી એ એક આવશ્યક અંગ છે
તેના ઊપયોગથી વાળ સફેદ થતા અટકે છે. અકાળે પાકતાં (સફેદ થતાં)
વાળની સમસ્યામાં જટામાંસીથી સિધ્ધ કરેલ તેલની નિત્ય મસ્તિષ્કમાં માલિશ કરવાથી
, તેનો નસ્ય તરીકે પ્રયોગ કરવાથી તથા શિરોધારા તરીકે પણ પ્રયોગ કરીને વાળ સફેદ થતાં અટકાવી શકાય છે.
Wednesday, May 8, 2019
વનસ્પતિ પરીચય :અળવી
અળવી (કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા)
બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં
મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે.
આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. અળવી અત્યંત પ્રસિદ્ધ અને
સૌને માટે પરિચિત હોય તેવી વનસ્પતિ છે. અળવીની પ્રકૃતિ ઠંડી અને તર હોય છે. અળવીની અનેક જાતો થાય છે:
રાજાળુ, ધાવાળું, કાળીઅળુ, મુંડળેઅળુ, ગીમઅળુ અને રામઅળુ. એ સર્વમાં કાળી અળવી ઉત્તમ છે.
કેટલીક અળવીને મોટા અને કેટલીકને ઝીણા-નાના કંદ હોય છે, જેની તરેહતરેહની વાનગીઓ બનાવાય છે.
અળવીના પાનમાંથી પાત્રા કે પતરવેલીયા તરિકે ઓળખાતી પ્રખ્યાત ગુજરાતી વાનગી બને છે.
અળવીની ગાંઠોનું શાક બને છે, જે ખાસ કરીને ફરાળ તરિકે ખાવામાં આવે છે.
અળવી રક્તપિત્તના ઉપચારમાં વપરાય છે અને તે ઉપરાંત ઝાડા બંધ કરનારી અને વાયુ પ્રકોપ કરનારી વનસ્પતિ છે.
આયુર્વેદીક મત અનુસાર શીતળ, અગ્નિપ્રદિપક , બળની વૃદ્ધિ કરવા વાળી અને સ્ત્રિઓ માટે
સ્તનોમાં દૂધ વધારનાર ખોરાક છે.
કોમળ પાનના રસને જીરાના ભુકામાં મેળવી આપતા પિત્ત પ્રકોપ મટે છે.
અળવીના પાનના રસ ૩ દિવસ સુધી પીવાથી સે પેશાબની બળતરા મટે છે.
અળવીના પાનની દાંડીઓ બાળી તેની રાખ તેલમાં મેળવી લગાવતા ફોડી ફોડા મટે છે.
હિલાઓના દૂધની વૃદ્ધિ
અળવીનું શાક ખાવાથી દુગ્ધપાન કરાવવા વાળી સ્ત્રિઓ નું ઓઓધ વધે છે
રક્તપિત્ત (ખૂની પિત્ત) હોને પર અળવીના પાનનું શાક રક્તપિત્તના રોગીઓ માટે લાભકારી છે.
અળવીના પાન તેની દાંદી સાથે ઉકાળી તેનું પાણી કાઢી તેમાં ઘી મેળવી ૩ દિવસ સુધી સેવન કરતા વાયુનો ગોળો દૂર થાય છે.
અળવીનું શાક રોજ ખાવાથી હૃદયરોગમાં લાભ થાય છે
Monday, May 6, 2019
વનસ્પતિ પરીચય :રામફળ
રામફળ
ઝાડ ઓછા પ્રમાણમાં મળી આવે છે. રામફળ ઉનાળામાં આવતું ફળ છે. ફળનું આવરણ તપખીરી કેસરી રંગનું હોય છે
. રામફળ એ સીતાફળની જાતીનું છે
ખાવામાં અતિશય સ્વાદિષ્ટ
તેનાં બી સીતાફળમાં થાય છે તેવાં જ પણ પીળા રંગનાં હોય છે.ગાઢ જંગલોની લીલાશ વચ્ચે આ
ખાવામાં અતિશય સ્વાદિષ્ટ
તેનાં બી સીતાફળમાં થાય છે તેવાં જ પણ પીળા રંગનાં હોય છે.ગાઢ જંગલોની લીલાશ વચ્ચે આ
ફળ પાકતું હોઈ તેને રણફળ અગર જંગલી ફળ કહે છે. તે ‘રાનફળ’ ઉપરથી ‘રામફળ’ નામ થઈ ગયું છે.
કાઠિયાવાડમાં મહુવા આઓ તો આ માર્ચ, એપ્રિલ, મે માસમાં રામફળ મળે તો ખાજો.
રામફળ સ્વાદમાં મધુર હોય છે,
=>એ વાયુ અને કફવર્ધક, રક્તદોષનાશક, ગ્રાહી (સંકોચક) તથા અરુચી,
કાઠિયાવાડમાં મહુવા આઓ તો આ માર્ચ, એપ્રિલ, મે માસમાં રામફળ મળે તો ખાજો.
રામફળ સ્વાદમાં મધુર હોય છે,
=>એ વાયુ અને કફવર્ધક, રક્તદોષનાશક, ગ્રાહી (સંકોચક) તથા અરુચી,
દાહ-બળતરા, પીત્ત, થાક, પેટનાં કૃમી, મરડો, વાઈ-એપીલેપ્સી મટાડે છે.
=>રામફળના ઝાડની છાલનું ચુર્ણ સવાર-સાંજ અડધી ચમચી જેટલું થોડા દીવસ લેવાથી
=>રામફળના ઝાડની છાલનું ચુર્ણ સવાર-સાંજ અડધી ચમચી જેટલું થોડા દીવસ લેવાથી
નવો કે જુનો મરડો હોય તે પણ મટે છે.
=>રામફળ સ્ત્રીઓને મેન્સ્ટ્રુએશન- માસિકસ્ત્રાવમાં તકલીફ થાય તેને માટે સારું છે.
=>રામફળમાં ભરપૂર પોટેશિયમ છે એટલે રામફળ ખાવાથી માનવીના સ્નાયુ મજબૂત થાય છે.
=>લેવેન્ડરના તેલ સાથે રામફળની લુગદી ભેળવીને શરીરે મસાજ કરવાથી ચામડી સુંદર બને છે.
=>માથામાં ખોડો થયો હોય તો રામફળના વૃક્ષની છાલને વાટીને તેને ખોડા ઉપર લગાવાય છે.
=>મોંઢાના ખીલ માટે રામફળનો ગર્ભ એ મલમ જેવું કામ કરે છે.
=>રામફળ સ્ત્રીઓને મેન્સ્ટ્રુએશન- માસિકસ્ત્રાવમાં તકલીફ થાય તેને માટે સારું છે.
=>રામફળમાં ભરપૂર પોટેશિયમ છે એટલે રામફળ ખાવાથી માનવીના સ્નાયુ મજબૂત થાય છે.
=>લેવેન્ડરના તેલ સાથે રામફળની લુગદી ભેળવીને શરીરે મસાજ કરવાથી ચામડી સુંદર બને છે.
=>માથામાં ખોડો થયો હોય તો રામફળના વૃક્ષની છાલને વાટીને તેને ખોડા ઉપર લગાવાય છે.
=>મોંઢાના ખીલ માટે રામફળનો ગર્ભ એ મલમ જેવું કામ કરે છે.
Sunday, May 5, 2019
વનસ્પતિ પરીચય :રૂખડો
રૂખડો
રૂખડો અથવા ગોરખ આમલી અથવા ચોર આમલો તરીકે ઓળખાતું એક વૃક્ષ છે,
૨૦૦૦ વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા આ ઝાડનું થડ ખૂબજ જાડું હોય છે.
ફૂલ સફેદ અને મોટાં હોય છે. ફળ ભૂખરા-બદામી રંગનાં નાની તુંબડી જેવાં હોય છે. તેનું થડ લિસ્સું હોવાને કારણે તેના પર શિકારી પ્રાણીઓ સહેલાઈથી ચડી શકતાં નથી,
આને લીધે આ વૃક્ષની બખોલમાં ઘણાં પક્ષીઓ માળો બનાવતાં હોય છે.
=>આ વૃક્ષની છાલમાં કાપ મૂકતાં તેમાંથી ગુંદર ઝરે છે,
=>આ વૃક્ષની છાલમાં કાપ મૂકતાં તેમાંથી ગુંદર ઝરે છે,
જે પાલતુ જનાવરોના શરીર પરના ઘા મટાડવા ઉપયોગી છે.
Friday, May 3, 2019
વનસ્પતિ પરીચય :અગથિયો
અગથિયો :(Sesbane)
અગથિયો પાણી વાળી જમીનમા તેમના ઝાડ પુષ્કળ ઝડપથી વધે છે અને 15 થી 30 મીટર ઊઁચા જાય છે .
એનાં વૃક્ષોનું આયુષ સાતથી આઠ વર્ષનું જ હોય છે.
=>રાતા અને ધોળા ફૂલોવાળી અગથિયાની બે જાત થાય છે.
=>રાતા અને ધોળા ફૂલોવાળી અગથિયાની બે જાત થાય છે.
એનાં પર્ણો આમલીનાં પર્ણો જેવાં નાનાં અને સામસામા હોય છે.
=>એને ફૂલો અને શિંગો આવે છે. ફૂલનાં વડાં, ભજિયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે.
=>ગુણોની દૃષ્ટિએ અગથિયો રૂક્ષ, શીતળ, ત્રિદોષનાશક અને મધુર છે
=>એને ફૂલો અને શિંગો આવે છે. ફૂલનાં વડાં, ભજિયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે.
=>ગુણોની દૃષ્ટિએ અગથિયો રૂક્ષ, શીતળ, ત્રિદોષનાશક અને મધુર છે
. ઉધરસ, કફ, શ્રમ, વૈવર્ણ્ય, ચોથિયો તાવ અને પિત્તને શાંત કરે છે.
=>એનાં ફૂલ કડવા, તુરા, થોડા શીતળ અને વાયુ કરનાર છે. સળેખમ અને રતાંધળાપણું દૂર કરે છે.
=>એનાં પર્ણો અને ભાજી તીખી, કડવી, કૃમિ, કફ, ખંજવાળ મટાડે છે.
=>રાતા અગથિયાનો રસ સોજા પર લગાડવાથી સોજા મટે છે.
=>અગથિયાનાં પાદડાનાં રસ નાં ટીપા નાકમા નાખવાથી શરદી અને તાવ મટે છે.
=>વાયું નો પ્રકોપ હોય તો તેમની છાલ થી રાહત થાય.
