Saturday, April 13, 2019

વનસ્પતિ પરીચય :સહદેવી

 

ઋષિમુનીઓએ આપેલ સમૃધ્ધ વારસાને યાદ કરવો.
કુદરતના અંગોમાં વનસ્પતિ એક દિવ્ય અંગ છે.
સહદેવી એક દિવ્ય વનસ્પતિ છે.
સહદેવી' તાવ માટે અકસીર સાબિત થઇ છે.
  જે ચોમાસામાં આપણા ડુંગરો, ખેતરોના શેઢા પર તેમજ પાળીયે અને બીડમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. તે આખાય ગુજરાતમાં જોવા મળે છે.  ભિનાશવાળી જગ્યામાં બારેમાસ જોવા મળે છે.
સહદેવીનું દેશીમાં સદેડો, સદેડી છે.
સહદેવીનો છોડ એક ફુટથી બેફુટ જેટલો ઉંચો વધે છે. તેમાંથી બે-ચાર શાખાઓ નિકળી ઉપર તરફ ઉંચે વધે છે. અથવા ઘણીવાર શાખાઓ ટુંકી અને ઘણી હોય છે તે દાંડીઓ તળીયેથી પાતળી અને લીલારંગની હોય છે. કોઇવાર આછા જાંબુડીયા રંગની છાયાલેતી અને લગભગ ટચલી આંગળી જેટલી પાતળી કે તેથી પણ પાતળી હોય છે. તેમાં ઉભી નસો આવેલી હોય છે તેના પર સફેદ સુક્ષ્મ રૃવાટીઓ આવેલી હોય છે. તે ડાળીને આડો કાપ મુકતા વચ્ચે ધોળો ગર્ભ અને બાજુમાં છીદ્ર હોય છે. ડાળી પોલી હોય છે. પાન ગોળકડા ખાંચવાળા ટેરવે બુઠી અણી લેતા આંતરે આવેલ હોય છે. પાન અડધા ઇંચથી અઢી ઇંચ લાંબા અને એક તૃતીયાંશથી બે ઇંચ પહોળા હોય છે. ફુલ પુષ્પ ધારણ કરનારી સળી ઉપર મથાળે આવેલ હોય છે. તે ફુલ સુક્ષ્મ ફુલડીઓનું ઝુમખુ બનાવે છે. તે જાંબુડીયા રંગના હોય છે.
સહદેવીના દરેક અંગનો પંચાગ એટલે મુળ શાખા પાન ફુલ અને ફળ એ વનસ્પતિના પાંચ અંગો છે. સહદેવીના ગુણધર્મો જવરધ્ર મૂત્રલ કફચ શોથધ્ર છે. તેથી ડેન્ગ્યુ, મેલેરીયા, સ્વાઇન ફલૂ અને ફલુની ખુબ જ અસરકારક અને રામબાણ ઔષધી છે.
સહદેવીના ઉપયોગથી બહુ જ થોડા સમયમાં દર્દી તંદુરસ્ત થઇ જાય છે અને રોગના તમામ લક્ષણો દુર થાય છે. સાથે તેની કોઇ આડઅસર પણ થતી નથી. દર્દી પુનઃ શક્તિ મેળવી તંદુરસ્ત થાય છે. ડેન્ગ્યુ, મેલેરીયા, સ્વાઇન ફલૂ તથા ફલુમાં સહદેવીના પંચાગનો રસ (લીલો છોડ મળે તો) બે ચમચી અને બાળકને અડધીથી એક ચમચી રસ કાઢી આપવો. લીલો છોડ ન મળે તો સહદેવીના સુકા છોડને અધકચરા ખાંડી દસથી પંદર ગ્રામ એક ગ્લાસ પાણીમાં નાખી ધીમા તાપે ઉકાળવું. અડધુ પાણી રહે ત્યારે ઉતારી તેના બે ભાગ કરી સવાર સાંજ લેવાથી ઉપરોક્ત દર્દો જલદીથી સારા થાય છે.

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...