Saturday, April 13, 2019

વનસ્પતિ પરીચય :લુણી

લાખાલુણી
કુદરતે પોતાના ખજાનામાંથી આપણને પહેલેથી જ પુષ્કળ આપ્યું છે, બસ આપણે જ તેને ઓળખી નથી શકતા, પહેલા લોકોને જ્ડ્ડી બુટ્ટી ની ઘણી જાણકારી હતી પણ ધીમે ધીમે લુપ્ત થઇ ગઈ.
#લાખાલુણી ખાલી પડેલ જમીન ઉપર ઉગી નીકળે છે. અને આપણે તેનેનકામી સમજીને ફેંકી દેતા હોઈએ છે. આ જંગલી ઘાસને ભારતીય ભાષામાં લાખાલુણી, મોટી લોણી, લોણા, લોણા શાક, ખુરસા, ફૂલકા, લુનાક, ઢોલ, લોનક વગેરે નામોથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાંતેને common purslane, Kaun Purslane, Pussley, Pigweed કહેવામાં આવે છે.
તેના મૂળનો 25 વર્ષ સુધી નાશ નથી થતો. અને વરસાદમાં તે પાણી મળવાથી ફરીવાર લીલી થઈને ફેલાઈ જાય છે. જેના મૂળનો 25 વર્ષ સુધી નાશ થતો નથી તો તમે વિચારી શકો છો કે તેમાં Immunity હશે.
#તેના પાંદડામાં ગજબના સ્વાસ્થ્યના ફાયદા સમાયેલા હોય છે. તેમાં vitamin, iroin, calcium, પ્રોટીન અને મિનરલ્સ પુષ્કળ છે આપણા સંપૂર્ણ આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી છે.
#આ ઘાસ બધા લીલા શાકભાજી કરતા ઉત્તમ છે. લીલાશાકભાજીમાં જો કોઈમાં omga 3 ફેટી એસીડસ મળે છે તો સૌથી વધુ આમાં મળે છે.
#તેના પાંદડામાં લીલા શાકભાજી થી વધુ Vitamin ‘A’ મળે છે, જે કેન્સર જેવા ગંભીર રોગો સામે લડવામાં ખુબ મદદ કરે
#આ ઘાસ કેન્સર, હ્રદય, લોહીની ખામી, હાડકાની મજબુતી અને એમ કહીએ તો સંપૂર્ણ આરોગ્યને વધારે છે.
#તેનો સ્વાદ લીંબુ જેવો ખાટ્ટો હોય છે અને તે થોડી વારમાં કુરકુરી થાય છે. તમે તેને નિયમિત સલાડમાં ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી આપણી શક્તિના સ્તરને વધારી દેશે. શક્તિ તો વધારે છે, તે બાળકોના મગજના વિકાસ માટે ખુબ મહત્વપૂર્ણ છે,
#આયુર્વેદમાં તેને માથાના રોગ, આંખોનારોગ, કાનના રોગ, મોઢાના રોગ, ચામડીના રોગ, થુકમાં લોહી આવવું, પેટના રોગ, મૂત્રના રોગ, બીમારી અને ઝેર ઉતારવા માટે કરવામાં આવે છે.તેનો સલાડ, શાકભાજી કે તે આખા છોડની રાબ બનાવીને પી શકાય છે.

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...