=>પાન નાં રસમા ઘી મિક્સ કરી તે ગાયના દૂધ મા એક ચમસી નાખી પીવાથી રતઆંધળા પણુ અને
=>એનાં ફૂલ કડવા, તુરા, થોડા શીતળ અને વાયુ કરનાર છે. સળેખમ અને રતાંધળાપણું દૂર કરે છે.
=>એનાં પર્ણો અને ભાજી તીખી, કડવી, કૃમિ, કફ, ખંજવાળ મટાડે છે.
=>રાતા અગથિયાનો રસ સોજા પર લગાડવાથી સોજા મટે છે.
=>અગથિયાનાં પાદડાનાં રસ નાં ટીપા નાકમા નાખવાથી શરદી અને તાવ મટે છે.
=>વાયું નો પ્રકોપ હોય તો તેમની છાલ થી રાહત થાય.
=>પાન નાં રસમા ઘી મિક્સ કરી તે ગાયના દૂધ મા એક ચમસી નાખી પીવાથી રતઆંધળા પણુ અને
અન્ય આંખની તકલીપ દૂર થાય.
Thursday, May 2, 2019
વનસ્પતિ પરીચય :દારૂડી
દારૂડી (Prickly poppy)
દારૂડી ,સત્યાનાશીના આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે.
ખાસ કરીને સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે.
આ તમને ખેતર,ખળું,નદી,નાળા જેવી દરેક જગ્યાએ મળશે.
આ બે પ્રકારના ફૂલોવાળા હોય છે.એક પીળો અને એક સફેદ ફૂલવાળો.
આ બંને પ્રકારના છોડ ઔષધીયરૂપે સમાન હોય છે
.આના પાંદડા કાંટાળા હોય છે જેને તોડવાથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.
=>દારૂડી આ એટલો ગુણકારી છોડ છે કે ગમે તેટલો જૂનો ઘા હોય
=>દારૂડી આ એટલો ગુણકારી છોડ છે કે ગમે તેટલો જૂનો ઘા હોય
કે ધાધર,ખસ,ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે.
=>નપુંસકતા-એના માટે દારૂડી (સત્યાનાશી)ના મૂળિયાને વાટીને
=>નપુંસકતા-એના માટે દારૂડી (સત્યાનાશી)ના મૂળિયાને વાટીને
એક સત્યનાશીના મૂળનો પાવડર અને તેટલીજ માત્રામાં વડનું દૂધને મેળવી
ચણાના આકારની ગોળીઓ બનાવી લો.
આ ગોળીઓને સતત 14 દિવસ સુધી સવાર-સાંજ પાણીની સાથે
આપવાથી નપુંસકતા રોગ દૂર થાય છે. આ પણ એક રામબાણ ઉપાય છે.
=>અસ્થમા-એના માટે સત્યાનાશીના મૂળિયાનું ચૂરણ
=>અસ્થમા-એના માટે સત્યાનાશીના મૂળિયાનું ચૂરણ
એક થી અડધો ગ્રામ ગરમ પાણી સાથે લેવાથી અસ્થમા મટી જાય છે.
.દવામા ઉપયોગ કરતા પેલા વૈધની સલાહ લેવી
Wednesday, May 1, 2019
વનસ્પતિ પરીચય :નાગલી
નાગલી (Eleusine coracana)
નાગલી અથવા રાગી સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે.
=>ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ , વલસાડ , નવસારી , તાપી તેમ જ
સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી,
તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. નાગલી મૂળ રૂપમાં ઊઁચાઇ ધરાવતા પ્રદેશોમાં
અનુકૂળતા સાધવામાં નાગલી સમર્થ વનસ્પતિ છે.
=>નાગલી પોષક તત્વોથી ભરપુર તૃણ ધાન્ય પાક છે. તેના દાણામાં પ્રોટીન,
ખનજ તત્વ અને વિટામીનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.
=>નાગલીમાં રેસાની માત્ર વધારે હોવાથી ડાયબિટિસ અને é
દયરોગના દર્દીઓ માટે ખુબ લાભદાયક છે.
=>નાગલીમાં કેિલ્શયમ અને આર્યનનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતાં
સવિશેષ હોવાથી તેનો ઉપોયગ કુપોષણ દૂર કરવામાં અને
બેબી ફ્રુડ બનાવવામાં થાય છે.
=>નાગલી ઉગાડતા આદિવાસી ખેડતો નાગલીના લોટમાંથી
રોટલા બનાવી ખાય છે. આ ઉપરાંતતેના લોટમાંથી બસ્કિીટ,
ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી જુદીજુદી મૂલ્યવર્ધક
વાનગીઓ બનાવી શકાય છે.
Tuesday, April 30, 2019
વનસ્પતિ પરીચય :આંબો
ગુજરાતનું_રાજ્ય_વૃક્ષ_આંબો
આંબો (mangifera indica)
આંબાના ઝાડ ભારતમાં બધે જોવા મળે છે.આંબાની અનેક જાતો છે.
આંબાપર શિયાળામાં મોરના ફૂલ આવે છે.
અને તેના પર કેરી થઈ ઉનાળામાં પાકે છે.પાકી કેરી નો રસ મધુર સ્વાદિષ્ટ હોય
આના સેવનથી લોહી વધે છે.કાચી કેરીની અનેક જાત
અથાણા બનાવવા અને મૂરબ્બોમાં પણ વપરાય છે.
ઔષધ ઉપાય:
=>પાકી કેરીનો રસ મધ મેળવીને ખાવાથી કફના રોગો તથા બરોળના રોગો મટે છે.
=> આંબાની ગોટલી દહીંમાં વાટીને પીવાથી કાચા ઝાડા અથવા આમાતીસાર મટે છે.
=>કેરીની ગોટલીના ચુર્ણને પાણીમાં કાલવી તેને શરીરે ચોળીને સ્નાન કરવાથી અળાઈ મટે છે.
=>કેરીની ગોટલી છાશ અથવા ચોખાના ધોવરામણમાં આપવાથી રક્તાતીસાર મટે છે.
=>આંબાની અંતર છાલ, ઉમરાના મુળની છાલ અને વડની વડવાઈનો રસ કાઢી તેમાં જીરું અને ખડી સાકર મેળવીને લેવાથી શરીરની સર્વ પ્રકારની ગરમી મટે છે.
=>કેરીની ગોટલીનું ચુર્ણ મધ સાથે આપવાથી દુઝતા હરસ શાંત થાય છે.
=>વીંછીં ડંખે તરત કેરીનો ચીક લગાવવાથી મટે છે.
=>નસકોરી ફુટે ત્યારે ગોટલીનો રસ નાખવાથી રાહત થાય.
=>ગોટલીનું ચુર્ણ કરી દહીં સાથે આપવાથી ઝાડા મટે છે.
Monday, April 29, 2019
વનસ્પતિ પરીચય :બીયો
બીયો(pterocarpus marsupium)
પાનખર ભેજવાળા જંગલોમાં જોવા મળતું મોટા કંદનું વૃક્ષ
છે.જેની છાલ કાઢવાથી લાકડું લાલ રંગનું દેખાય છે.
થડ કથ્થઈ રંગનું હોય છે.તેમના ફૂલ પીળા અને
બીજ ફરતે જલર જોવા મળે છે .
=>તેનું લાકડું ઠંડી કે ગરમીમાં ફૂલતું કે સુકાતું નથી.
=>તેનું લાકડું ઠંડી કે ગરમીમાં ફૂલતું કે સુકાતું નથી.
તેનો ઉપયોગ વાદ્ય બનાવવા માટે થાય છે.
=>લાકડાને પાણીમાં પલાળી તે પીવાથી મધુપ્રમેહમાં રાહત રહે છે.
=>ગુંદર અતિસાર,પેઢાં ફૂલી જવામાં અને દાંતના દુ:ખાવામાં વપરાય છે.
=>પાન ગુમડાં,ઉઝરડા,ચામડીનાં દર્દમાં લસોટી વપરાય છે.
=>લાકડાને પાણીમાં પલાળી તે પીવાથી મધુપ્રમેહમાં રાહત રહે છે.
=>ગુંદર અતિસાર,પેઢાં ફૂલી જવામાં અને દાંતના દુ:ખાવામાં વપરાય છે.
=>પાન ગુમડાં,ઉઝરડા,ચામડીનાં દર્દમાં લસોટી વપરાય છે.
Sunday, April 28, 2019
વનસ્પતિ પરીચય :દમવેલ
દમવેલ(tylophora indica)
આંકડાના પાનને મળતાં નાનકડા પાન હોવાથી તેને અર્કપત્રી કહે છે
. લોકભાષામાં તે 'દમવેલ' તરીકે પણ ઓળખાય છે
. વેલ પર આકડાના છોડ પર થાય છે તેવા જ નાનકડા ફૂલ પણ આવે છે.
આ વેલ બધે જ ઊગી શકે છે. અને ખૂબ ફેલાય છે
. જમીન પર એના બીજ પડવાથી નાના નાના ઘણા છોડ ઊગી નીકળે છે.
=>દમ શ્વાસની એ એક અકસીર દવા છે
=>દમ શ્વાસની એ એક અકસીર દવા છે
. લેટિન ભાષામાં એને ટાઈલો ફોરા ઇન્ડિકા કહે છે.
=>વર્ષો પહેલા એને 'ટાઈલોફોરા એસ્થમેટિકા' નામથી ઓળખવામાં આવતી હતી.
=>પાન સૂકવીને તેમજ મુળ વેલાનો પાવડર પેટના દર્દોમા ,અસ્થમા દમ
=>વર્ષો પહેલા એને 'ટાઈલોફોરા એસ્થમેટિકા' નામથી ઓળખવામાં આવતી હતી.
=>પાન સૂકવીને તેમજ મુળ વેલાનો પાવડર પેટના દર્દોમા ,અસ્થમા દમ
અને મરડો મટાડવા માટે વપરાય છે .
=>તેના મુળ તથા પાનમાં આલ્કલોઈડ તત્વ હોય છે .
=>દમ શ્વાસ માટે માત્ર પાંચ જ દિવસનો આ પ્રયોગ છે.
=>તેના મુળ તથા પાનમાં આલ્કલોઈડ તત્વ હોય છે .
=>દમ શ્વાસ માટે માત્ર પાંચ જ દિવસનો આ પ્રયોગ છે.
દરદીએ રોજ સવારે અર્ક પત્રીનું એક જ તાજું પાન ચાવી જવાનું છે.
પાન પરોઢિયે ચાર વાગે ઊઠીને ચાવી જવું અને પછી સૂઈ જવું.
પાન ચાવ્યા પછી પાણી કે ચા એવું કશું જ ન પીવું. સાતેક વાગ્યે ઊઠયા
પછી પોતપોતાની ટેવ પ્રમાણે ઉકાળો, ચા ને હળવો નાસ્તો લઇ શકાય.
પાન ચાવ્યા પછી તરત જ, પાણી કે ચા નાસ્તો લેવાથી મોંમાં મોળ આવે છે.
અને ગભરામણ સાથે ક્યારેક ઊલટી પણ થઇ જાય છે. આથી
પાન ચાવ્યા પછી તુરત કશું ન ખાવા પીવાની સૂચના આપવામાં આવે છે.
વનસ્પતિ પરીચય :નોળવેલ
નોળવેલ:(dioscorea bulbifera)
એક જાતની વેલ;
=>આ વેલનાં પાન નાગરવેલનાં પાન જેવાં હોય છે. કંદ અને મૂળ ઉપયોગી છે.
તેનું કંદ જમીનની અંદર ઊંડું હોય છે. તેનાં મૂળને રાસ્ના કહે છે.
=>વેલ ચોમાસામાં ઊગી નીકળે છે. તેનાં અણીવાળાં પાંદડાંની બંને બાજુએ પૂમ હોય છે.
=>વેલ ચોમાસામાં ઊગી નીકળે છે. તેનાં અણીવાળાં પાંદડાંની બંને બાજુએ પૂમ હોય છે.
નાઉળનાં પાંદડાનું શાક થાય છે. તે શાક ઠંડું અને ગરમીવાળા માણસને પથ્યકર છે.
=>તેનાં મૂળ ગરમ, ઘણાં કડવાં, વામક, વાતહર, આર્તવજન્ય, જ્વરઘ્ન, કૃમ્ઘ્ન, વિષઘ્ન, રેચક અને પાચક છે.
=>તેનાં મૂળ ગરમ, ઘણાં કડવાં, વામક, વાતહર, આર્તવજન્ય, જ્વરઘ્ન, કૃમ્ઘ્ન, વિષઘ્ન, રેચક અને પાચક છે.
તે સર્પદંશનું ઝેર, વીંછી, ઉંદર, ગરોળી અને અન્ય ઝેરી પ્રાણીઓનું ઝેર, અફીણ વગેરે વનસ્પતિનું ઝેર તેમ જ ધાતુ અને ઉપધાતુઓનાં ઝેર નાબૂદ કરનાર મનાય છે.
=>શીતજ્વર મટાડવામાં તે બહુ ઉપયોગી હોવાનું મનાય છે. સર્પના ઝેર ઉપર પણ તે વપરાય છે.
તે વિષનાશક હોવા ઉપરાંત
=>જ્વર, કૃમિ અને કફમાં પણ ઉપયોગી કહેવાય છે.
એવી માન્યતા છે કે, નોળિયું સર્પની સાથે લડે ત્યારે સર્પ કરડે તો તે તરત નોરવેલ સૂંઘી આવે છે
=>શીતજ્વર મટાડવામાં તે બહુ ઉપયોગી હોવાનું મનાય છે. સર્પના ઝેર ઉપર પણ તે વપરાય છે.
તે વિષનાશક હોવા ઉપરાંત
=>જ્વર, કૃમિ અને કફમાં પણ ઉપયોગી કહેવાય છે.
એવી માન્યતા છે કે, નોળિયું સર્પની સાથે લડે ત્યારે સર્પ કરડે તો તે તરત નોરવેલ સૂંઘી આવે છે
અને તેથી બચી જવા પામે છે.
=>અરીઠાના પાણીમાં કે ધોળી ચણોઠીનાં મૂળ સાથે વાટી પિવડાવવાથી ખૂબ ઊલટી થઈ ઝેર ઊતરે છે.
=>અરીઠાના પાણીમાં કે ધોળી ચણોઠીનાં મૂળ સાથે વાટી પિવડાવવાથી ખૂબ ઊલટી થઈ ઝેર ઊતરે છે.
તેનાં સર્વાંગ સુગંધી, બહુ કડવાં, કટુપૌષ્ટિક, વાયુનાશક, ગ્રાહી, ગર્ભશયોત્તેજક, દીપન, મજ્જાતંતુને ઉત્તેજક, સ્વેદલ, જ્વરપ્રતિબંધક, વિષહર, મૂત્રાશય અને મૂત્રપિંડના તમામ રોગમાં વખાણવા જેવી અસર કરે છે.
=>બચ્ચાંને દાંત આવતી વખતે થતાં ઝાડા ઊલટીને તે મટાડે છે.
=>ત્રિદોષ અને મજ્જાતંતુઓના રોગમાં તેની સાથે તગરના ગંઠોડા દેવાથી સારો ફાયદો થતો મનાય છે.
=>બચ્ચાંને દાંત આવતી વખતે થતાં ઝાડા ઊલટીને તે મટાડે છે.
=>ત્રિદોષ અને મજ્જાતંતુઓના રોગમાં તેની સાથે તગરના ગંઠોડા દેવાથી સારો ફાયદો થતો મનાય છે.
નાની નોરવેલને નાઉળ કહે છે.
=> પાન મૂત્રકૃચ્છ્ર, મૂત્રાઘાત, ઉપદંશ અને આંખો આવે તે ઉપર ઉપયોગી ગણાય છે.
=> પાન મૂત્રકૃચ્છ્ર, મૂત્રાઘાત, ઉપદંશ અને આંખો આવે તે ઉપર ઉપયોગી ગણાય છે.
Friday, April 26, 2019
Thursday, April 25, 2019
વનસ્પતિ પરીચય :અશોક
અશોક(saraca ashoka )
આસોપાલવ એ અશોક નથી. અશોકનાં વૃક્ષો આંબાનાં જેવાં ઘેઘુર-વિશાળ થાય છે.
સદાહરિત રહેતું બગીચામા ઉછેરવામા આવે છે . અશોક શીતળ, કડવું, ગ્રાહી, વર્ણપ્રદ, તૂરું હોય છે
. તે શોષ, અપચો , દાહ, કૃમિ, સોજો, વિષ અને રક્તના વિકારો મટાડે છે.
=>અશોકની છાલ રક્તપ્રદર-લોહીવા મટાડે છે.
=>અશોકની છાલ રક્તપ્રદર-લોહીવા મટાડે છે.
એની છાલમાંથી બનાવાતું દ્રવ અશોકારિષ્ટ અનેક સ્ત્રીરોગોમાં વપરાય છે.
=>અશોકની છાલ સ્ત્રીરોગોમાં ખૂબ ઉપયોગી ઔષધ છે.
=>અશોકની છાલ સ્ત્રીરોગોમાં ખૂબ ઉપયોગી ઔષધ છે.
=>એક ગલાસ ગાય કે બકરીના દૂધમાં એટલું જ પાણી ઉમેરી એક ચમચી
અશોક વૃક્ષની છાલનું ચૂર્ણ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી,
ઠંડુ કરી. સવાર-સાંજ પીવાથી અને આહારમાં ગરમ પિત્તવર્ધક દ્રવ્યોનો ત્યાગ કરી,
સંપૂર્ણ આરામ કરવાથી રક્તપ્રદર-લોહીવા મટે છે.
એમાં બજારમાં તૈયાર મળતું અશોકારિષ્ટ પણ ઉત્તમ છે.
=> સવાર-સાંજ જમ્યા પછી બે ચમચી અશોકારિષ્ટમાં થોડું પાણી ઉમેરી પીવાથી
વધુ પડતા માસિક-લોહીવાની તકલીફ તથા ગર્ભાશયની શિથિલતા દૂર થાય છે.
ઠંડુ કરી. સવાર-સાંજ પીવાથી અને આહારમાં ગરમ પિત્તવર્ધક દ્રવ્યોનો ત્યાગ કરી,
સંપૂર્ણ આરામ કરવાથી રક્તપ્રદર-લોહીવા મટે છે.
એમાં બજારમાં તૈયાર મળતું અશોકારિષ્ટ પણ ઉત્તમ છે.
=> સવાર-સાંજ જમ્યા પછી બે ચમચી અશોકારિષ્ટમાં થોડું પાણી ઉમેરી પીવાથી
વધુ પડતા માસિક-લોહીવાની તકલીફ તથા ગર્ભાશયની શિથિલતા દૂર થાય છે.
વનસ્પતિ પરીચય :અરડુસી
અરડૂસી:
અરડૂસી ક્ષયમાં ખૂબ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની
સાથે પણ અરડૂસીનો ઉપયોગ થઈ શકે.
સૂકી અને કફવાળી બંને ઉધરસમાં અરડૂસી ખૂબ હિતાવહ છે.
કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય,
કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય,
તેમાં અરડૂસી સારું કામ કરે છે.
👉 અરડૂસીનાં તાજાં પાનને ખૂબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને
👉 અરડૂસીનાં તાજાં પાનને ખૂબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને
એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટો પડે છે.
👉 નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી
👉 નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી
રસ એટલા જ મધ સાથે સવાર-સાંજ આપવાથી રાહત થાય છે.
👉 અરડૂસીના અવલેહને વાસાવલેહ કહે છે.
👉 અરડૂસીના અવલેહને વાસાવલેહ કહે છે.
તે ખાંસી, દમ અને સસણીમાં સારું પરિણામ આપે છે.
👉 પરસેવો ખૂબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી
સવાર-સાંજ પીવાથી અને અરડૂસીનાં સૂકાં પાનનું ચૂર્ણ
ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે.
વનસ્પતિ પરીચય :પીલુ
પીલુ
પીલુ : પીલુની ખારી અને મીઠી એમ બે જાત હોય છે.મીઠી જાતનાં પીલુ નાનાં હોય છે જે ૧૫ ફુટ જેટલાં ઉંચાં થાય છે.
આ વૃક્ષો વાંકાચુકાં અને અનેક નમતી ડાળોવાળાં હોય છે.
પાન જાડાં, સામસામાં અને લીલા રંગનાં હોય છે. સ્વાદે તીક્ષ્ણ, તીખાં હોય છે.
ફુલ પીળાશ પડતા લીલા રંગનાં મહા મહીનામાં જોવા મળે છે.
ફળ ચણા જેવાં નાનાં રાતાં, કાળાં, સફેદ રંગનાં થાય છે.
ખાવામાં તીક્ષ્ણ તીખાં, સહેજ ગળ્યાં અને સ્વાદીષ્ટ લાગે છે.
એના રસનો સ્વાદીષ્ટ આસવ બને છે. પીલુના બીજના તેલને ખાખણ કહે છે.
એ કોકમના તેલની જેમ જામી ગયેલું હોય છે.
એમાં પણ પીલુની જેમ ઉષ્ણતા અને તીક્ષ્ણતા હોય છે.
->વાયુના રોગોમાં ખાખણ લગાડવાથી લાભ થાય છે.
સંધીવાના સોજા પર, પગની પીંડલીમાં ગોટલા ચડી જવા વગેરેમાં
ખાખણ લગાડવામાં આવે છે.
-> ગ્રહણી, અર્શ (હરસ), અતીસાર, સંધીવામાં પીલુ ઉત્તમ ઔષધ છે.
-> પીલુનો આસવ અશક્તી, હરસ-મસા અને અજીર્ણમાં ઉપયોગી છે.
Monday, April 22, 2019
વનસ્પતિ પરીચય :દેશી બાવળ
દેશી બાવળ(acacia nilotica )
બાવળનું વૃક્ષ ૫થી ૨૦ મીટર જેટલું ઊંચુ વધે છે. તેને ઘાટી પર્ણઘુમટ હોય છે. તેની ડાળીઓ પ્રાયઃ કથ્થૈ અને કાળી હોય છે. તેના થડની છાલ તિરાડો વાળી હોય છે. તેમાંથી લાલશ પડતા રંગનું નીચી ગુણવત્તાનું ગુંદર નીકળે છે.
=>મોઢું આવ્યું હોય તો બાવળના છાલ ના કોગળા કરવાથી લાભ થાય છે .
=>બાવળનું દાંતણ દાંત ને મજબૂત રાખે છે.=>આંતરછાલ છાતીના દુ:ખાવા તેમજ કફ ખાસીમાં મોંમાં રાખવાથી ફાયદો થાય છે.
#ઢીંચણના_દુઃખાવા_માટે_સરળ_ઉપાય
બાવળનાં બી નોઁ પાવડર
હુંફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી એક ચમચી ૨-૩મહિના સતત લેવાથી દુઃખાવો બિલકુલ દૂર થાય છે.
બાવળનું વૃક્ષ ૫થી ૨૦ મીટર જેટલું ઊંચુ વધે છે. તેને ઘાટી પર્ણઘુમટ હોય છે. તેની ડાળીઓ પ્રાયઃ કથ્થૈ અને કાળી હોય છે. તેના થડની છાલ તિરાડો વાળી હોય છે. તેમાંથી લાલશ પડતા રંગનું નીચી ગુણવત્તાનું ગુંદર નીકળે છે.
=>મોઢું આવ્યું હોય તો બાવળના છાલ ના કોગળા કરવાથી લાભ થાય છે .
=>બાવળનું દાંતણ દાંત ને મજબૂત રાખે છે.=>આંતરછાલ છાતીના દુ:ખાવા તેમજ કફ ખાસીમાં મોંમાં રાખવાથી ફાયદો થાય છે.
#ઢીંચણના_દુઃખાવા_માટે_સરળ_ઉપાય
બાવળનાં બી નોઁ પાવડર
હુંફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી એક ચમચી ૨-૩મહિના સતત લેવાથી દુઃખાવો બિલકુલ દૂર થાય છે.
Sunday, April 21, 2019
વનસ્પતિ પરીચય :વેવડી /જલજમની
વેવડી/જલજમની (broom crepper)
એક જાતનો વેલો. આ વેલો બારે માસ જોવામાં આવે છે.
તેના પાંદડા સરળ અને નરમ હોય છે,તે કુદરતી રીતે ઠંડા છે
.ફૂલ લીલાશ લેતા પીળા રંગનાં ને ઘણાં નાનાં હોય છે.
ફળ સૂક્ષ્મ કાળાં રંગના હોય છે.
તે પાણીને જમાવી દે છે, માટે તેનું આ નામ જલ જમની પડ્યું છે.
=>લેટિન: કોક્યુલસ હિરસુથસ, કોક્યુલસ વિલોસસ.
=>કફ અને પેટમાં દુખાવા તેમ જ તૂટેલા હાડકાંને જોડે છે
તે પાણીને જમાવી દે છે, માટે તેનું આ નામ જલ જમની પડ્યું છે.
=>લેટિન: કોક્યુલસ હિરસુથસ, કોક્યુલસ વિલોસસ.
=>કફ અને પેટમાં દુખાવા તેમ જ તૂટેલા હાડકાંને જોડે છે
=>પાન અને મુળની લૂગદી સાંધાના દુખાવા માં આરામ આપે છે .
એવું માનવામાં આવે છે કે આ સાંધામાં દુખાવો
, સંધિવા અને અન્ય પ્રકારની પીડા રોકવા માટે ખૂબ અસરકારક છે.
=>ડાયાબિટીસ માં ચાર પાંદડા દર્દી સવારે ચાવે તો અસરકારક હર્બલ ઉપાય છે.
=>ડાયાબિટીસ માં ચાર પાંદડા દર્દી સવારે ચાવે તો અસરકારક હર્બલ ઉપાય છે.
વનસ્પતિ પરીચય :વછનાગ ( gloriosa superba )
વછનાગ:( gloriosa superba )
=>આ વનસ્પતિ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વછનાગ, નાગાસેર, નાગસર, કંકાસણી=>આ છોડ ખેતરની વાડ વચ્ચે, અને જાહેર રસ્તાઓની આસપાસ, ગીચ જંગલોમાં તથા ખુલ્લા ઘાસના મેદાનોમાં જોવા મળે છે.
=>આ વનસ્પતિ ઘણી શાખાઓ ધરાવતી વેલ છે. તેના પાંદડા દંડવિહિન તથા પ્રકાંડ સાથે જોડાયેલા હોય છે. પાંદડાનો આગળનો ભાગ સીધો લંબાયેલો તેમજ સૂત્રમય હોય છે.
=>આ છોડના કંદનો ઉપયોગ સર્પદંશની ઔષધ તરીકે, શક્તિવર્ધક (ટોનિક) તેમજ પેટમાં થતી કૃમિનો નાશ કરવા માટે થાય છે.
=>તેના પુષ્પ મોટા, પાંદડાની આમાં એકાકી તથા તરંગિત ધાર ધરાવતા હોય છે. તેનો રંગ અંદર તરફ લીલાશ પડતા પીળાથી શરૂ થઈ બહારની બાજુ નારંગી હોય છે.
=>તેના ફળ લંબગોળ તથા પ્રાવર હોયછે.
=>તેના પુષ્પ જુલાઈ માસમાં બેસે છે. આ છોડના બીજ તથા કંદનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થવાથી આ વનસ્પતિનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે.
=>સંધિવાની વેદના પર લીમડાના રસમાં તેના ફળ ઘસીને ચોપડવાથી રાહત થાય છે.
Saturday, April 20, 2019
પ્રેમની ક્ષણ
💞પ્રેમની ક્ષણ💞
પ્રેમની ક્ષણ જીવનમાં
ખરેખર અદ્ભુત છે
ચાહું છું તને દિલથી
એ વાત હકીકત છે.
સૌંદર્ય તારું કેવું ભવ્ય !
જાણે ચાંદનીનું તેજ લ્યો.
પણ આમ તો સમય આ
કેટલો સુંદર લાગે વનવાસી !
ચોતરફ તારું પ્રેમનું વન છે.
જોવા આ નઝારો થાકતી
નથી મારી આ બે આંખો
એટલે તો જીવનની હર
ક્ષણ તારી સંગ માણી.
✍રાજેશ બારૈયા "વનવાસી "
વૃક્ષો વાવો
🌿 વૃક્ષો વાવો🌿
વૃક્ષો વાવો ભાઈ વૃક્ષો વાવો ,
વરસાદી મોસમમાં વૃક્ષો વાવો.
આંગણામાં શેઢે-પાળે વૃક્ષો વાવો,
પડતર જમીનમાં વૃક્ષો વાવો .
ધોવાણ થતી જમીનમાં વૃક્ષો વાવો.
કરશે જળ-જમીનનું જતન વૃક્ષો ,
વૃક્ષો બચાવો સુખનો છાંયડો માણો.
વૃક્ષોમાં શ્યામ છે , વૃક્ષો વાવો,
દરેક વ્યક્તિ આ વાતને સમજો.
વૃક્ષો થકી છે , જીવન વૃક્ષો વાવો .
✍રાજેશ બારૈયા "વનવાસી "
Friday, April 19, 2019
પ્રકૃતિનાં પ્રથમ મિત્ર
પ્રકૃતિના પ્રથમ મિત્ર
ખડક ખસ્યાને સરોવર બની ગયા ,
વરસાદ વરસ્યોને જળભર્યા બની ગયા.
ઊગી ગયા વૃક્ષ ત્યાં વન બની ગયા,
અહિં વસ્યા તે વનવાસી બની ગયા .
પાનખર આવી પહોચી અહિં પણ,
અંતે ચોતરફ લીલાછંમ બની ગયા .
કોલાહલથી ગૂંજી ઉઠી ચારેય દિશાઓ,
નદીઓના જળ ખળ-ખળ બની ગયા.
પ્રેમ ના પામ્યાં તો શું થયું મિત્રો
પ્રકૃતિનાં પ્રથમ મિત્ર બની ગયા .
✍રાજેશ બારૈયા "વનવાસી "
હું વડલો
હું વડલો
એક રાત્રે સપનામાં
હું ગીરની ગોદમાં
વડલો થઈને ઊગી જાવ છું
ઊભો ઊભો જોયા કરું
ગીરનાર ની ટોચ
જેમ જોગીની જટા વધે
એમ વધે મારી વડવાઇ
મારી ડાળી પર બેચી
પંખીઓ મીઠા ગીત ગાઇ
વડવાઇ ની ગફોલમાં
સિંહ બાળા ગેલ કરે
ગીરનો સાવજ ગર્જના કરે
જોગી ની ધુણી સામે અખંડ
આ પ્રાણી પ્રેમ અને પંખી ગીત
હું ગીરનારની ગોદમાં
વડલો બની જોયા કરું સપનામાં
✍રાજેશ બારૈયા "વનવાસી "
મહેંકી જાવું
મહેંકી જાવું
મારી પાંપણમાં રોજ તારે ફરકી જાવું,
કાં હળવેથી આંખોમાં સરકી જાવું,
ધીરેથી આવીને મારાં કોમળ ગાલમાં,
એકલ હોઠોનાં આ ઝીણા શા ગાનમાં,
વનવાસી મારે ગીત થઈ ગવાઈ જાવું,
સુંદર નિશાની શર્મિલી આશમાં,
તાજી ફૂટેલ પેલી કુંપળનાં પાનમાં,
કોઈ દિ ઝાકળ બુંદ થઈ સમાઈ જાવું,
ધરતીની ભીની-ભીની લહેરાતી રાતમાં,
છોડવાની કૂણી લીલીછંમ વાતમાં.
ફૂલની ફોરમ બની તારે મહેંકી જાવું,
મારી પાંપણમાં તારે ફરકી જાવું.
✍રાજેશ બારૈયા "વનવાસી "
વનસ્પતિ પરીચય :ગોરસ આંબલી
ગોરસ આંબલી
ગોરસ આંબલી/ જંગલ જલેબી, (વિલાયતી આંબલી)મધ્યમ કદનું વૃક્ષ સદાપર્ણી હોય છે. પાંદડાં સંયુક્ત હોય છે. ફૂલો ગુચ્છામાં હોય છે. ફળ ગોળ જલેબી જેવાં હોય છે. અંદરના કાળા ઠળિયા ઉપર નરમ ગર હોય છે. લોકો તે ગર સ્વાદથી આરોગે છે.
->ગોરસ આંબલી વનસ્પતિ ફોરેન રીટર્ન છે એટલે કે મૂળ ઉત્પત્તિ સ્થાન મેક્સિકો છે ત્યાંથી અમેરીકા અને મધ્ય એશિયા થઈ ભારત માં આવેલ .આ વગડાઉ વનસ્પતિ ના જલેબી જેવા ફળ “કાતરા” ના નામે ઓળખાય છે
->સસ્તામાં અને વિશેષ ચરોતરના ખેતરોમાં ઠેર ઠેર જોવા મળતી ગોરસ આંબલી ઉત્તમ ફળ છે
->મેક્સિકોમાં ગોરસઆંબલી દાંત ના દુખાવો માં પરંપરાગત દવા તરીકે વપરાય છે કેમકે તે નબળા પેઢાં ને મજબૂત બનાવે છે. ગોરસઆંબલી મોઢાં ના ચાંદા ને તથા દાંત માંથી આવતાં લોહી ને પણ મટાડે છે .
->ઉનાળાની સિઝન માં ખાન – પાન ને લીધે વારંવાર ઝાડા કે મરડો (આંકડી ઝાડા) ની તાસીર વાળા ને સિઝન માં રોજ સવારે 100 ગ્રામ ગોરસઆંબલી નુ સેવન કરવુ જોઈએ.
# માહિતી સંકલીત છે ...
Thursday, April 18, 2019
વનસ્પતિ પરીચય :ધરો
ધરો
=>ધરો,ધ્રો, ધ્રોખડ અથવા દૂર્વા એક પ્રકારની વનસ્પતિ અને ઘાસનો પ્રકાર છે.
=>તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon છે. વનસ્પતિશાસ્ત્રના વર્ગીકરણ પ્રમાણે તે પોએસી કુળનું સભ્ય છે.
=>ભારતીય સંસ્કૃતિમાં ગણપતિ પૂજન અને અન્ય પૂજનોમાં ધરો વપરાય છે. આને પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે.
=>લોહીવા-રતવાનું એ ઉત્તમ ઔષધ છે. ગર્ભાશયની વીકૃતીને લીધે ગર્ભ રહેતો ન હોય, ગર્ભ સુકાઈ જતો હોય, બાળકો જીવતાં ન હોય તો તાજી લીલી ધરોને ચટણીની જેમ વાટી-લસોટી રસ કાઢવો. ત્રણથી ચાર ચમચી ધરોનો તાજો રસ સવાર-સાંજ ત્રણ-ચાર માસ પીવાથી ગર્ભાધાન થઈ તંદુરસ્ત બાળક જન્મે છે. દુર્વા અત્યંત શીતળ છે.
=>ઘાસના રૂપમાં તેની અનેક વિશેષતાઓ છે. જેમકે- પાણીના અભાવે એક વાર સુકાઈ જવાનો વારો આવે, તો પણ પાણીની પ્રાપ્તિ થતાં તે ફરી લીલીછમ થઈ જાય છે.
=>મૂળમાંથી ખેંચી કાઢવામાં આવે, અને બીજે રોપવામાં આવે, તો બીજા સ્થળમાં પણ તે જામી જાય છે. પોતે ટૂકડાઓમાં વહેંચાઈને પોતાના પરિવારની વૃદ્ધિ કરતી રહે છે.
=>ધરોના આ પ્રકારના જીવન ઉપરથી પ્રેરણા મેળવવા માટે તેનો પૂજાના કાર્યમાં પ્રયોગ કરાયો છે.
=>વ્યાપારીઓ ચોપડા પૂજન વખતે ચોપડામાં નાગરવેલના પાનની સાથે ફૂલ અને ધરોને પણ ચોપડામાં પધરાવે છે. એની પાછળની ભાવના એવી હોય છે કે અમારું વ્યાપારનું કાર્ય પણ ક્યારેક ધનના અભાવે કે મંદીના કારણે ઓછું થઈને સુકાવા લાગે, તો પણ ફરી પાછું ધનની સગવડ થતાં કે તેજીની સ્થિતિ આવતાં વ્યાપાર પાછો, લીલોછમ થઈ જાય
=>વ્યાપારીઓ ચોપડા પૂજન વખતે ચોપડામાં નાગરવેલના પાનની સાથે ફૂલ અને ધરોને પણ ચોપડામાં પધરાવે છે. એની પાછળની ભાવના એવી હોય છે કે અમારું વ્યાપારનું કાર્ય પણ ક્યારેક ધનના અભાવે કે મંદીના કારણે ઓછું થઈને સુકાવા લાગે, તો પણ ફરી પાછું ધનની સગવડ થતાં કે તેજીની સ્થિતિ આવતાં વ્યાપાર પાછો, લીલોછમ થઈ જાય
Wednesday, April 17, 2019
ચાલો કુદરતની કેડીએ :ગુજરાતનાં પક્ષી
🕊ગુજરાતનાં પક્ષી અને ભય 🐦
સવાર -સાંજ પક્ષી જ્યારે આકાશે ઉડે છે ,
નીચે ધરતી અને ઉપર આકાશની હુફે ઉડે છે .
પ્રકૃતિ કરોડો વર્ષની મહેનત બાદ એક સજીવ જાતિને જન્મ આપે છે અને મનુષ્ય પોતના સ્વાર્થ ખાતર એ સજીવ જાતિનો જોત જોતામાં ખાતમો બોલવી દે છે .પૃથ્વી પર આવા અનેક દાખલાઓ આજ સુધી નોંધાયેલ દરેક સજીવ પોતે લુપ્ત ન થાય તે માટે સતત પ્રયત્નશીલ હોય છે .કુદરતે પણ બધા સજીવોને આ માટે ભરપૂર શક્તિ આપે છે.તમામ પ્રકારનાં કુદરતી પરિબળો સામે તથા અન્ય દુશ્મન સજીવોથી બચવાની શક્તિ કુદરતે તમામ જીવોમાં આપી છે .આપણે હવે એ વાતનો ખ્યાલ આવી ગયો છે કે પ્રદૂષણ , પ્રાણીઓ અને પક્ષીઓના આવાસ્થાનો નાશ પામવા ઓઝોન વાયુના સ્તરને નુકશાન વગેરે માનવીય પ્રવૃતિઓની સજીવ સૃષ્ટી ઉપર શું અસર થાય એ વિશે જોતા અને વાંચતા હોયએ છીએ .આપણા ઇતિહાસમાં એક નજર નાંખીએ તો પક્ષીઓનું આપણા દેશમાં સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ છે .તેના કારણે ઊભી થયેલ આજ કારણથી આપણને મંદિરોની નજીકમાંy વટવૃક્ષની હાજરી જોવા મળતી હોય છે .આપણા શહેરોનાં અને ગામડાંઓના નામકરણ સાથે પણ પ્રકૃતિ અને વૃક્ષો જોડાયેલાં છે જેમ કે વડના વૃક્ષ પરથી વડોદરા જેના રસ્તા પર વડનાં વૃક્ષોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળે છે .
બિશ્ નોઈ નામની જાતિ રાજસ્થાનમાં પકૃતિ સંરક્ષણને પોતાનો ધર્મ સમજે એના ઉપદેશ મુજબ લીલા વૃક્ષને કાપવું પક્ષીને મારવું એ મહા અપરાધ ગણવામાં આવે આજે પણ આ જાતિના લોકો આ ઉપદેશનું પાલન કરે છે અહીં પશુ પક્ષી મુક્ત વિચરતા જોવા મળે છે .
હવે વાત કરવી છે પક્ષીઓની ..
દુનિયામાં પક્ષીઓની દસેક હજાર જાતના પંખીઓ છે .આમાંથી 11% એટલે કે લગભગ 1100 જેટલા પંખીઓને પક્ષી માટે કામ કરતી આંતરરાષ્ટીય સંસ્થાઓએ જોખમગ્રસ્ત ગણ્યા એશિયાખંડમાં 12% પંખીનેy જોખમગ્રસ્ત છે .
એમાં ભારતમાં 1224 જેટલી જાતોમાંથી 78 જાતોને જોખમગ્રસ્ત માનવામાં આવે છે.ગુજરાતની વાત કરીએ તો 21 જાતિઓ જોખમગ્રસ્ત કક્ષામાં આવે છે ગુજરાતનાં ગામડામાં 18થી 20 વર્ષ પહેલા દેખાતું ગીધપક્ષી આજના સમયમાં ખૂબ જ જોખમગ્રસ્ત છે.એમાં પણ સફેદ પીઠ ગીધની સંખ્યા ગણીગાંઠી જગ્યાએ હવે ભાગ્યે જ જોવા મળે તેની સંખ્યા ખૂબ ઝડપથી છેલ્લા 20 વર્ષમાં અત્યંત ચિતાજનક ઝડપે તેની સંખ્યા ઘટી ગઈ છે મેં જ મારી નજરે 15-20 ની સંખ્યામાં 22 વર્ષ પેલા ગામડાઓ માં જોયેલા પણ હવે તે પછી ક્યાંય જોવા નથી મળતા . ગિરનારી ગીધ તે પણ સાવ નજીવી સંખ્યામાં બચ્યા છે . ને હમણા જે પક્ષીની ચર્ચા અને ચિંતા જનક વાત થાય છે .તે કચ્છ અને ઉતર ગુજરાતનું મોટું પંખી ઘોરડ Great Indian Bustard વિંડી અને વગડામાં વસતું તેનો અવાજ એકાદ કિલોમીટર સુધી દૂર સંભળાય છે .પણ છેલ્લા થોડા વર્ષમાં આ વગડો ઓછો થયો ઉધોગનો વિકાસ પામ્યા રસ્તા બન્ય અને આ પક્ષીને રહેઠાણ માટે જગ્યાનો અભાવ નડ્યો તેથી તેમની સંખ્યા ખૂબ ઝડપી ઘટી ગય છે તેમાં પણ તે વિસ્તારમાં પવન ચક્કી નાં કારણે આ ઘોરડ પર ખૂબ અસર પડી છે .એક રીપોટ મુજબ આઠ-નવ માદા ઘોરડ પક્ષી વચ્ચે નર એક જ ઘોરડ બચ્યાનું બહાર આવ્યું છે .આ લુપ્ત થવાને આરે છે .
આવાતો કેટલાય પક્ષીઓ ભયના આરે જીવે છે ખડમોર , ડાંગી ચીબરી, રામ ચકલી , ઘુવડ સાવ ઓછા થતા જાય છે .ગુજરાતનાં દુર્લભ પક્ષીઓમાં સારસ , પેણ, ઘોરડ , ગાંજહંસ , ટિલોર , સફેદ પીઠ ગીધ , નીલશીર , સુરખાબ , કાળો તેતર , સોનેરી બાટલ, કાળી ડોક ઢોક , કાળી વા બગલી , સફેદ ડોક ઢોક, ભેટી , રાજગીધ , રણ ગોધલો વગેરે યાદી ખૂબ લાંબી છે .પણ પક્ષી બચાવવા દરેકની જવાબદારી છે ઉતરાયણ તહેવારમાં આપણે ત્યા ખૂબ પાકા દોરા વડે પતંગ ચગાવીએ છીએ પેલા આવા પાકા દોરા નો ઉપયોગ નતો થતો પાકા દોરાથી કેટલા પક્ષીને હણી નાંખીએ છીએ જે સંખ્યા ગણી ગાંઠી છે તે પણ જોખમાય આ તહેવાર માં હજારો પક્ષી મોતને ભેટે છે .જે પક્ષી લુપ્ત ને આરે છે તે હણાય તો તે સાવ લુપ્ત થય જાય .પક્ષી સવારે માળા માંથી ખોરાકની શોધમાં જાય ને સાંજે પાછાફરે આ સમય માં આપણે પતંગ ના ચગાવીએ એના રસ્તામાં અડસઠ ઊભી નાં કરીએ તો પક્ષી બચાવવા આપણે પણ પ્રયાસ કરીએ જો કોઈ પક્ષી ઘાયલ જોવા મળે તો પક્ષી સરવાર હેલ્પલાઇન માં સંપર્ક કરી જાણ કરીએ ..
પક્ષીઓ કહેવા લાગ્યા એની વ્યથાની વાર્તા ,
રહેવું ક્યા હવે આકાશમાં પણ અવરોધની વાર્તા.
✍રાજેશ બારૈયા "વનવાસી
આર્ટિકલ :-વ્યસનથી મુક્તિ
વ્યસનથી મુક્તિ
આપણે પ્રાણીઓ માટે એક કહેવત છે, 'ઊંટ' મુકે આંકડો 'બકરી' મુકે કાંકરો પણ બુધ્ધી શાળી ગણાતા માનવી કંઇ મુકતો નથી ઝેર પણ પીવે છે.'મૂળથી છુટા પડી જતા વૃક્ષપર વસંતની કોઇ અસર થતી નથી સંસ્કૃતિ સંસ્કારથી વંચિત રહી જતી પેઢી પર સદનિમિતોની અસર થશે કે કેમ એમાં શંકા છે .
સિંગરેટના દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિંગરેટ પીવી એ સ્વાસ્થય માટે હાનીકારક છે આવુ છાપેલ હોવા છતા આજનો માનવી તે ખાય છે.બાજુવાળો તમારા ઘરનાં આગણામાં તેમનો તમામ કચરો નાખવા આવે તો આપણે તેમને નાખવા નથી દેતા પણ રોજ આપ આપના પવિત્ર શરીરમાં પધરાવતા ગુટકા, માવા, તમાકુ માટે કોઇ દિવસ મન સાથે ઝઘડો કરેલ શરાબ જેવા કેફી પીણા તમારા શરીરમાં દાખલ કર્યા બાદ તમારા સંબંધીએ ના પાડવા છતા તેમને છોડીયા છે ખરા....
ભલે મોત આવી જંતુ હોય અને આ શરીરથી વહેલા વિદાય થઈ જવું પડે પણ ગુટકા તો બંધ નહીંજ કરું દારૂ તો નહીંજ છોડુ સિગરેટ તો બંધ નહી કરું આવી વાતો કરનાર માટે એટલું કહેવાનું કે તારા શરીર પર તારા એકલાનો અધિકાર નથી તને મોટો કર્યો તે માતા-પિતા તારા છોકરા- પત્ની બધાનો અધિકાર છે.તો શા માટે આમ શરીરને જાતે કરી આ પરિસ્થિતિમાં નાખે છે તારા માટે તો નહી તારા નાના બાળકો માટે તો આ વ્યસન ના ભરડામાંથી મુક્ત થા.
આજના જમાનામાં જીવનનું સત્યનાશ કાઢનાર દારૂ, સિગારેટ અને ગુટકા જેવા વ્યસનોને સન્માનીયતા પ્રાપ્ત થઈ છે.
આ વિશે વડિલોએ પણ વિચારવા જેવું છે પણ વડિલો જ વ્યસન મુક્ત નથી તો પછી યુવા પેઢીને શિખામણ કોણ આપે નશો કરવો એ આપણા દેશનો જ પ્રશ્ન નથી પણ વિશ્વના બધા દેશના લોકો આ પ્રકારના નશીલા પદાર્થના વ્યસની બન્યા છે.આજના આધુનિક જમાનાની લોકોની ભાગદોડ વાળી જીંદગીમાં એક બીજાથી ચઢીયાતા બનવા માટે પ્રયત્ન કરે અને આના કારણે હરીફાઇના જમાનામાં તણાવ કે બેચેની અનુભવે આ માંથી મુક્ત થવા માટે નશીલા પદાર્થનું સેવન કરે આ વ્યસનો મજૂરો,ખેડૂતો અને વિધાર્થી ના કિસ્સા વધુ બહાર આવે .વ્યસનના પદાર્થ તમાકુ, દારૂ, ગુટકા, અફીણ, ગાંજૉ, સરસ, હેરોઇન વગેરે ઝેરી પદાર્થ છે.
માણસ કરતા પ્રાણીઓ ચતુર છે કેમકે તે વ્યસન કરતા નથી અને બુધ્ધિ શાળી માણસ પોતે જ રોગોને વ્યસન કરી નોતરે.
વ્યસથી મુક્તિ પામવા માટે વ્યક્તિની ઈચ્છા શક્તિ જ હોય છે જો વ્યસન છોડવુ હોય છતા મક્કમ શક્તિ વધારી તેમનું ધ્યેયે પુરુ કરી શકાય આવા ધ્યેય પ્રાપ્ત કરવા વ્યસનથી મુક્ત થવું પડે વ્યસન આપનું ગુલામ રહેતું નથી.
૩૧મી મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ એટલે કે 'વલ્ડ નો ટોબેકો ડે'ની ઉજવણી કરવામાં આવે છે આજ તમાકુ, ગુટકા, દારૂ જેવા વ્યસનનું પ્રમાણ એટલું વધ્યું છે કે ગામડામાં તો દસ-બાર વરસના છોકરા અને બાળાઓ ત્થા સ્ત્રીઓ પણ વ્યસનની ગુલામ બનવા લાગી છે. આજની આખે આખી યુવાપેઢી આ કીમતી જિંદગીને જોખમમાં મૂકવા લાગી છે.
ગુજરાતમાં જે પ્રમાણે પાન-મસાલા ત્થા ગુટકાનો ઊપયોગ વધી રહ્યો છે તે જોતા ભવિષ્યમાં ફાયબ્રોસીસનુ પ્રમાણ ભયંકર બધી જશે આ પ્રમાણે વસ્તીના 6 થી 9 ટકા જેટલું વધવાની શક્યતા છે.
માણસ શરીરથી પરિશ્રમ કરી ધન કમાય છે તે જ ધનનો વ્યસનોમાં ઊપયોગ કરી પોતે રોગોને નિમંત્રણ આપે જે શરીર દ્વારા પરિશ્રમ કરતો તેજ શરીરને વ્યસનના શિકાર દ્વારા ખોખલૂં બનાવી દેઈ છે...
જે શરીરને ગીતામાં ઈશ્વરનુ મંદિર સમાન ગણવામાં આવ્યું છે અને તેમા ઇશ્વરનો વાસ છે .એટલે કે ભગવાન શ્રી ક્રુષ્ણ ગીતામાં કહયું હુ દરેકના અંદર રહ્યો છૂ પણ માણસ બુધિશાળી કહેવાયઘરમાં ચોર ના ઘૂસીજાય તેમનું પુરતી કાળજી રાખે પણ પોતાના શરીરનુ ધ્યાન રાખતો નથી. વ્યકિત પાપ કરે તો એકલાને જ ખતમ કરે પણ વ્યસન તો આખા પરીવારને ખતમ કરે છે.અને બરબાદ કરી નાખે છે વ્યસન પ્રથમ માલિક બની આવે ને આખા શરીરને ખતમ કરી નાખે અત્યારે નહી તો પછી ક્યારે વ્યસનથી મુક્તિ.
સારું છે તેમને સાચવી આપનાવવુ કચરાના ઢગલા મા વચ્ચે સોનમહોર આ જોતા જ ઉઠાવીએ આ પ્રમાણે જગતમા ખરાબ ભલે ઘણુ બધુ આપણને દેખતું હોય પણ તે વચ્ચે સારુ છે તે આપણે બચાવી લેવુ જોઇએ ખાવા-પીવા જેવી ચીજવસ્તુ ઘણી બધી મૂકી આપણે આપણા મંદિર જેવા પવિત્ર શરીરમા દૂધ પીવાની બદલે શરાબ પીએ ફળ ખાવાને બદલે ગુટકા તમાકુ ખાઈએ તો આજ આપણી ભીતરમાં તપાસ કરી સારુ સંગ્રહ કરવાની જરૂર છે અને આજ વ્યસન માંથી મુક્ત થવાની જરૂર છે.
ભૂલ કરવા માટે કોઇ સમય સારો નથી અને થઈ ગઇલ ભૂલને જો સુધારી લેવી છે તો કોઇ સમય ખરાબ પણ નથી તો આજ માર્ગે ચાલવું જોઇએ.
વ્યસન છોડી કલાનો વિકાસ કર માનવી,
નહીંતર બનશે જિંદગી ઘરથી કબર સુધી.
-રાજેશ બારૈયા "વનવાસી"
ગીત :-મારો પતંગ રે . . . .
મારો પતંગ રે મારો પતંગ,
વહાલો સૌને લાગે મારો પતંગ.
રાતો પીળો ધોળો ને કાળો ,
આકાશે ઉડ ઉડ કરતો...
કથ્થાઇ કેસરિયો આસમાની,
આંખોને ઈશારો દેતો....
ચાર ખૂણીયો વચ્ચે દોરી,
આભલે ઉંચે ચડતો....
આ બાજુથી પેલી બાજુ,
ઉડી ઉડી ને ગુલાટ મારતો..
નાના મોટા સૌને ગમતો,
આકાશમાં રંગો જમાવતો...
પતંગ નો ઇતિહાસ છે લાંબો,
નવરંગો મારો પતંગ પતંગ છે મારો.
✍રાજેશ બારૈયા "વનવાસી"
એકલતાની અનુભૂતિ
એકલતાની અનુભૂતિ
તું નથી હોતી ત્યારે મને,
એકલતાની અનુભૂતિ થાય છે,
તને કેવળ યાદ કરતો રહું છું.
હું વૃક્ષ ધારીને ખુપાય જાવ ધરતીની વચ્ચે,
તું વેલડી થઈને વિટળાઈ વળે મને.
હું ઘુઘવતો દરિયો હાઉ પણ,
તારા ગયા પછી થય જાય વેરવિખેર.
જેમ ગાતું પંખી વૃક્ષ પરથી ઉડી જાય,
તેમ અહીં સુનુ થાય તારા વગર ઘર.
ચાતકને વરસાદની રાહ હોય,
વનસ્પતિને વર્ષોઋતુંના
આગમનનો ઇન્તજાર હોય તેમ,
મને રહે તારા આવવાનો ઇન્તજાર.
✍રાજેશ બારૈયા "વનવાસી"
દિવાળી આવી
દિવાળી આવી
દિવાળી આવી દિવાળી આવી ,
સાથે મજાનો દીવડા લાવી .
રંગોળી સૌ અમે કરીએ ,
દિવાળી આવી .
દિવાળી આંબી નવું વરસ લાવી ,
સાથે સાથે આનંદ અનેરો લાવી .
નવા વરસે સૌને ગળે મળીએ,
દિવાળી આવી .
દિવાળી આવી કપડા નવા લાવી ,
દિવાળી આવી નવલો રંગ લાવી .
દિવાળી સૌનો તહેવાર ,
દિવાળી આવી .
દિવાળી આવી રોકેટ દાડમ લાવી,
દિવાળી મીઠાઈ અને મેવા લાવી.
દિવાળી સૌને ગમે નવું વરસ ગમે,
દિવાળી આવી .
✍રાજેશ બારૈયા "વનવાસી"
ખોટ લાગશે
ખોટ લાગશે
થોડા સમય મારા ગયા પછી ખોટ લાગશે,
કોઈ નાજુક કુણા હૃદયમાં પછી ચોટ લાગશે
જેમ વૃક્ષો થાય વસંત સંગ પર્ણહિન,
ડાળ પર કુંપળ અજાણી ફૂટ પછીલાગશે.
આકાશમાં ગુલાબી સુરજ સાથે સવાર નીકળે,
એમ લાગણી હિન લોકોની પછી ભીડ લાગશે.
બંધાયા હશે બધા યંત્રોની જોખમી જાળ મહિ
આકાશમાંથી ઈશ્વરનો સંદેશો વિસ્ફોટ લાગશે.
સંકેલાય જશે પ્રકૃતિ કેરી ભરતી જ્વાળા,
વનમાં વનવાસી મિત્રોને વૃક્ષોની ખોટ લાગશે.
✍રાજેશ બારૈયા 'વનવાસી'
વનસ્પતિ પરીચય :-બારમાસી
બારમાસી
જેમા ગુલાબી અને સફેદ એમ બે જાત છે . જેનું વનસ્પતિક નામ કેથેરેન્થસ રોસિયસ છે. આ વનસ્પતિમાં વિન્કામાઈન, વિનબ્લાસ્ટિન, વિન્ક્રિસ્ટીન, બીટા – સીટોસ્ટેરાલ જેવું મહત્વપૂર્ણ રસાયણ મેળવવામાં આવે છે.
=>બારમાસી ના મૂળમાંથી અલ્ક્લોઇડ કાઢવામાં આવે છે, અને એ ઘણા રોગોમાં અને ખાસ કરી કેન્સર જેવા રોગોમાં ઉપયોગી છે.
=>દુનિયાભરના હર્બલ જાણકારો તેના ઔષધીય ગુણોના વખાણ કરતા થાકતા નથી
હિન્દુસ્તાનમાં આદિવાસી પ્રદેશોમાં પણ આ અનેક મહત્વપૂર્ણ ઔષધીય ઉપાય તરીકે અપનાવવામાં આવે છે.
=>રોજ સવારે નરણા કોઠે ખાઈ જવાથી ડાયાબીટીસમા રાહત રહે છે.
=>ડાયાબીટીસમા પાંચ પાનના રોજીનાદા ઉપયોગથી મટી જશે. અને સાથે જો બીલીપત્ર ચાવવામાં આવે તો ઉપાય ની અક્સીરતા વધે છે. ગુલાબી કે સફેદ બંને બારમાસીના પાન ઉપયોગ કરી શકાઈ છે. આ ઉપરાંત સફેદ ફૂલ જો રોજ એક ચાવીને ખાવા તો મેદસ્વીતા ઘટે છે.
ગીત :-પ્રકૃતિનાં ખોળે રમીએ
પ્રકૃતિના ખોળે રમીએ
આવો બાળદોસ્તો આપણે ,
પ્રકૃતિના ખોળે રમીએ .
પતંગિયાંની પાંખે આપણે ,
રંગીન ફૂલે _ફૂલે ભમીએ .
વાણિયાનું વિમાન બનાવી ,
ચાંદા મામાને મળવા જઈએ.
આગ્યાને દોસ્ત બનાવી ,
તારલિયા જેમ ટમ ટમ કરીએ.
કરોળિયાની બુદ્ધિ તેમની ,
જાળમાં આપણે જોઈએ .
સુંઘરી દરજીડાના માળામાંથી,
પાઠો તેમની કરામતના શિખીએ .
વડ દાદાની વડવાઇએ ,
આપણે હીંચકા હીંચકા રમીએ.
ધરતીનો ખોળો ખુંદી ,
પ્રકૃતિના ખોળે રમીએ .
✍રાજેશ બારૈયા "વનવાસી"
વનસ્પતિ પરીચય :શિરીષ /સરસડો
શિરીષ /સરસડો (Albizzia Labbeic)
શિરીષનું નિરૂપણ વિષઘ્ન તરીકે જ કરેલ છે.અલગ – અલગ દશ વિષઘ્ન દ્રવ્યો પૈકી શિરીષ એ શ્રેષ્ઠ છે.
->પ્રાચીન કાળથી જ વિષ (ઝેર) ઊતારવા માટે શિરીષ વપરાતું રહેલું છે જે આજે પણ ગામડાઓમાં તથા વનવાસી વિસ્તારોમાં ખૂબ જ પ્રચલિત છે.
->આપણા દેશમાં સરસડો એ ઠેરઠેર જોવા મળતી વનસ્પતિ છે અને સરકાર દ્વારા પણ વનીકરણના પ્રોજેક્ટમાં તેનું અવારનવાર વાવેતર થતું રહે છે.બારેમાસ લીલોછમ દેખવાના કારણે તથા ઘટ્ટ પાંદડાંઓની ગોઠવણથી તે સુંદર મજાનો છાંયડો આપવાને કારણે શિરીષ એ ઠેર ઠેર વાવવામાં આવે છે.
->કાળો અને સફેદ સરસડો એમ બે પ્રકારમાંથી કાળો સરસડો એ વિષઘ્ન તરીકે વપરાય છે.
->મધ્યમ પ્રકારનું ૧૦ થી ૨૦ ફૂટની ઊંચાઈવાળા આ વૃક્ષને પીળાં ફૂલો આવે ત્યારે તે ખીલી ઊઠે છે.શિરીષની અડધાથી એક ફૂટ લાંબી મરુન કલરની શિંગોમાં ૮ થી૧૦ બીજ હોય છે.આ બીજમાં સૌથી વધુ વિષઘ્ન જોવા મળે છે.
-> શિરીષ ના બીજ, છાલ અને પુષ્પનો ઔષધ તરીકે ઊપયોગ થાય છે.
->શિરીષ એ લઘુ, રૂક્ષ અને તીક્ષ્ણ છે. વળી સ્વાદે તૂરો, કડવો અને કંઈક અંશે મધુર પણ છે. તે સ્વભાવે થોડા અંશે ઊષ્ણ છે. આમ તો ત્રિદોષશામક ગુણ ધરાવે છે. વિષઘ્ન કર્મની સાથોસાથ તેનો સમાવેશ વેદનાસ્થાપન – દુખવામાં રાહત આપનાર તથા શિરોવિરેચન એટલે માથાનો ભાર હળવો કરનાર ->મસ્તિષ્કનાં દોષોને દૂર કરનાર છે.
બીજ ૧ થી ૨ ગ્રામની માત્રામાં આપવામાં આવે છે. વિષાકત અવસ્થામાં જ્યારે ઊલટી કરાવવાની હોય ત્યારે શિરીષના રસની છાલના ઊકાળાની તથા બીજના ચૂર્ણની શકય હોય તેટલી વધુ માત્રા આપવી. જેથી જલદીથી ઊલટી થઈને ઝેર બહાર નીકળી જાય. મોટેભાગે વિષઘ્ન પ્રયોગોમાં સહજ – સુલભ હોય તેવા ઠેકાણે જ તેનો ઊપયોગ થતો હોવાથી શિરીષ મોટેભાગે તાજો જ વપરાય છે
->શિરીષનાં તાજાં, લીલાં પાનનો રસ કાઢી વારંવાર એક-એક કપ પીવડાવતાં રહેવું. ઊલટી કરાવવાની હોય તો મોટી માત્રમાં એક સાથે રસ પીવડાવવો અને જરૂર જણાય તો તેમાં મીંઢણનું ચૂર્ણ કે
અરીઠાનું પાણી પણ ઊમેરવાથી જલદીથી ઊલટી થવા લાગશે.
->સર્પદંશના સ્થાન પર શિરીષના બીજનો અથવા તો શિરીષના પાનની લુગદીનો લેપ કરવાથી
સોજો અને વેદના ઓછી થાય છે.
->શિરીષની આંતરછાલનું ચૂર્ણ ૧-૧ ચમચી અથવા બીજનું ચૂર્ણ ૧ થી ૨ ગ્રામની માત્રામાં આપવું ઘીનું અનુપાન એ સર્પવિષમાં શ્રેષ્ઠ ગણાય છે તેથી ૧૦ ગ્રામ જેટલા ચૂર્ણને ૧૦૦ ગ્રામ ઘી જેટલી માત્રામાં આપવું ફાયદાકારક છે.
Tuesday, April 16, 2019
પ્રથમ મુલાકાત
પ્રથમ મુલાકાત
તને પ્રથમ મળ્યાનું યાદ છે,વરસાદમાં ભીંજાયાનું યાદ છે.
તને ફૂલ આપ્યાનું યાદ છે,
પછી મુખ મલકાયાનું યાદ છે.
તારા ગાલમાં ખંજન પડીયાનું યાદ છે,
પછી આંખોમાં લાગણીનું પૂર યાદ છે.
તારી ઝુકેલ ગરદન મારા પર યાદ છે,
પછી વિટાયેલ તારી કાયા યાદ છે.
આ સ્મરણ તાજું કરવાનું યાદ છે,
પછી વાંસતી વાયરા માં જુદાઈ યાદ છે.
- રાજેશ બારૈયા "વનવાસી"
આર્ટિકલ :પ્રેમ ઉત્સવ
પ્રેમ ઉત્સવ
પ્રેમમાં તો પાગલ થવાનું હોય છે,
બંધ આંખે બધું જોવાનું હોય છે.
દર વર્ષે આપણે ૧૪ ફેબ્રુઆરી 'વેલેન્ટાઈન ડે'તરીકે ઉજવીએ તો પ્રેમ વિશે થોડી વાતો કરીએ. પ્રેમ એટલે પ્રકૃતિને એનો સુંદર ખોળો, પ્રેમ એટલે માતાની ઝરમર આંખડી, પિતાની બાથ, બહેનની બાંધેલ હાથે રાખડી, પ્રેમ એટલે જીવનની સાધના, પ્રેમ એટલે પત્નીનો કોમળ હાથ, પ્રેમ એટલે ઈશ્વરે મોકલેલો માણસો માટેનો અદભૂત અનુભવ આ અનુભવમાં નદીની ભીનાશ છે, ફૂલોની સુગંધ છે, સૂર્યનું તેજ છે. શિયાળાનો ભેજ પણ છે, હવાનો સ્પર્શ છે તો વરસાદનું વહાલ છે. વૃક્ષનો છાંયાડો છે. પ્રેમ જ કુદરત છે. કારણ કુદરતના બધા અનુભવો પ્રેમમાંથી પ્રગટ થાય છે અને આથી જ પ્રેમએ ઈશ્વરનું સ્વરૂપ છે.
કારણ કે કોઇ ફૂલ પોતની સુગંધ ક્યારેય પોતાની પાસે સંગ્રહી રાખતું નથી. પ્રેમ ફૂલ જેવો છે. પ્રેમમાં બીજા જ મહત્વના છે કારણ કે પ્રેમ ભાવનો વિષય છે. હ્રદયની વાત છે અને હ્રદય ભાવોથી સુગંધી બને છે. જ્યારે ભાવ એક હદયથી બીજા હદય તરફ ગતિ કરે ત્યારે પ્રેમ કહેવાય હદય એક બાગ છે અને ભાવો એ ફૂલો છે. એટલે રવીન્દ્રનાથ ટાગોર કહે;
"પૈસા અને પ્રેમ વચ્ચેનો તફાવત એટલો જ કે
પૈસાને સાચવવા પડે છે જ્યારે પ્રેમ આપણને સાસવે છે."
આજ સુધી પ્રેમની શક્તિ માપવાનું, કોઇ યંત્ર બન્યું નથી મુઠી જેવડા હદયની શક્તિ એ છે કે તે પહાડ જેવડા માણસને પણ ઝુકાવી શકે નહીં આથી પ્રેમની શક્તિનું કોઇ માપ નીકળી શકે નહી જેમ આકાશ વિશે પણ આપણે માહિતી નથી આપી શકતા એમ પ્રેમ વિશે પણ આપણે અચોક્કસ છીએ આથી સુરેશ દલાલ કહે છે.
"રાત-દિવસનો રસ્તો વ્હાલમ નહી તો ખુટે કેમ ?
તમે પ્રેમની વાતો કરજો, અમે એમ કરીશું પ્રેમ."
પ્રેમ એ અનુભૂતિ છે, પણ એ અભિવ્યકિત ત્યારે જ બને જ્યારે કોઇની ઉપર તેને ઢોળવામાં આવે કોઇના પર ઢોળવામાં આવેલો પ્રેમ જ વાસ્તવિક બની શકે છે. પ્રેમ સોના જેવો છે એક જ સોનામાંથી અનેક ઘરેણા ઘડાય છે પછી તેનું જુદુ નામકરણ થાય છે વિંટી, બૂટી, હાર જેવા નામથી ઓળખાય પ્રેમ એકાંતમાં અનેકતા છે. અનેકતામાં એકતા પ્રેમનું લક્ષણ છે. આવો પ્રેમ જ વસ્તવિક પ્રેમ છે તેથી એ સહકાર રૂપે, ક્ષમારૂપે, સમર્પણરૂપે દેખાય જેમ શરૂઆતમાં કહ્યું તેમ પ્રેમ વાદળ જેવો છે તેનો આકાર બદલાય છે.
પ્રેમમાં બેઉ જરૂરી છે જેમ નદીને માટે કિનારો જરૂરી છે તેમ કિનારાની માર્યાદા લઈ લેવાય તો ? નદીની મસ્તી વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે એવું જ પ્રેમનું છે. પ્રેમની મસ્તી અલગારી હોય પણ માર્યાદા સૂક્તો નથી પ્રેમ મસ્તી સદ્ ગુણોમાં રજૂથાય પ્રેમ જ એવો છે કે એમાં ઉડવાનું મનથાય કારણ પ્રેમમાં કલ્પના વગર જીવી શકાય નહીં. કોઇ કવિએ કહ્યું છે...
"પ્રેમ માટે ઊંડો ભાવ જોઇએ,
કલ્પનાની એક નાવ જોઇએ.
બીજુ કશું નથી ચાહતો એ,
મન-હદયનો લગાવ જોઇએ."
રાધાએ પ્રેમ કર્યો પછી માત્ર કષ્ણનો વિરહ અનુભવ્યો, જાનકીજીએ લગ્ન પછી રામનો વિરહ વનવાસ અનુભવ્યો, ઊર્મિલાએ પાંપણ પટ પટાવ્યા વગર લક્ષ્મણની રાહ જોઇ પ્રેમ સ્થળ નથી જોતો ! આંખોની ઝળહળમાં સમયના પૂરને ડુબાડી દે છે. પ્રેમ કોઇને સુધારી નથી શકતો જેવા છીએ એવા અપનાવવાનું કામ કરે છે. પ્રેમમાં પડેલા બે વ્યકતત્વોમાં કષ્ણનો કલરવ અને રાધાનો રાસ પ્રગટે છે. મીરાએ એકતાર લઈ પ્રેમ ગાયો, તો નરસિંહ મહેતાએ કરતારમાં ઘુટયો છે ભક્તિનું પાત્ર છે ઈશ્વર પ્રેમ કરનાર તથા પ્રેમનું પાત્ર એ બે વિના પ્રેમ થઈ શકે નહીં વળી પ્રેમનું પાત્ર પ્રથમ તો આપણા પ્રેમનો પ્રત્યુતર આપે એવી કોઇ એક વ્યકિત હોવી જોઇએ તેથી પ્રેમમય ઈશ્વર અમુક અર્થમાં માનવી ઈશ્વર હોવો જોઇએ તે પ્રેમ ઈશ્વર હોવો જોઇએ. આપણે સ્વયમ પ્રેમના વિચાર તરફ વળીએ અને પ્રેમને ત્રિકોણ તરીકે લઈએ તો પાયો પ્રથમ ખૂણો નિર્ભયતા ભય હોય ત્યાં સુધી પ્રેમ નથી ,પ્રેમ ભયને દૂર કરે છે પોતાના બાળક બચાવવા માતા વાઘની સામે પણ થશે, ત્રિકોણનો બીજો ખૂણો અયાચકતા પ્રેમ કદી માંગતો નથી પ્રેમનો ત્રીજો ખૂણો એ જ પ્રેમ છે. કેવળ પ્રેમની ખાતર જ પ્રેમ કરે છે. જેમાં પ્રેમપ્રતિ પ્રેમથતો હોય એ પાત્ર તેવું એકમાત્ર સ્વરૂપ પ્રેમ છે આ ઊઁચામાં ઊંચોભાવ છે અને એ નિવિશેષ સ્વરૂપ છે અહીં જ ભક્તિ પ્રગટે છે... પ્રેમ માપવાનો એક જ ઉપાય પ્રેમ આપવાની શરૂઆત કરી દો બધુ ભૂલી જઈ પ્રેમમાં ઝંપલાવો.અને પ્રેમ ઉત્સવ માનાવો.
- રાજેશ બારૈયા "વનવાસી"
પ્રેમ તત્વ
પ્રેમ તત્વ
આરંભથી અમર થયેલ તત્વ,
એ જ પ્રેમ છે.
ધોધમાર વરસતો વસંતમાં,
સૌંદર્યની ધારા પ્રેમ! છે.
અંત નથી એવા ઈશ્વરનો ,
અંશ પ્રેમ છે.
સંબંધોની માયાજાળમાં,
બંધાયેલ પ્રેમ છે.
પતંગિયા અને ફૂલનો,
નાતો અજોડ પ્રેમ છે.
બે દિલોની મુસાફરીનો ,
એક રસ્તો પ્રેમ છે.
કૃષ્ણ અને રાધાનો રાસનો ,
રંગત તાલ પ્રેમ છે.
મીરાના ઝેરના કટોરા માં,
અમૃતની મીઠાશ પ્રેમ છે.
વનવાસી એ ખાધેલા બોરમાં,
શબરીની શ્રદ્ધા પ્રેમ છે.
પંખીના માળાનો આશ્રો વૃક્ષો,
મૌનની એ હુંફ પ્રેમ છે.
✍રાજેશ બારૈયા "વનવાસી"
Subscribe to:
Posts (Atom)
બીજ વિતરણ મહાઅભિયાન -2026
બીજ વિતરણ મહાઅભિયાન 2019 થી કાર્યરત... 2026- માં વિતરણ કરેલ મિત્રોનું લિસ્ટ તા :02-01-26 1. દિપક મહેતા -અમદાવાદ 2. વિશાલ ચૌધરી -થરાદ 3....
-
વંદે વસુંધરા બીજ બેંક ...2019-2021 ની સફર ,ત્રીજા વરસમા પ્રવેશ 🌱બીજ માંથી વૃક્ષ તું થા 🌳 આપના માટે લઈ આવે છે બીજ દ્વારા વૃક્ષ...
-
નોળવેલ :(dioscorea bulbifera) એક જાતની વેલ; =>આ વેલનાં પાન નાગરવેલનાં પાન જેવાં હોય છે. કંદ અને મૂળ ઉપયોગી છે. તેનું કંદ જમીનન...
-
વંદે વસુંધરા બીજ બેંક ...બીજ પોસ્ટ અભિયાન 2020/2021 (વંદે વસુંધરા બીજ બેંક દ્વારા બીજ પોસ્ટ અભિયાન 2020 દ્વારા ..કુરિયર કે પોસ્ટ...
















































